જેટલી કોંગ્રેસની સંપત્તિ હશે, તેનાથી બે ગણો આપવો પડી શકે છે ટેક્સ,સમજો આખો મામલો

કોંગ્રેસના અસ્તિત્વના સંકટનો સામનો કરવો પડી શકે છે કેમ કે આવકવેરા વિભાગ, પાર્ટી પાસે તેમની કુલ સંપત્તિ (લગભગ 1430 કરોડ રૂપિયા)ની તુલનામાં લગભગ બેગણી ધનરાશિ બાકી ટેક્સ તરીકે ચૂકવણી કરવાનું કહી શકે છે. કોંગ્રેસે શુક્રવારે જણાવ્યું કે, તેને 5 નાણાકીય વર્ષ (ઍસેસમેન્ટ યર કે મૂલ્યાંકન વર્ષ) માટે 1,823 કરોડ રૂપિયાનો ટેક્સ ભરવાની નોટિસ આપવામાં આવી છે. પાર્ટીને હવે વધુ 3 મૂલ્યાંકન વર્ષો માટેની નોટિસ મોકલવાની છે. મીડિયા રિપોર્ટ મુજબ, 31 માર્ચ અગાઉ બાકી નોટિસ આપ્યા બાદ કોંગ્રેસ પાસે વસૂલવાની કુલ રકમ 2,500 કરોડ રૂપિયા પાર કરી શકે છે.

એ કોંગ્રેસ માટે અત્યાર સુધીની સૌથી મોટો પડકાર હોય શકે છે કેમ કે પાર્ટીની કુલ સંપત્તિ 1,430 કરોડ રૂપિયા છે, જ્યારે બાકી ટેક્સની રકમ 2,500 કરોડ રૂપિયા છે. મૂલ્યાંકન વર્ષ 2023-24 માટે પોતાના નવીનતમ IT રિટર્નમાં કોંગ્રેસે કહ્યું હતું કે, તેની પાસે લગભગ 657 કરોડ રૂપિયાનો કોષ, 340 કરોડ રૂપિયાની શુદ્ધ સંપત્તિ અને 388 કરોડ રૂપિયાની રોકડ અને રોકડ સમકક્ષ છે. કુલ મળાવીને 1,430 કરોડ રૂપિયા.

કેવી રીતે ચૂકવશે રકમ?

સક્ષેપમાં કહીએ તો કોંગ્રેસ દેવાળું થયા બાદ પણ 2,500 કરોડ રૂપિયાની એટલી રકમ ન ચૂકવી શકે કેમ કે આ રકમ તેના નેટવર્થથી ઘણી વધારે છે. આવકવેરા વિભાગની વસૂલી પર રોક લગાવવા માટે માગવામાં આવેલી રકમની 20 ટકા ચૂકવણી કરવાનો વિકલ્પ આપે છે. કોંગ્રેસે 7 વર્ષના રિટર્નના પુનર્મૂલ્યાંકનના સંબંધમાં દિલ્હી હાઇ કોર્ટ તરફથી કોઈ રાહત ન મળી. આ અઠવાડિયાની શરૂઆતમાં તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી. એક સરકારી અધિકારીએ કહ્યું કે, કોંગ્રેસે ગયા અઠવાડિયે સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં એક પ્રેસ કોન્ફરન્સ કરી કેમ કે તેમને આ 7 વર્ષો માટે ભારે માગ નોટિસની આશંકા હતી.

આવકવેરા વિભાગના પગલાંને રોકવા માટે કોંગ્રેસ હવે સુપ્રીમ કોર્ટ જશે. અત્યાર સુધી કોંગ્રેસને નાણાકીય વર્ષ 1993-94, 2016-17, 2017-18, 2018-19 અને વર્ષ 2019-20 માટે IT ડિમાન્ડ નોટિસ મળી છે. સૌથી ભારે માગ 2018-19 માટે 918 કરોડ રૂપિયાની છે. એ દેશાં વર્ષ 2019નું ચૂંટણી વર્ષ પણ હતું. આવકવેરા વિભાગ આગામી દિવસોમાં મૂલ્યાંકન વર્ષ 2014-15, 2015-16 અને વર્ષ 2020-21 માટે કોંગ્રેસને 3 અને નોટિસ જાહેર કરવાની તૈયારીમાં છે.

આ આખી કાર્યવાહી આવકવેરા વિભાગ દ્વારા કોંગ્રેસને 520 કરોડ રૂપિયાની રોકડ ચૂકવણી બાબતે વર્ષ 2019માં 2 કોર્પોરેટ્સ પર છાપેમારી દરમિયાન મળેલા તથ્યના આધાર પર કરવામાં આવી રહી છે. આવકવેરા વિભાગે જણાવ્યું કે, એટલે કોંગ્રેસ આવકવેરા અધિનિયમની કલમ 13(A) હેઠળ પોતાની આવક પર ટેક્સની ચૂકવણી કરવાની છૂટનો દાવો નહીં કરી શકે કેમ કે પ્રાવધાનોનું ઉલ્લંઘન થયું છે. આવકવેરા વિભાગે મૂલ્યાંકન વર્ષ 2018-19 માટે IT રિટર્નમાં ઉલ્લંઘન માટે કોંગ્રેસના બેંક ખાતાઓમાંથી 135 કરોડ રૂપિયા પહેલા જ વસૂલી લીધા છે.

About The Author

Related Posts

Top News

શું સત્તા ગુમાવ્યા પછી TMC તૂટવા લાગી? પહેલા મોટા વિરોધ પ્રદર્શનમાં ફક્ત 35 MLA જ આવ્યા!

2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર પછી, તૃણમૂલ કોંગ્રેસ (TMC) હવે પોતાને વિપક્ષ તરીકે ફરીથી રજૂ કરવાનો...
National 
શું સત્તા ગુમાવ્યા પછી TMC તૂટવા લાગી? પહેલા મોટા વિરોધ પ્રદર્શનમાં ફક્ત 35 MLA જ આવ્યા!

અફઘાનિસ્તાન સામે સીરિઝમાં ટીમ ઈન્ડિયાને લઇને એવા 5 નિર્ણયો, જેને કારણ થઇ રહ્યો છે હોબાળો

ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થાય અને વિવાદ ન થાય એવું બને જ નહીં. મંગળવારે, અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ અને ODI ...
Sports 
અફઘાનિસ્તાન સામે સીરિઝમાં ટીમ ઈન્ડિયાને લઇને એવા 5 નિર્ણયો, જેને કારણ થઇ રહ્યો છે હોબાળો

એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શું ચાલી રહ્યું છે?

મહારાષ્ટ્રમાં રાજકારણમાં ફરી એક વખત ગતિવિધિઓ તેજ થઇ ગઇ છે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (UBT) ના સાંસદો અને એકનાથ...
Politics 
એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શું ચાલી રહ્યું છે?

સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી કેમ ટ્રેન્ડ થઇ રહી છે?

ભારતમાં રાજકીય પાર્ટી બનવી એ કોઇ નવાઇની વાત નથી પરંતુ સોશિયલ મીડિયમાં એક રાજકીય પાર્ટી જબરદસ્ત ચર્ચાનો વિષય બની છે....
National 
સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી કેમ ટ્રેન્ડ થઇ રહી છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.