સુપ્રીમમાં CM શિંદેની 'મોટી' જીત, ઉદ્ધવે રાજીનામું ન આપ્યું હોત તો અત્યારે...

શિવસેના (ઉદ્ધવ જૂથ) વિરુદ્ધ શિવસેના (શિંદે જૂથ) વિવાદમાં, સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેન્ચે પોતાનો ચુકાદો આપ્યો. ઉદ્ધવ ઠાકરે જૂથને કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તેમની સરકાર પુનઃસ્થાપિત કરી શકાય નહીં, કારણ કે તેમણે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું હતું. આનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે, મહારાષ્ટ્રમાં CM શિંદેની સરકાર ચાલુ રહેશે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે, જૂની સ્થિતિ પુનઃસ્થાપિત કરી શકાતી નથી, ઉદ્ધવ ઠાકરેએ ફ્લોર ટેસ્ટનો સામનો કર્યો નથી. આવી સ્થિતિમાં, તેઓ પુનઃસ્થાપિત કરી શકાતા નથી. એટલે કે ઉદ્ધવ ઠાકરેએ સામેથી રાજીનામું ન આપ્યું હોત તો તેમના પક્ષમાં આજે નિર્ણય આવી શકે તેમ હતો.

જોકે, સુપ્રીમ કોર્ટે રાજ્યપાલના ફ્લોર ટેસ્ટને ખોટો ઠેરાવ્યો હતો. કોર્ટે કહ્યું કે, ઉદ્ધવ ઠાકરેએ ફ્લોર ટેસ્ટનો સામનો કર્યો નથી. તેમણે રાજીનામું આપ્યું હતું. આવી સ્થિતિમાં કોર્ટ રાજીનામું તો રદ કરી શકે નહીં. સાથે જ કોર્ટે કહ્યું કે, સ્પીકરે અયોગ્યતાના મામલાને સમય મર્યાદામાં ઉકેલવો જોઈએ.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, વિધાનસભ્ય પક્ષ વ્હીપની નિમણૂક કરે છે એવું માનવું એ રાજકીય પક્ષની નાળને તોડવાનું છે. કોર્ટે કહ્યું કે, આનો અર્થ એ છે કે, ધારાસભ્યોનું જૂથ રાજકીય પક્ષથી અલગ થઈ શકે છે. પાર્ટી દ્વારા વ્હીપની નિમણૂક 10મી અનુસૂચિ માટે મહત્વપૂર્ણ છે. કોર્ટે કહ્યું કે, સ્પીકરે માત્ર રાજકીય પક્ષ દ્વારા નિયુક્ત વ્હીપને જ માન્યતા આપવી જોઈએ. સ્પીકરે ગોગાવલેને વ્હીપની માન્યતા ન આપવી જોઈતી હતી. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે, ગોગાવાલે (શિંદે જૂથ દ્વારા સમર્થિત) ને શિવસેના-પાર્ટી વ્હીપ તરીકે નિયુક્ત કરવાનો સ્પીકરનો નિર્ણય ગેરકાયદેસર હતો.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, CM શિંદેના નિવેદનની નોંધ લીધા બાદ, સ્પીકરે વ્હીપ કોણ છે તે ઓળખવાનું કામ કર્યું નથી. તેઓએ તપાસ કરવી જોઈતી હતી. ગોગાવાલેને મુખ્ય દંડક તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય ગેરકાયદેસર હતો. વ્હીપની નિમણૂક માત્ર વિધાયક રાજકીય પક્ષ કરી શકે છે. CJIએ કહ્યું કે, ચૂંટણી પંચને પ્રતીકના આદેશનો નિર્ણય લેવાથી રોકી રાખવાનું એ ચૂંટણી પંચ સમક્ષની કાર્યવાહીને અનિશ્ચિત સમય માટે અટકાવવા સમાન છે. ઉપરાંત, સ્પીકર માટે નિર્ણય લેવાનો સમય અનિશ્ચિત હશે. ECI ચૂંટણી પ્રક્રિયા પર દેખરેખ અને નિયંત્રણ ધરાવે છે. તેને લાંબા સમય સુધી બંધારણીય ફરજ બજાવતા રોકી શકાય નહીં.

કોર્ટે કહ્યું કે, સ્પીકર સમક્ષ અયોગ્યતાની કાર્યવાહી પર ECI સમક્ષની કાર્યવાહી પર સ્ટે મૂકી શકાય નહીં. જો ગેરલાયકાતનો નિર્ણય ECIના નિર્ણયને બાકી હોય અને ECIનો નિર્ણય પૂર્વનિર્ધારિત હશે અને કાયદાની વિરુદ્ધ હશે. CJIએ કહ્યું કે, અમે આદેશમાં રાજ્યપાલની ભૂમિકા વિશે પણ વિગતવાર લખ્યું છે. કારણ કે અરજદારે રાજ્યપાલની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે. રાજ્યપાલે કહ્યું હતું કે, એક જૂથ શિવસેના છોડી શકે છે, અવિશ્વાસ પ્રસ્તાવ વિધાનસભામાં નહોતો. કારણ કે તે વખતે વિધાનસભા ચાલી રહી ન હતી.

કોર્ટે કહ્યું કે, રાજ્યપાલ સમજી શક્યા નથી કે, ઉદ્ધવ ઠાકરેએ બહુમતી ગુમાવી દીધી છે. રાજ્યપાલ સમક્ષ એવો કોઈ દસ્તાવેજ ન હતો, જેમાં એવું કહેવામાં આવ્યું હોય કે, તેઓ સરકારને પડાવવા માગે છે. ફક્ત સરકારના અમુક નિર્ણયોમાં જ મતભેદ હતા. રાજ્યપાલને CM શિંદે અને સમર્થક ધારાસભ્યોની સુરક્ષા અંગેનો પત્ર મળ્યો હતો. રાજ્યપાલે આ પત્ર પર વિશ્વાસ ન કરવો જોઈએ. કારણ કે સરકાર બહુમતમાં નથી એવું ક્યાંય કહેવાયું નથી.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.