સાબરમતી એક્સપ્રેસના 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, પાટા પર પથ્થર ક્યાંથી આવ્યો?

ઉત્તર પ્રદેશના કાનપુર નજીક આજે સવારે 2.35 વાગ્યે સાબરમતી એક્સપ્રેસ (ટ્રેન નંબર 19168) પાટા પરથી ઉતરી ગઈ હતી. તેનું એન્જિન પાટા પર મૂકેલી કોઈ વસ્તુ સાથે અથડાયું અને પાટા પરથી ઉતરી ગયું. આ પછી, અકસ્માતને લઈને અનેક પ્રકારની અટકળો શરૂ થઈ. એવું કહેવામાં આવ્યું હતું કે,  એન્જિનની આગળ તેની સાથે જોઈન્ટ થયેલું કેટલગાર્ડ કોઈ ભારે વસ્તુ સાથે અથડાયા પછી તૂટી ગયો હતો. જેના કારણે સાબરમતી એક્સપ્રેસના 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે IBને આ સમગ્ર અકસ્માતની તપાસ કરવા જણાવ્યું છે. આટલો મોટો પથ્થર રેલવે ટ્રેક સુધી કેવી રીતે પહોંચ્યો તેની તપાસ થશે.

દુર્ઘટના પછી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે 'સાબરમતી એક્સપ્રેસ (વારાણસીથી અમદાવાદ)નું એન્જિન આજે સવારે 02.35 વાગ્યે કાનપુર નજીક ટ્રેક પર મૂકેલી કોઈ ભારે વસ્તુ સાથે અથડાયું અને પાટા પરથી ઉતરી ગયું. તેના પર જોરદાર થયેલી ટક્કરનાં નિશાન મળી આવ્યા છે. પુરાવા સુરક્ષિત રાખવામાં આવ્યા છે. IB અને UP પોલીસ પણ આ અંગે કામ કરી રહી છે. મુસાફરોને કે સ્ટાફને કોઈ ઈજા થઈ ન હતી. મુસાફરોને આગળની અમદાવાદ સુધી વધુ મુસાફરી કરવા માટે બીજી ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી.'

જ્યારે સાબરમતી એક્સપ્રેસના પાટા પરથી ઉતરી જવાની ઘટના અંગે ઉત્તર મધ્ય રેલવેના CPRO શશિકાંત ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, 'બનારસથી અમદાવાદ જઈ રહેલી ટ્રેન નંબર 19168- સાબરમતી એક્સપ્રેસ કાનપુર નજીક ટ્રેનના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી નથી. તમામ મુસાફરોને કાનપુર સ્ટેશન પર પાછા લઈ જવામાં આવ્યા હતા, આ માટે કેટલીક બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને લઈ જવા માટે એક વિશેષ ટ્રેન મોકલવામાં આવી છે. કાનપુર-ઝાંસી રૂટ ખોરવાઈ ગયો છે અને આ રૂટ પરની તમામ ટ્રેનોને ડાયવર્ટ કરીને બદલાયેલા રૂટ પર ચલાવવામાં આવી રહી છે.'

જ્યારે સાબરમતી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જવાની ઘટના પર ઉત્તર મધ્ય રેલવેના જનરલ મેનેજર ઉપેન્દ્ર ચંદ્ર જોશીએ કહ્યું કે, 'આ અકસ્માતનું સાચું કારણ તપાસ પછી જ જાણી શકાશે. મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન પર લઈ જવામાં આવ્યા છે. અમે અહીં કેટલીક બસોની વ્યવસ્થા કરી હતી. રેલવેની ટીમ સ્થળ પર હાજર છે. અમે ટ્રેક રિસ્ટોરેશનનું કામ શરૂ કરી રહ્યા છીએ.'

Top News

સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

સામાન્ય રીતે એવી છાપ છે કે ભારતીય આર્મીમાં ગુજરાતીઓ જોડાતા નથી, ગુજરાતીઓને માત્ર બિઝનેસમાં જ રસ છે. પરંતુ ઓપરેશન...
Gujarat 
સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.