સરકારી શાળામાં બાળકોને ભણવા માટેના પુસ્તકો પસ્તીમાં વેચી દીધા

લખનઉના મોહનલાલગંજમાં એક પ્રાથમિક શાળામાં ભંગારના વેપારીને બાળકોના પુસ્તકો વેચવાનો કિસ્સો સામે આવ્યો છે. આ વીડિયો વાયરલ થવાના કારણે શિક્ષણ વિભાગમાં હોબાળો મચી ગયો. આશ્ચર્યની વાત તો એ છે કે, શહેરી અને ગ્રામીણ વિસ્તારોની આશરે 20 ટકા પ્રાથમિક શાળાઓમાં અભ્યાસક્રમના ઘણા બધા પુસ્તકોનો અભાવ છે, જ્યારે નેવાજખેડા શાળાએ વધારાના પુસ્તકો હોવા છતાં, જરૂરિયાતમંદ બાળકોને આપવાને બદલે ભંગારના વેપારીને પુસ્તકો વેચી દીધા.

Lucknow-School Books
livehindustan.com

આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો, જ્યારે સોશિયલ મીડિયા પર પુસ્તકોથી ભરેલી બોરીઓનો વીડિયો વાયરલ થયો. વાયરલ વીડિયોમાં, એક ભંગારનો વેપારી શાળાના પરિસરમાંથી લગભગ છ બોરી પુસ્તકો અને અન્ય સામગ્રી લઈને જતો જોવા મળે છે. ગામના બાળકોએ ભંગારના વેપારીને રોક્યો અને તેને બોરીઓ ખોલવા માટે કહ્યું, જેમાં ધોરણ એકથી પાંચ સુધીના પુસ્તકો દેખાયા. પુસ્તકો અને સામગ્રીનું વજન લગભગ બે ક્વિન્ટલ હોવાનું કહેવાય છે. ઘટનાસ્થળે હાજર ગ્રામજનોએ આરોપ લગાવ્યો કે મુખ્ય શિક્ષકની હાજરીમાં આ બધા પુસ્તકો વેચવામાં આવ્યા હતા.

Lucknow-School Books
amarujala.com

મોહનલાલગંજના BEO સુશીલ કનૌજિયાએ જણાવ્યું હતું કે, તેમણે જાતે શાળાની મુલાકાત લીધી હતી અને તપાસ હાથ ધરી હતી, જેમાં ગ્રામજનો અને ભંગારના વેપારી બંનેના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. ભંગારના વેપારીએ પણ સ્વીકાર્યું હતું કે, પહેલા પુસ્તકો વેચવાના ભાવ નક્કી કરવામાં આવ્યા હતા, પરંતુ વીડિયો વાયરલ થયા પછી તે પાછા લઈ લેવામાં આવ્યા હતા. BEOએ મુખ્ય શિક્ષકને નોટિસ ફટકારી હતી, જેમાં ભંગારના વેપારીને વેચાયેલા પુસ્તકોના વર્ષ અને અન્ય સામગ્રીનું સંપૂર્ણ વર્ણન માંગવામાં આવ્યું હતું.

મૂળભૂત શિક્ષણ અધિકારી વિપિન કુમારે પ્રારંભિક તપાસમાં ભૂલો સ્વીકારી હતી અને મુખ્ય શિક્ષક રવિન્દ્ર ગુપ્તાને સસ્પેન્ડ કર્યા હતા. BSAએ જણાવ્યું હતું કે બની શકે છે કે, નિરીક્ષણમાં બેદરકારી રહી હશે, પરંતુ પુસ્તકો શાળામાં હાજર હતી અને તેને ભંગાર તરીકે વેચવાને બદલે જરૂરિયાતમંદ બાળકોને વહેંચવી જોઈતી હતી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, જો તપાસમાં અન્ય કોઈ દોષિત ઠરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Lucknow-School Books
thehohalla.com

આશ્ચર્યજનક વાત એ છે કે, લખનઉના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં લગભગ 20 ટકા બાળકો પાસે હજુ પણ અભ્યાસક્રમના પુરા પુસ્તકો પહોંચ્યા નથી નથી. આ ઉપરાંત ઘણી શાળાઓએ પુસ્તકો માટે વિનંતીઓ નોંધાવી છે, જે હજુ સુધી પુરી કરવાની બાકી છે.

About The Author

Related Posts

Top News

‘જરા હનુમાનજીને બોલાવો, મારે મળવું છે...’, બાળકે ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે કરી માંગ

બાગેશ્વર ધામનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક નાનો બાળક સ્ટેજ પર...
Offbeat 
‘જરા હનુમાનજીને બોલાવો, મારે મળવું છે...’, બાળકે ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે કરી માંગ

મુર્રા ભેંસે 29.65 લીટર દૂધ આપીને બુલેટ જીતી હતી, અગાઉ તેણે ટ્રેક્ટર અને 2 લાખ રૂપિયા પણ જીત્યા હતા

હરિયાણાના અંબાલામાં બિલ્લુની મુર્રા ભેંસ સતત ચર્ચાનો વિષય રહી છે. સાહાના રહેવાસી બિલ્લુ અને તેની ભેંસોને સોશિયલ મીડિયા અને યુટ્યુબ...
National 
મુર્રા ભેંસે 29.65 લીટર દૂધ આપીને બુલેટ જીતી હતી, અગાઉ તેણે ટ્રેક્ટર અને 2 લાખ રૂપિયા પણ જીત્યા હતા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -27-01-2026 વાર- મંગળવાર મેષ - નોકરી ધંધામાં ઉન્નતિના યોગ બને છે, ઘરમાં આનંદ રહે, વડીલોના આશીર્વાદ લો. વૃષભ -...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

શું વિરાટ કોહલી ઘમંડી છે? અજિંક્ય રહાણેએ આપ્યો આ જવાબ બોલ્યો- ‘મેં તેને...’

અજિંક્ય રહાણે લાંબા સમય સુધી વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ઉપ-કેપ્ટન રહ્યો અને તે તેને અને તેના વર્તનથી સારી રીતે પરિચિત છે....
Sports 
શું વિરાટ કોહલી ઘમંડી છે? અજિંક્ય રહાણેએ આપ્યો આ જવાબ બોલ્યો- ‘મેં તેને...’

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.