માતા-પિતાનું ધ્યાન ન રાખ્યું તો સંપત્તિ ગુમાવી દેશે સંતાન, યોગી સરકાર....

ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર વૃદ્ધ માતા-પિતાને પરેશાન કરનાર સંતાનો માટે સંપત્તિ પર અધિકારથી જોડાયેલ નિયમમાં સંશોધન કરવા જઇ રહી છે. તેના માટે વરિષ્ઠ નાગરિકોના ભરણ પોષણ અને કલ્યાણલક્ષી નિયમ 2014ને સંશોધિત કરવામાં આવશે. જેનો પ્રસ્તાવ તૈયાર કરી લેવામાં આવ્યો છે.

30 દિવસમાં સંપત્તિથી બેદખલ કરવાનો અધિકાર

સમાજ કલ્યાણ વિભાગના વકીલો પાસેથી સલાહ લીધા પછી આ નવા કાયદાને યોગી આદિત્યનાથ સામે રજૂ કરવામાં આવશે. આ પ્રસ્તાવમાં વૃદ્ધ માતા-પિતાને પરેશાન કરનારી સંતાનો અને સંબંધીઓને સંપત્તિમાંથી બેદખલ કરવાની પ્રક્રિયાને વધારે સરળ બનાવવામાં આવી રહી છે. 30 દિવસની અંદર સંપત્તિથી સંતાનને બેદખલ કરાવી શકાશે અને તેમાં પોલીસ પણ વૃદ્ધ માતા-પિતાની મદદ કરશે.

જાણકારી અનુસાર, ઉત્તર પ્રદેશમાં માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણ-પોષણ અને કલ્યાણ નિયમ 2014 બનાવવામાં આવ્યો છે. જે કેન્દ્ર સરકાર દ્વારા માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણ-પોષણ અને કલ્યાણ કાયદો 2007 પર આધારિત છે. જેમાં ફેરફાર 2014માં કરવામાં આવ્યો હતો.

આ નિયમ હેઠળ જિલ્લાધિકારીનની અધ્યક્ષતામાં ભરણ પોષણ અધિકારનું ગઠન કરવામાં આવ્યું છે. એવામાં રાજ્યમાં સપ્તમ વિધિ આયોગે જૂના નિયમોના ઉદ્દેશોને પૂર્ણ કરવામાં સક્ષમ ગણાવેલા નહીં. ત્યારપછી કાયદાના નિયમ 22(ક)22(ખ) અને 22(ગ)ને વધારવાની ભલામણ કરવામાં આવી હતી.

ત્યાર પછી આમાં વરિષ્ઠ નાગરિકોનું ધ્યાન ન રાખવા પર બાળકો કે સંબંધીઓને તે સંપત્તિમાંથી બેદખલ કરવાની જોગવાઇની વાત કરવામાં આવી છે. જે વરિષ્ઠ નાગરિકોનો કાયદાકીય અધિકાર પણ છે. સંપત્તિમાંથી બેદખલ કરવા માટેની અરજી પણ કરી શકાય છે.

સંપત્તિ પર કબ્જો કરવામાં પોલીસ મદદ કરશે

આ પ્રસ્તાવ હેઠળ વરિષ્ઠ નાગરિક પોતાની સંપત્તિમાંથી સંતાનને બેદખલ કરવા માટે ટ્રિબ્યૂનલને પોતાની અરજી આપી શકે છે. જો અરજી આપવામાં સમર્થ નછી તો કોઇપણ સંસ્થા દ્વારા અરજી દાખલ કરી શકાય છે. ટ્રિબ્યૂનલને આ અધિકાર રહેશે કે તે બેદખલ કરવાનો આદેશ બહાર પાડી શકે છે.

સાથે જ જો કોઇ વ્યક્તિ આદેશ બહાર પડ્યા પછીના 30 દિવસની અંદર વરિષ્ઠ નાગરિકની સંપત્તિથી પોતાને બેદખલ કરતો નથી તો ટ્રિબ્યૂનલ વૃદ્ધોને સંપત્તિ પર કબ્જો અપાવવામાં મદદ કરશે.

About The Author

Related Posts

Top News

વિદેશની 5 બેસ્ટ યુનિવર્સિટીઓના કેમ્પસ ભારતમાં શરૂ થઇ રહ્યા છે

ભારતથી દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ કેરિઅર બનાવવા માટે વિદેશની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા માટે જાય છે. પરંતુ હવે દુનિયાની 5 ટોપની...
Education 
વિદેશની 5 બેસ્ટ યુનિવર્સિટીઓના કેમ્પસ ભારતમાં શરૂ થઇ રહ્યા છે

ભારત સામેની પ્રથમ ટેસ્ટ માટે ઇંગ્લેન્ડે પ્લેઇંગ XIની કરી જાહેરાત

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 20 જૂનથી લીડ્સના હેડિંગ્લી ખાતે ટેસ્ટ સીરિઝ શરૂ થવાની છે. 5 મેચની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ...
Sports 
 ભારત સામેની પ્રથમ ટેસ્ટ માટે ઇંગ્લેન્ડે પ્લેઇંગ XIની કરી જાહેરાત

GSTમાં થવા જઈ રહ્યો છે મોટો ફેરફાર... જુલાઈમાં થશે બેઠક, એક અલગ પ્રકારનો સેસ લાગી શકે છે!

છ મહિનાથી વધુ સમય પછી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલની બેઠક જુલાઈની શરૂઆતમાં સંસદના ચોમાસા સત્ર પહેલા...
Business 
GSTમાં થવા જઈ રહ્યો છે મોટો ફેરફાર... જુલાઈમાં થશે બેઠક, એક અલગ પ્રકારનો સેસ લાગી શકે છે!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 20-06-2025 દિવસ: શુક્રવાર મેષ: આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે, જે લોકો નોકરીમાં છે, તેમને તેમના અધિકારીઓનો સહયોગ મળશે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.