સાબરમતી એક્સપ્રેસના 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, પાટા પર પથ્થર ક્યાંથી આવ્યો?

ઉત્તર પ્રદેશના કાનપુર નજીક આજે સવારે 2.35 વાગ્યે સાબરમતી એક્સપ્રેસ (ટ્રેન નંબર 19168) પાટા પરથી ઉતરી ગઈ હતી. તેનું એન્જિન પાટા પર મૂકેલી કોઈ વસ્તુ સાથે અથડાયું અને પાટા પરથી ઉતરી ગયું. આ પછી, અકસ્માતને લઈને અનેક પ્રકારની અટકળો શરૂ થઈ. એવું કહેવામાં આવ્યું હતું કે,  એન્જિનની આગળ તેની સાથે જોઈન્ટ થયેલું કેટલગાર્ડ કોઈ ભારે વસ્તુ સાથે અથડાયા પછી તૂટી ગયો હતો. જેના કારણે સાબરમતી એક્સપ્રેસના 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે IBને આ સમગ્ર અકસ્માતની તપાસ કરવા જણાવ્યું છે. આટલો મોટો પથ્થર રેલવે ટ્રેક સુધી કેવી રીતે પહોંચ્યો તેની તપાસ થશે.

દુર્ઘટના પછી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે 'સાબરમતી એક્સપ્રેસ (વારાણસીથી અમદાવાદ)નું એન્જિન આજે સવારે 02.35 વાગ્યે કાનપુર નજીક ટ્રેક પર મૂકેલી કોઈ ભારે વસ્તુ સાથે અથડાયું અને પાટા પરથી ઉતરી ગયું. તેના પર જોરદાર થયેલી ટક્કરનાં નિશાન મળી આવ્યા છે. પુરાવા સુરક્ષિત રાખવામાં આવ્યા છે. IB અને UP પોલીસ પણ આ અંગે કામ કરી રહી છે. મુસાફરોને કે સ્ટાફને કોઈ ઈજા થઈ ન હતી. મુસાફરોને આગળની અમદાવાદ સુધી વધુ મુસાફરી કરવા માટે બીજી ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી.'

જ્યારે સાબરમતી એક્સપ્રેસના પાટા પરથી ઉતરી જવાની ઘટના અંગે ઉત્તર મધ્ય રેલવેના CPRO શશિકાંત ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, 'બનારસથી અમદાવાદ જઈ રહેલી ટ્રેન નંબર 19168- સાબરમતી એક્સપ્રેસ કાનપુર નજીક ટ્રેનના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી નથી. તમામ મુસાફરોને કાનપુર સ્ટેશન પર પાછા લઈ જવામાં આવ્યા હતા, આ માટે કેટલીક બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને લઈ જવા માટે એક વિશેષ ટ્રેન મોકલવામાં આવી છે. કાનપુર-ઝાંસી રૂટ ખોરવાઈ ગયો છે અને આ રૂટ પરની તમામ ટ્રેનોને ડાયવર્ટ કરીને બદલાયેલા રૂટ પર ચલાવવામાં આવી રહી છે.'

જ્યારે સાબરમતી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જવાની ઘટના પર ઉત્તર મધ્ય રેલવેના જનરલ મેનેજર ઉપેન્દ્ર ચંદ્ર જોશીએ કહ્યું કે, 'આ અકસ્માતનું સાચું કારણ તપાસ પછી જ જાણી શકાશે. મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન પર લઈ જવામાં આવ્યા છે. અમે અહીં કેટલીક બસોની વ્યવસ્થા કરી હતી. રેલવેની ટીમ સ્થળ પર હાજર છે. અમે ટ્રેક રિસ્ટોરેશનનું કામ શરૂ કરી રહ્યા છીએ.'

About The Author

Related Posts

Top News

દેશની એકમાત્ર ટ્રેન જે નાસ્તાથી લઈ રાત્રિભોજન સુધી બધું મફતમાં પીરસે છે, 6 જગ્યાએ લંગર લાગે છે

ભારતીય રેલ્વે દરરોજ લગભગ 2.5 કરોડ લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. સ્વાભાવિક છે કે, આટલી મોટી...
National 
દેશની એકમાત્ર ટ્રેન જે નાસ્તાથી લઈ રાત્રિભોજન સુધી બધું મફતમાં પીરસે છે, 6 જગ્યાએ લંગર લાગે છે

ટાઇટેનિક જહાજની ભવિષ્યવાણી લખેલો 113 વર્ષ જૂનો પત્ર 3,14,00,000 રૂપિયામાં વેચાયો

આજે પણ 15 એપ્રિલ, 1912ની કાળી તારીખ યાદ કરીને આત્મા કંપી ઉઠે છે. આ દિવસે, વિશાળ ટાઇટેનિક...
Offbeat 
ટાઇટેનિક જહાજની ભવિષ્યવાણી લખેલો 113 વર્ષ જૂનો પત્ર 3,14,00,000 રૂપિયામાં વેચાયો

IPL ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ટોચના 5 બેટ્સમેન,14 વર્ષના આ ખેલાડીએ વિશ્વ ક્રિકેટમાં મચાવી હડકંપ

રાજસ્થાન રોયલ્સનો 14 વર્ષીય અદ્દભુત ખેલાડી વૈભવ સૂર્યવંશીએ IPL 2025માં ગુજરાત ટાઇટન્સ સામે માત્ર 35 બોલમાં પોતાની પહેલી IPL સદી...
Sports 
IPL ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ટોચના 5 બેટ્સમેન,14 વર્ષના આ ખેલાડીએ વિશ્વ ક્રિકેટમાં મચાવી હડકંપ

ભારતમાં રહીએ તો કાયદો માનવો પડશે, ઇસ્લામ બળવાની મંજૂરી નથી આપતું: મૌલાના સાદ

હરિયાણામા નુંહમાં તાજેતરમાં તબલીગી જમાતની ધર્મસભાં કાંઘલવી તબલીગી જમાતના પ્રમુખ મૌલાના સાદે ઘણી મહત્ત્વની વાત કરી હતી. તેમણે કહ્યું કે...
National 
ભારતમાં રહીએ તો કાયદો માનવો પડશે, ઇસ્લામ બળવાની મંજૂરી નથી આપતું: મૌલાના સાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.