સરકારી શાળામાં બાળકોને ભણવા માટેના પુસ્તકો પસ્તીમાં વેચી દીધા

લખનઉના મોહનલાલગંજમાં એક પ્રાથમિક શાળામાં ભંગારના વેપારીને બાળકોના પુસ્તકો વેચવાનો કિસ્સો સામે આવ્યો છે. આ વીડિયો વાયરલ થવાના કારણે શિક્ષણ વિભાગમાં હોબાળો મચી ગયો. આશ્ચર્યની વાત તો એ છે કે, શહેરી અને ગ્રામીણ વિસ્તારોની આશરે 20 ટકા પ્રાથમિક શાળાઓમાં અભ્યાસક્રમના ઘણા બધા પુસ્તકોનો અભાવ છે, જ્યારે નેવાજખેડા શાળાએ વધારાના પુસ્તકો હોવા છતાં, જરૂરિયાતમંદ બાળકોને આપવાને બદલે ભંગારના વેપારીને પુસ્તકો વેચી દીધા.

Lucknow-School Books
livehindustan.com

આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો, જ્યારે સોશિયલ મીડિયા પર પુસ્તકોથી ભરેલી બોરીઓનો વીડિયો વાયરલ થયો. વાયરલ વીડિયોમાં, એક ભંગારનો વેપારી શાળાના પરિસરમાંથી લગભગ છ બોરી પુસ્તકો અને અન્ય સામગ્રી લઈને જતો જોવા મળે છે. ગામના બાળકોએ ભંગારના વેપારીને રોક્યો અને તેને બોરીઓ ખોલવા માટે કહ્યું, જેમાં ધોરણ એકથી પાંચ સુધીના પુસ્તકો દેખાયા. પુસ્તકો અને સામગ્રીનું વજન લગભગ બે ક્વિન્ટલ હોવાનું કહેવાય છે. ઘટનાસ્થળે હાજર ગ્રામજનોએ આરોપ લગાવ્યો કે મુખ્ય શિક્ષકની હાજરીમાં આ બધા પુસ્તકો વેચવામાં આવ્યા હતા.

Lucknow-School Books
amarujala.com

મોહનલાલગંજના BEO સુશીલ કનૌજિયાએ જણાવ્યું હતું કે, તેમણે જાતે શાળાની મુલાકાત લીધી હતી અને તપાસ હાથ ધરી હતી, જેમાં ગ્રામજનો અને ભંગારના વેપારી બંનેના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. ભંગારના વેપારીએ પણ સ્વીકાર્યું હતું કે, પહેલા પુસ્તકો વેચવાના ભાવ નક્કી કરવામાં આવ્યા હતા, પરંતુ વીડિયો વાયરલ થયા પછી તે પાછા લઈ લેવામાં આવ્યા હતા. BEOએ મુખ્ય શિક્ષકને નોટિસ ફટકારી હતી, જેમાં ભંગારના વેપારીને વેચાયેલા પુસ્તકોના વર્ષ અને અન્ય સામગ્રીનું સંપૂર્ણ વર્ણન માંગવામાં આવ્યું હતું.

મૂળભૂત શિક્ષણ અધિકારી વિપિન કુમારે પ્રારંભિક તપાસમાં ભૂલો સ્વીકારી હતી અને મુખ્ય શિક્ષક રવિન્દ્ર ગુપ્તાને સસ્પેન્ડ કર્યા હતા. BSAએ જણાવ્યું હતું કે બની શકે છે કે, નિરીક્ષણમાં બેદરકારી રહી હશે, પરંતુ પુસ્તકો શાળામાં હાજર હતી અને તેને ભંગાર તરીકે વેચવાને બદલે જરૂરિયાતમંદ બાળકોને વહેંચવી જોઈતી હતી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, જો તપાસમાં અન્ય કોઈ દોષિત ઠરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Lucknow-School Books
thehohalla.com

આશ્ચર્યજનક વાત એ છે કે, લખનઉના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં લગભગ 20 ટકા બાળકો પાસે હજુ પણ અભ્યાસક્રમના પુરા પુસ્તકો પહોંચ્યા નથી નથી. આ ઉપરાંત ઘણી શાળાઓએ પુસ્તકો માટે વિનંતીઓ નોંધાવી છે, જે હજુ સુધી પુરી કરવાની બાકી છે.

About The Author

Related Posts

Top News

દિલ્હીમાં એક દિવસનું હોટલનું ભાડું 32 લાખ સુધી કેમ પહોંચી ગયું?

દેશની રાજધાની દિલ્હીમાં લકઝુરિયસ હોટલોમાં રૂમના ભાવો ભડકે બળી રહ્યા છે. તેની પાછળનું કારણ એવું છે કે દિલ્હીના પ્રગતિ મેદાન...
National 
દિલ્હીમાં એક દિવસનું હોટલનું ભાડું 32 લાખ સુધી કેમ પહોંચી ગયું?

હવે માણસોની જેમ તમારી જમીનનું પણ બનશે ‘આધાર કાર્ડ’, એક નંબરથી પકડાઈ જશે અસલી માલિક!

ઘણી વાર જોવા મળે છે કે એક ઇંચ જમીન માટે પણ વર્ષો સુધી કોર્ટના ચક્કર લગાવવા પડે છે. ક્યારેક નકશાની...
National 
હવે માણસોની જેમ તમારી જમીનનું પણ બનશે ‘આધાર કાર્ડ’, એક નંબરથી પકડાઈ જશે અસલી માલિક!

15 વર્ષની ઉંમરે ઉઠાવી લઈ ગયા હતા ડાકુઓ, 65 વર્ષ બાદ ઘરે પરત ફરેલી મીઠાનીની કહાની

ઉત્તર પ્રદેશના હરદોઈથી એક ઈમોશનલ કહાની સામે આવી છે. 6 દાયકા અગાઉ ડાકુઓએ જે મહિલાનું અપહરણ કર્યું હતું તે આખરે ...
National 
15 વર્ષની ઉંમરે ઉઠાવી લઈ ગયા હતા ડાકુઓ, 65 વર્ષ બાદ ઘરે પરત ફરેલી મીઠાનીની કહાની

જે રીતે ચિરાગ ગોટીના કાળા કારનામા ખૂલી રહ્યા છે આટલા વર્ષ સુધી તો એ જેલમાંથી બહાર નહીં આવે

સુરતનો કુખ્યાત ચિરાગ ગોટી સામે હવે લોકો ફરિયાદ કરવા માટે આગળ આવી રહ્યા છે અને પોલીસ સૂત્રોના કહેવા મુજબ ચિરાગ...
Gujarat 
જે રીતે ચિરાગ ગોટીના કાળા કારનામા ખૂલી રહ્યા છે આટલા વર્ષ સુધી તો એ જેલમાંથી બહાર નહીં આવે
Copyright (c) Khabarchhe All Rights Reserved.