સિદ્ધાર્થ માલ્યાએ RCBની જીત પર શેર કર્યો હતો વીડિયો, પરંતુ ઇન્સ્ટગ્રામે હટાવી દીધો; જાણો કેમ?

થોડા દિવસો અગાઉ, IPL ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની જીત બાદ, તેના પૂર્વ માલિક વિજય માલ્યાના પુત્ર સિદ્ધાર્થ માલ્યાએ જીતનું સેલિબ્રેશન માનવતો એક ભાવુક વીડિયો શેર કર્યો હતો. તેમાં તેને રડતો જોઈ શકાય છે. બાદમાં આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પરથી હટાવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ, સિદ્ધાર્થ માલ્યાએ અન્ય એક વીડિયો શેર કરીને જણાવ્યું કે, આખરે પહેલાનો વીડિયો કેમ હટાવી દેવામાં આવ્યો હતો. 9 જૂનના રોજ, સિદ્ધાર્થ માલ્યાએ પોતાનાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ @sidmallya પરથી એક વીડિયો શેર કર્યો છે. જેમાં, તે કોઈ રસ્તા પર ચાલતો જોવા મળી રહ્યો છે. વીડિયોનું કેપ્શન છે- ‘IPLએ મારો વીડિયો હટાવડાવ્યો હતો. પછી અંડરબ્રેકેટ કરતા લખ્યું કે- અને હું પોતાના શર્ટ પર ડાઘની કોઈ ચિંતા કરતો નથી.

siddharth-mallya5
gqindia.com

 

વીડિયો શરૂ થતા જ, સિદ્ધાર્થ તેના ફોલોઅર્સને હેલો ગાય્ઝ કહીને સંબોધિત કરે છે. પછી તે બતાવે છે કે ઇન્સ્ટાગ્રામે તેનો પાછલો વીડિયો કેમ ડીલિટ કરી દીધો હતો. તેણે કહ્યું કે તમારામાંથી ઘણા લોકોએ મારો તે ભાવુક વીડિયો જોયો હશે, જે મેં મંગળવારે પોસ્ટ કર્યો હતો. જેના માધ્યમથી મેં પોતાના ફેન્સ અને ફોલોઅર્સ સાથે વાતચીત કરી. આ વીડિયો પર ઘણા લોકોની કમેન્ટ આવી હતી અને તેને રીપોસ્ટ પણ કરવામાં આવ્યો હતો.

https://www.instagram.com/reel/DKqqOmsuqRb/?utm_source=ig_web_copy_link&igsh=MWVvOWY4cHE0NHpoZg==

આ વીડિયોને  ઇન્સ્ટાગ્રામે હટાવી દીધો અને થોડા દિવસો માટે મને પોતાના પ્લેટફોર્મ પર બેન કરી દેવામાં આવ્યો હતો. 8 જૂનના રોજ, ઇન્સ્ટાગ્રામે બેન હટાવી લીધો હતો અને હવે હું ફરીથી આ વીડિયો પોસ્ટ કરી રહ્યો છું. હું તમને જણાવી દઉં કે IPLએ મારી એ પોસ્ટને લઈને કોપીરાઇટ ઉલ્લંઘનની ફરિયાદ કરી હતી. ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી અને મારો વીડિયો ઇન્સ્ટાગ્રામ પરથી હટાવી દેવામાં આવ્યો.

IPLએ કોપીરાઇટ પોલિસીના ઉલ્લંઘનની વાત વાત કરી હતી, પરંતુ તે વીડિયો એક મિનિટથી પણ ઓછા સમયનો હતો. તેમાં મેચને લઈને કંઈ નહોતું, પરંતુ મેં પોતાના ઇમોશનને દર્શાવવા માટે આ વીડિયો બનાવ્યો હતો. આ બધુ મને ખૂબ ક્રેઝી જેવું લાગ્યું. કેમ કે તે વીડિયોને હટાવવો, મારા માટે એક અવસર ગુમાવવા જેવું હતું, જેના દ્વારા હું મારા ફેન્સ અને ફોલોઅર્સ સાથે ઈન્ટ્રેક્ટર હતો અને તેમની સાથે જોડાઈ શકતો હતો.

siddharth-mallya3
news9live.com

 

આ ઉપરાંત, RCBના બધા ફેન્સની જેમ, હું પણ 18 વર્ષથી આ ક્ષણની રાહ જોઈ રહ્યો હતો. મને પણ આ જીતથી સૌથી વધુ ખુશી થઈ. હું આ ઘટનાથી ખૂબ દુઃખી છું. ખાસ કરીને IPLના વલણથી મને દુઃખ થયું કે તેની ફરિયાદને કારણે, મારો ભાવુક વીડિયો ઇન્સ્ટાગ્રામે હટાવી દીધો. સિદ્ધાર્થ માલ્યાના આ વીડિયો પર લોકોની મિશ્ર પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાક યુઝર્સે જ્યાં તેને ટ્રોલ કર્યો છે, તો કેટલાક લોકોએ ફરીથી તેને અને તેના પિતા વિજય માલ્યાને બેંગ્લોર પાછા ફરવાની સલાહ આપી.

About The Author

Related Posts

Top News

અદાણી ગ્રુપ વિરુદ્ધ ટ્વીટ કરવા બદલ પત્રકારને એક વર્ષની જેલ, કોર્ટે કહ્યું- ‘લખ્યું તે સાબિત...

અદાણી ગ્રુપ સાથે જોડાયેલા માનહાનિના કેસમાં પત્રકાર રવિ નાયરને દોષિત ઠેરવવામાં આવ્યા છે. 10 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના ગાંધીનગર જિલ્લાના માણસાની...
Gujarat 
અદાણી ગ્રુપ વિરુદ્ધ ટ્વીટ કરવા બદલ પત્રકારને એક વર્ષની જેલ, કોર્ટે કહ્યું- ‘લખ્યું તે સાબિત...

‘સાહેબ, હું જીવું છું...!’ પતિએ જ પત્નીની પોલ ખોલી નાખી, લઈ રહી હતી વિધવા પેન્શન

મધ્ય પ્રદેશના સિંગરૌલીથી સિસ્ટમનો પર્દાફાશ કરતી એક ચોંકાવનારી કહાની સામે આવી છે. કાગળ પર એક પુરુષને મૃત જાહેર કરવામાં આવ્યો...
National 
‘સાહેબ, હું જીવું છું...!’ પતિએ જ પત્નીની પોલ ખોલી નાખી, લઈ રહી હતી વિધવા પેન્શન

ભારતમાં ભ્રષ્ટાચાર ઓછો થયો, અમેરિકા અને બ્રિટનમાં વધ્યો... કરપ્શન પર 180 દેશોનો નવો અહેવાલ

યુરોપ અને અમેરિકામાં ભ્રષ્ટાચારના કેસોમાં વધારો થયો છે, પરંતુ 2025માં ભારતમાં ભ્રષ્ટાચારના કેસોમાં 2024ની સરખામણીમાં ઘટાડો થયો છે. ગ્લોબલ...
National 
ભારતમાં ભ્રષ્ટાચાર ઓછો થયો, અમેરિકા અને બ્રિટનમાં વધ્યો... કરપ્શન પર 180 દેશોનો નવો અહેવાલ

વોર્ડ બોયે પોતાને ડૉક્ટર ગણાવીને આપ્યું ઈન્જેક્શન, મહિલાએ ગુમાવ્યો જીવ

નવી મુંબઈના વાશી વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલમાં એક વોર્ડ બોયે એક મહિલાને ઈન્જેક્શન લગાવી દીધું, ત્યારબાદ 21 વર્ષીય યુવતીનું...
National 
વોર્ડ બોયે પોતાને ડૉક્ટર ગણાવીને આપ્યું ઈન્જેક્શન, મહિલાએ ગુમાવ્યો જીવ

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.