માતા-પિતાનું ધ્યાન ન રાખ્યું તો સંપત્તિ ગુમાવી દેશે સંતાન, યોગી સરકાર....

ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર વૃદ્ધ માતા-પિતાને પરેશાન કરનાર સંતાનો માટે સંપત્તિ પર અધિકારથી જોડાયેલ નિયમમાં સંશોધન કરવા જઇ રહી છે. તેના માટે વરિષ્ઠ નાગરિકોના ભરણ પોષણ અને કલ્યાણલક્ષી નિયમ 2014ને સંશોધિત કરવામાં આવશે. જેનો પ્રસ્તાવ તૈયાર કરી લેવામાં આવ્યો છે.

30 દિવસમાં સંપત્તિથી બેદખલ કરવાનો અધિકાર

સમાજ કલ્યાણ વિભાગના વકીલો પાસેથી સલાહ લીધા પછી આ નવા કાયદાને યોગી આદિત્યનાથ સામે રજૂ કરવામાં આવશે. આ પ્રસ્તાવમાં વૃદ્ધ માતા-પિતાને પરેશાન કરનારી સંતાનો અને સંબંધીઓને સંપત્તિમાંથી બેદખલ કરવાની પ્રક્રિયાને વધારે સરળ બનાવવામાં આવી રહી છે. 30 દિવસની અંદર સંપત્તિથી સંતાનને બેદખલ કરાવી શકાશે અને તેમાં પોલીસ પણ વૃદ્ધ માતા-પિતાની મદદ કરશે.

જાણકારી અનુસાર, ઉત્તર પ્રદેશમાં માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણ-પોષણ અને કલ્યાણ નિયમ 2014 બનાવવામાં આવ્યો છે. જે કેન્દ્ર સરકાર દ્વારા માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણ-પોષણ અને કલ્યાણ કાયદો 2007 પર આધારિત છે. જેમાં ફેરફાર 2014માં કરવામાં આવ્યો હતો.

આ નિયમ હેઠળ જિલ્લાધિકારીનની અધ્યક્ષતામાં ભરણ પોષણ અધિકારનું ગઠન કરવામાં આવ્યું છે. એવામાં રાજ્યમાં સપ્તમ વિધિ આયોગે જૂના નિયમોના ઉદ્દેશોને પૂર્ણ કરવામાં સક્ષમ ગણાવેલા નહીં. ત્યારપછી કાયદાના નિયમ 22(ક)22(ખ) અને 22(ગ)ને વધારવાની ભલામણ કરવામાં આવી હતી.

ત્યાર પછી આમાં વરિષ્ઠ નાગરિકોનું ધ્યાન ન રાખવા પર બાળકો કે સંબંધીઓને તે સંપત્તિમાંથી બેદખલ કરવાની જોગવાઇની વાત કરવામાં આવી છે. જે વરિષ્ઠ નાગરિકોનો કાયદાકીય અધિકાર પણ છે. સંપત્તિમાંથી બેદખલ કરવા માટેની અરજી પણ કરી શકાય છે.

સંપત્તિ પર કબ્જો કરવામાં પોલીસ મદદ કરશે

આ પ્રસ્તાવ હેઠળ વરિષ્ઠ નાગરિક પોતાની સંપત્તિમાંથી સંતાનને બેદખલ કરવા માટે ટ્રિબ્યૂનલને પોતાની અરજી આપી શકે છે. જો અરજી આપવામાં સમર્થ નછી તો કોઇપણ સંસ્થા દ્વારા અરજી દાખલ કરી શકાય છે. ટ્રિબ્યૂનલને આ અધિકાર રહેશે કે તે બેદખલ કરવાનો આદેશ બહાર પાડી શકે છે.

સાથે જ જો કોઇ વ્યક્તિ આદેશ બહાર પડ્યા પછીના 30 દિવસની અંદર વરિષ્ઠ નાગરિકની સંપત્તિથી પોતાને બેદખલ કરતો નથી તો ટ્રિબ્યૂનલ વૃદ્ધોને સંપત્તિ પર કબ્જો અપાવવામાં મદદ કરશે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.