દેશની ચૂંટણી જીતવા ઇઝરાયલની મદદ લે છે PM મોદી, તપાસ કરાવવામાં આવે: કોંગ્રેસ

કોંગ્રેસે ગુરુવારે કહ્યું કે, ભારતની ચૂંટણીમાં દખલઅંદાજી કરવા માટે એક ઇઝરાયલી કંપનીનો ઉપયોગ કરવાના મામલે તપાસ કરાવવામાં આવે અને તેના પર સરકાર પોતાનું મૌન તોડે. પાર્ટીના પ્રવક્તા પવન ખેડા અને સુપ્રિયા શ્રીનેતે સંવાદદાતાઓ સાથે વાતચીતમાં ઇઝરાયલી એકાઇ ‘ટીમ જોર્જ’ અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના IT સેલનો ઉલ્લેખ કરતા દાવો કર્યો કે દેશના મતદાતાઓને પ્રભાવિત કરવા માટે દૂષ્પ્રચાર અને નકલી સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે.

તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે, ભારતના નાગરિકોના ડેટા સાથે પણ ડીલ થઇ રહી છે. પવન ખેડાએ દાવો કર્યો કે, ‘ભારતના લોકતંત્રને ભારતની સત્તાધારી પાર્ટી દ્વારા હાઇજેક કરવામાં આવી રહ્યું છે. દેશના લોકતંત્રને પ્રભાવિત કરવા માટે ઇઝરાયલની એજન્સીની મદદ લેવામાં આવી રહી છે. તે ભારતમાં બેસીને બીજા દેશો સાથે મળીને ભારતના લોકતંત્ર વિરુદ્ધ ષડયંત્ર રચી રહી છે. સુપ્રિયા સુનેતે સવાલ કર્યો કે, ઇઝરાયલી કંપની 30 ચૂંટણીઓમાં હેરાફેરી કરે છે, તેમાં ભારત પણ સામેલ છે, પરંતુ મોદી સરકાર મૌન છે?

પેગાસસ પર મોદી સરકાર કેમ કંઇ ન બોલી? જે નકલી સમાચાર ફેલાવામાં આવે છે, તેમાં ભાજપનો IT સેલ અને તેના તથાકથિત પાર્ટનરનો કેટલો હાથ છે? સરકારે આ અંગે પોતાનું મૌન તોડવું જોઇએ. કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે, ગત દિવાસોમ ભારત જોડો યાત્રા દરમિયા ભાજપના IT સેલે જુઠ્ઠાણું ફેલાવ્યું કે, પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવનારી છોકરી રાહુલ ગાંધીને મળી. આ પ્રકારે રાહુલ ગાંધીનું એક નિવેદન ખોટી રીતે ઉદયપુર હત્યાકાંડ સાથે જોડીને ચલાવવામાં આવ્યું.

કોંગ્રેસ પ્રવક્તાઓએ આરોપ લગાવ્યો કે, નાગાલેન્ડના વિકાસ પર ભાજપના ઊંચા દાવા જમીની હકીકતથી એકદમ અલગ છે અને તે પૂર્વોત્તર રાજ્ય અત્યારે પણ વ્યાપક બેરોજગારી સિવાય સારા રસ્તા, વીજળી અને પાણીના પુરવઠાની કમીથી ઝઝૂમવું પડી રહ્યું છે. તેમણે બુધવારે સંવાદદાતાઓ સાથે વાતચીતમાં કહ્યું કે, રાજ્યના બે મોટા શહેર દીમાપુર અને કોહિમા અત્યારે પણ અનિયમિત વીજળી, જળ પુરવઠો અને ખરાબ રસ્તાથી ઝઝૂમી રહ્યા છે જ્યારે રાજ્યના બાકી શહેરોની સ્થિતિ હજુ વધારે ખરાબ છે અને યુવાઓ પાસે રોજગાર નથી.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.