'તારા મરવાથી મારુ 35 લાખનું દેવું ખતમ થઇ જશે...' લોનના બોજથી બચવા પત્નીને ફિનાઈલ પીવડાવી

સતનામાં આર્થિક લાલચ અને ઘરેલુ હિંસાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક પતિએ 35 લાખ રૂપિયાના બેંક લોનથી બચવા માટે પોતાની પત્નીની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. એવો આરોપ છે કે, નશામાં ધૂત આરોપીએ ફિનાઇલ ગોળીઓ પીસી અને તેને પાણીમાં મેળવીને તેની પત્નીને તે પીવા માટે દબાણ કર્યું. પીડિતાની ફરિયાદના આધારે, સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશને આરોપી પતિની ધરપકડ કરી અને ફોજદારી કાર્યવાહી સંહિતા (CrPC)ની કલમ 109(2) હેઠળ કેસ નોંધ્યો છે.

Husband-Poisoned-Wife1
jagran.com

સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારના બગહાના રહેવાસી અનુરાગ ત્રિપાઠી પર તેની પત્ની પૂર્ણિમા ત્રિપાઠીના નામે 'રૂદા એન્ટરપ્રાઇઝ' નામની ફર્મ નોંધાવવાનો અને તે ફર્મના નામે 35 લાખ રૂપિયાની લોન લેવાનો આરોપ છે. પીડિતાના જણાવ્યા મુજબ, પતિએ લોનની પુરેપુરી રકમનો ઉપયોગ પોતાની પર જ કર્યો હતો, જ્યારે આ લોનની કાનૂની જવાબદારી તેની પત્ની પર છોડી દીધી હતી.

Husband-Poisoned-Wife3
indiatv.in

પીડિતાએ પોલીસને જણાવ્યું કે, 28 ડિસેમ્બરની રાત્રે, તેનો પતિ દારૂ પીને ઘરે આવ્યો અને તેની સાથે મારપીટ કરી હતી, જેના કારણે તેના ચહેરા અને મોં પર ગંભીર ઈજાઓ થઈ. બીજા દિવસે, 29 ડિસેમ્બરના રોજ, સવારે લગભગ 10:30 વાગ્યે, ઝઘડો ફરી વધ્યો. એવો આરોપ છે કે, અનુરાગ ત્રિપાઠીએ બાથરૂમમાં રાખેલી ફિનાઈલ ગોળીઓ પીસી નાખી અને તેને પાણીમાં ભેળવી દીધી અને તેને પીવા માટે પત્ની પર દબાણ કર્યું હતું. પીડિતા કહે છે કે, તેના પતિએ તેને કહ્યું, 'તારા મૃત્યુ પછી 35 લાખ રૂપિયાનું દેવું માફ થઇ જશે.'

Husband-Poisoned-Wife5

ફિનાઈલ યુક્ત પાણી પીધા પછી, પૂર્ણિમાની હાલત વધુ ખરાબ થઈ ગઈ અને તે સતત ઉલટીઓ કરવા લાગી. ભાનમાં આવ્યા પછી, તેણે તેના પિતાને ફોન કરીને આ ઘટના વિશે જાણ કરી હતી. પરિવારના સભ્યો ઘટનાસ્થળે પહોંચ્યા અને તેને તાત્કાલિક બિરલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, જ્યાં તેની સારવાર કરવામાં આવી.

Husband-Poisoned-Wife6
navbharattimes.indiatimes.com

પીડિતાએ જણાવ્યું કે, તેનો પતિ લગ્ન પછીથી જ તેના પર સતત શારીરિક અને માનસિક શોષણ કરતો હતો. તેણે અગાઉ જાસો પોલીસ સ્ટેશનમાં મારપીટ કર્યાની ફરિયાદ નોંધાવી હતી. પીડિતાએ પોલીસને તેને અગાઉ થયેલી ઈજાઓના ફોટોગ્રાફ્સ પણ આપ્યા હતા.

પોલીસે આરોપી પતિ, અનુરાગ ત્રિપાઠી જેના પિતાનું નામ સોહન ત્રિપાઠી છે, (રહે. પિંડરા, મઝગવાં પોલીસ સ્ટેશનનો વતની છે)તેની ધરપકડ કરી છે. આ કેસ ગંભીર હોવાથી, વિગતવાર તપાસ ચાલી રહી છે.

About The Author

Related Posts

Top News

દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

શું તમે જાણો છો કે દેશની રાજધાની દિલ્હીમાં પહેલો મોલ કયો હતો? જો નહીં, વધારે વિચારવાની જરૂર નથી...
National 
દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

અમેરિકા વિશ્વના નવ દેશોમાંનો એક છે. તેની પાસે તેના આધુનિક ઇતિહાસ સિવાય બડાઈ મારવા કે ગર્વ કરવા જેવું કંઈ નથી....
World 
અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

જો તમે ઓછા બજેટમાં ઓટોમેટિક SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર ખાસ તમારા માટે છે. શહેરોમાં વધતા...
Tech and Auto 
આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

બેંગલુરુમાં એક સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યોતિષની આગાહી પછી 27 વર્ષીય મહિલા એન્જિનિયરે આત્મહત્યા કરી લીધી. આ ઘટના શહેરના...
National 
એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.