NDAમાં ચંદ્રબાબુ નાયડુની વાપસીનો ફોર્મ્યૂલા તૈયાર! જલદી જ થઈ શકે છે જાહેરાત

લોકસભાની ચૂંટણી અગાઉ TDP નેતા ચંદ્રબાબુ નાયડુ NDAમાં ફરી સામેલ થઈ શકે છે. રિપોર્ટ્સ મુજબ, તેની જાહેરાત જલદી જ કરવામાં આવશે. જાણકારોએ જણાવ્યું કે, સીટ શેરિંગનો મુદ્દો ખૂબ જ મહત્ત્વનો છે. જેના પર વાતચીત ચાલી રહી છે. ભાજપ સાથે સાથે પવન કલ્યાણની જન સેના પાર્ટીની સીટો પણ નક્કી કરવાની વાત થઈ રહી છે. TDPને 18, જન સેનાને 2, ભાજપને 5 સીટો આપવાના ફોર્મ્યૂલા પર વાત બની શકે છે. જેના પર TDP સહમત થઈ શકે છે. આંધ્ર પ્રદેશમાં લોકસભાની 25 સીટો છે.

ચંદ્રબાબુ નાયડુ છેલ્લા કેટલાક સમયથી ભાજપના ઉચ્ચ નેતૃત્વ સાથે સતત મુલાકાત કરી રહ્યા છે. રાજકીય ગલિયારામાં ચર્ચા છે કે ચંદ્રબાબુ નાયડુ ગમે ત્યારે NDAમાં સામેલ થઈ શકે છે. જો કે, ચંદ્રબાબુ નાયડુની પાર્ટી TDP અગાઉ પણ ભાજપનો હિસ્સો રહી છે. ચંદ્રબાબુ નાયડુ કેન્દ્રમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ સંસદમાં લોકસભાની ચૂંટણીમાં ત્રીજી વખત ભાજપની જીતનો દાવો કરતા કહ્યું હતું કે, દેશનો મિજાજ જોઈને લાગી રહ્યું છે કે આ વખત NDA 400 કરતા વધુ સીટો જીતશે, જ્યારે ભાજપને 370 સીટો પર જીત મળશે.

એવામાં ભાજપ 400 પ્લસના ટારગેટને પૂરો કરવા માટે બધા સમીકરણ સેટ કરી રહી છે. ગત દિવસોમાં થયેલા ઈન્ડિયા ટૂડે અને C વોટરના 'મૂડ ઓફ નેશન' સર્વેમાં NDAને ઉત્તર ભારતમાં જ્યાં લાભ થતો દેખાઇ રહ્યો છે, તો દક્ષિણમાં INDIA ગઠબંધનને ફાયદો થઈ શકે છે. એવામાં ભાજપ પોતાના ટારગેટને હાંસલ કરવા માટે દક્ષિણ પર ફોકસ કરી રહી છે. દક્ષિણ ભારતના 5 રાજ્ય (કેરળ, તામિલનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તેલંગાણા)માં લોકસભાની 129 સીટો આવે છે. તેમાં માત્ર આંધ્ર પ્રદેશમાં જ 25 સીટો આવે છે.

સર્વેના આંકડાઓ મુજબ ચંદ્રબાબુ નાયડુ મોટો ઉલટફેર કરતા નજરે પડી રહ્યા છે. TDPને 17 સીટો પર જીત મળવાનું અનુમાન છે, તો જગન મોહન રેડ્ડીની YSRCPને 8 સીટો મળતી નજરે પડી રહી છે, જ્યારે ભાજપને અહી મોટું નુકસાન થવાનું અનુમાન છે. એવામાં ચંદ્રબાબુ નાયડુ જો NDA સાથે આવી જાય છે તો ભાજપ માટે એ ફાયદાકારક સાબિત થશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2019ની લોકસભા અગાઉ ચંદ્રબાબુ નાયડુએ NDAનો સાથ છોડી દીધો હતો. જ્યારે તેમણે NDA સાથે સંબંધ તોડ્યા હતા. ત્યારે તેઓ રાજ્યના મુખ્યમંત્રી હતા, પરંતુ ચંદ્રબાબૂ નાયડુ ત્યારે વિશેષ રાજ્યના દરજ્જાની માગ કરી રહ્યા હતા. તેને લઈને તેમણે ભાજપ સાથે 20 વર્ષ જૂનું ગઠબંધન તોડી દીધું હતું.

About The Author

Related Posts

Top News

ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની, બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને શોર્ટ ટેન્કની પહેલી સીઝનમાં જજ રહેલા અશ્નીર ગ્રોવરના લાખો રૂપિયાના...
Business 
ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

JEE મેન્સ સત્ર-2 (એપ્રિલ સત્ર)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સત્રમાં, વિવિધ રાજ્યોના કુલ 24 વિદ્યાર્થીઓએ ...
Education 
કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

કર્ણાટકના શિવમોગામાં આદિચુંચનગિરી સ્કૂલમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) આપવા ગયેલા વિદ્યાર્થીઓ પાસેથી જનોઈ ઉતારવાના મામલો સામે આવ્યા બાદ, ...
National 
જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ

અત્યારે ઉનાળાની સીઝન ચાલી રહી છે, અને રાજ્યમાં મિશ્રા ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળી...
Gujarat 
અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ
Copyright (c) Khabarchhe All Rights Reserved.