બોલો મણિપુરના CM જ કહે છે રોજ હિંસા થઈ રહી છે, રાજ્યમાં આ પ્રકારના સેકડો કેસ છે

મણિપુરમાં યૌન હિંસાને લઈને મુખ્યમંત્રી એન. બીરેન સિંહે હેરાન કરનારું નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રી એન. બીરેન સિંહના જણાવ્યા મુજબ, રાજ્યમાં આ પ્રકારના સેકડો કેસ છે. તેમણે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કહ્યું કે, રોજ હિંસા થઈ રહી છે. ઘણા લોકો માર્યા ગયા. હજારો FIR થઈ છે. તમે લોકોને એક કેસ દેખાઈ રહ્યો છે, અહી સેકડો સિમિલર કેસ છે આ પ્રકારના. આ વીડિયો કાલે લીક થયો એટલે ઈન્ટરનેટ બેન કર્યું છે. આ અગાઉ વીડિયો વાયરલ થયા બાદ મુખ્યમંત્રી એન. બીરેન સિંહે 20 જુલાઇના રોજ પોતાનું મૌન તોડ્યું.

તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર દોષીઓને મોતની સજા અપાવવાનો પ્રયાસ કરશે. તેમણે ન્યૂઝ એજન્સીએ વાત કરતા કહ્યું કે, અમે વીડિયો જોયો અને મને ખૂબ ખરાબ લાગ્યું. એ માનવતા વિરુદ્ધ ગુનો છે. મેં તરત પોલીસને દોષીઓની ધરપકડ કરવાનો આદેશ આપ્યો અને રાજ્ય સરકાર આરોપીઓ માટે મોતની સજા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો. તેની સાથે જ મુખ્યમંત્રી એન. બીરેન સિંહે ઘટનાને લઈને ટ્વીટ પણ કરી. જેમાં તેમણે કહ્યું કે, વીડિયો સામે આવ્યાના તુરંત બાદ ઘટનાનું સ્વતઃ સંજ્ઞાન લેતા મણિપુર પોલીસ હરકતમાં આવી અને આજે સવારે પહેલી ધરપકડ કરવામાં આવી.

હાલમાં ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે અને અમે એ સુનિશ્ચિત કરીશું કે બધા ગુનેગારો વિરુદ્વ સખત કાર્યવાહી કરવામાં આવે, જેમાં મૃત્યુદંડની સંભાવના પર પણ વિચાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 20 જુલાઇની સવારે બીભત્સ ઘટનામાં સામેલ એક આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. આરોપીની ઓળખ 32 વર્ષીય ખુયરૂમ હેરાદાસના રૂપમાં થઈ છે. પોલીસ તેને આરોપી બતાવી રહી છે. તેની થોઉબલ જિલ્લાથી ધરપકડ કરવામાં આવી છે.

શું છે મામલો?

પોલીસને આપવામાં આવેલી ફરિયાદમાં ગામના સરપંચે આ ઘટનાની આખી જાણકારી આપવામાં આવી છે. ફરિયાદ મુજબ, 4 મેના રોજ બપોરે 3:00 વાગ્યાની આસપાસ લગભગ 900-1000 લોકોની ભીડ તેમના ગામ બી. ફીનોમ આવી, જે સંભવતઃ મેતેઈ સંગઠનના લોકો હતા. તેમની પાસે ભારે માત્રામાં ઓટોમેટિક હથિયાર હતા. એ લોકો ગામના ઘરોમાં તોડફોડ અને લૂંટફાટ બાદ આગ લગાવી દીધી હતી. ભીડથી જીવ બચાવવા માટે 3 મહિલાઓ અને 2 પુરુષ જંગલ તરફ ભાગ્યા.

તેમને પોલીસની એક ટીમ બચાવીને પોલીસ સ્ટેશને લઈ જવા લાગી, પરંતુ એક ભીડે એ લોકોનો રસ્તો રોકી લીધો. હિંસક ભીડ પોલીસથી બળજબરીપૂર્વક આ પાંચ લોકોને છોડાવી લઈ ગઈ. પછી 56 વર્ષીય એક વ્યક્ત ભીડે મારી નાખ્યો. 21 વર્ષી, 42 વર્ષીય અને 52 વર્ષીય 3 મહિલાઓના કપડાં ફાડ્યા અને નિર્વસ્ત્ર કરીને જુલૂસ કાઢ્યું અને તેનો વીડિયો પણ બનાવ્યો. ત્યારબાદ આ ભીડ ધનના ખેતરો તરફ ગઈ, જ્યાં 21 વર્ષીય છોકરીનું તેના 19 વર્ષીય ભાઈ સામે ગેંગરેપ કરવામાં આવ્યો. ભાઈએ જ્યારે પોતાની બહેનને બચાવવાનો પ્રયાસ કર્યો તો તેની હત્યા કરી દેવામાં આવી. ત્યારબાદ 3 મહિલાઓ કેટલાક લોકોની મદદથી ત્યાંથી ભાગી ગઈ.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.