‘એ રાહુલ ગાંધીને મેં મારી નાખ્યો’ ભારત જોડો યાત્રામાં આ શું બોલ્યા કોંગ્રેસ નેતા

દિલ્હી અને ઉત્તર પ્રદેશના રસ્તે ભારત જોડો યાત્રા ફરી એક વખત હરિયાણામાં પહોંચી ચૂકી છે. કોંગ્રેસની આ યાત્રાના 118માં દિવસે રાહુલ ગાંધીએ હરિયાણામાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પોતાની બાબતે પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તમારા મનમાં જે રાહુલ ગાંધી છે, તેને મેં મારી દીધો છે. ઠંડીમાં માત્ર ટી-શર્ટ પહેરવાના કારણે કોઇ તેની બાબતે શું વિચારે છે, તેનાથી તેમને કોઇ ફરક પડતો નથી. ભારત જોડો યાત્રા સાંજે હરિયાણાના કુરુક્ષેત્રમાં પહોંચી હતી.

કુરુક્ષેત્રમાં રાહુલ ગાંધીએ બ્રહ્મ સરોવર પર આરતી કરી હતી. આ યાત્રામાં કડકડતી ઠંડી છતા ટી-શર્ટ પહેરવાને લઇને પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે, મને ફરક પડતો નથી કે કોઇ મારી બાબતે શું વિચારી રહ્યું છે. હું તપસ્વી હતો, અત્યારે પણ છું. પછી તે સકારાત્મક હોય કે નકારાત્મક. મારા પર કોઇ પ્રભાવ પડતો નથી અને હું પોતાનું કામ કરી રહ્યો છું. આ દેશ તપસ્વીઓનો છે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે, શિયાળાના સમયમાં ટી-શર્ટ પહેરવાને લઇને તેને પોતાના માતા સોનિયા ગાંધીનું સંભાળવું પડ્યું.

રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, હાથનું નિશાન કે કોંગ્રેસ પાર્ટીનું ચિહ્ન છે, એ અભય મુદ્રા છે. ગૌતમ બુદ્વ, ભગવાન મહાવીર અને ગુરુનાનક પણ આ મુદ્રામાં જોવા મળતા હતા. ભગવાન શિવની ઓળખ છે, જે એક તપસ્વી સમજી શકે છે. રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાથી તેને જોડતા કહ્યું કે, તમને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની તપસ્યા દેખાઇ રહી છે. ભારતનો એક મજૂર કે ખેડૂત નથી, જે મારાથીન વધારે ચાલી રહ્યા છે, પરંતુ ચર્ચા માત્ર મારી થઇ રહી છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, તેઓ પોતાનું કામ કરી રહ્યા છે જેમ કે ગીતમાં કહ્યું છે કર્મ કરો, ફળની ચિંતા ન કરો. ભાજપ પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, ભાજપ તેની પૂજા કરાવી રહી છે, જ્યારે કોંગ્રેસ તપસ્વી પાર્ટી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્યારે અર્જૂને માછલીની આંખ પર નિશાનો સાધ્યો તો તેમણે એ ન જણાવ્યું કે તેઓ આગળ શું કરશે, ગીતામાં પણ કહેવામાં આવ્યું છે કે પોતાનું કામ કરો. યાત્રાનું લક્ષ્ય ભાજપના વિભાજનકારી એજન્ડા વિરુદ્ધ છે અને આ રાજનૈતિક યાત્રા નથી, પરંતુ લોકોને જોડવા માટે છે. આ વિચારધારની યાત્રા છે. ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, ભાજપ બળજબરીપૂર્વક લોકો પર પોતાની પૂજા થોપી રહી છે એટલે વડાપ્રધાન કોઇ સાથે વાતચીત કરવા આવતા નથી.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.