પરિવારથી અલગ રહેવાની પત્ની દ્વારા સતત જિદ્દ કરવી પતિ પ્રત્યે ક્રૂરતા: હાઇ કોર્ટ

દિલ્હી હાઇ કોર્ટે કહ્યું છે કે, કોઈ ઉચિત કારણ વિના સાસરીયાના લોકોથી અલગ રહેવાની પત્નીની સતત જિદ્દ પતિ માટે યાતનાપૂર્ણ અને ક્રૂર હરકત છે. જસ્ટિસ સુરેશ કુમાર કૈત અને જસ્ટિસ નીના બંસલ કૃષ્ણની બેન્ચે અલગ રહેતા દંપતીને છૂટાછેડા આપતા કહ્યું કે, પશ્ચિમી દેશો વિરુદ્ધ ભારતમાં એ સામાન્ય વાત નથી કે દીકરો પોતાના પરિવારથી અલગ થઈ જાય. સામાન્ય રીતે કોઈ પણ ઉચિત મજબૂત કારણ વિના તેને ક્યારેય આ વાત પર બહાર ન આપવો જોઈએ કે તેનો પતિ પરિવારથી દૂર થઈ જાય અને તેની સાથે અલગ રહે.

વર્તમાન કેસમાં પતિએ છૂટાછેડા આપવાની ના પાડવાના ફેમિલી કોર્ટના આદેશને પડકાર આપ્યો હતો. તેણે હિન્દુ મેરેજ એક્ટ હેઠળ ઘણા આધાર પર લગ્ન વિચ્છેદ કરવાની માગ કરી, જેમાં એ પણ સામેલ હતું કે પત્ની ઝગડાળું મહિલા હતી, જે સાસરીયામાં વધારે સન્માન કરતી નહોતી અને એ વાત પર ભાર આપતી હતી કે, તે (પતિ) પોતાના માતા-પિતાથી અલગ રહે. બેન્ચે હાલના આદેશમાં કહ્યું કે, સામાન્ય રીતે કોઈ પણ પતિ પોતાના માતા-પિતા અને પરિવારના અન્ય સભ્યોથી અલગ રહેવાનું સહન નહીં કરે અને ન તો ઇચ્છશે.

પ્રતિવાદી પત્ની દ્વારા અપીલકર્તાને પરિવારથી અલગ થવા માટે બાધ્ય કરવાનો સતત પ્રયાસ પતિ માટે યાતનાપૂર્ણ હશે અને ક્રૂરતાનું કૃત્ય માનવામાં આવશે. કોર્ટે કહ્યું કે, પ્રતિવાદી (પત્ની) અલગ રહેવાની જિદ્દ માટે કોઈ ઉચિત કારણ બતાવી શકી નથી. એકમાત્ર નિષ્કર્ષ કાઢી શકાય છે કે તે એ કે પરિવારના અન્ય સભ્યોથી અલગ રહેવાની જિદ્દ તેની મનમરજી હતી અને તેનું કોઈ ઉચિત કારણ નહોતું. આ પ્રકારની સતત જિદ્દને માત્ર ક્રૂરતાનું કૃત્ય જ કહી શકાય છે.

બેન્ચે ઉલ્લેખ કર્યો કે, સુપ્રીમ કોર્ટે એક નિર્ણયમાં કહ્યું કે, ભારતમાં એક હિન્દુ દીકરા માટે પોતાની પત્નીના કહેવા પર પોતાના માતા-પિતાથી અલગ થઈ જવું, એક સામાન્ય પરંપરા કે વાંછનીય સંસ્કૃતિ નથી. દીકરાઓનું નૈતિક અને કાયદાકીય દાયિત્વ છે કે તે પોતાના માતા-પિતા વૃદ્ધ થવા પર તેમની દેખરેખ કરે અને ભરણ-પોષણ કરે તેમજ જો તેની પત્ની સમાજમાં પ્રચલિત રીત-રિવાજથી હટવાનો પ્રયાસ કરે છે, તો તેમની પાસે તેના માટે કોઈ ઉચિત કારણ હોવું જોઈએ.

બેન્ચે કહ્યું કે, ભારતમાં સામાન્ય રીતે લોકો પશ્ચિમી વિચારધારાને માનતા નથી. જ્યાં લગ્ન થવા કે વયસ્ક થવા પર દીકરો પરિવારથી અલગ થઈ જાય છે. સામાન્ય પરિસ્થિતિઓમાં પત્ની પાસે અપેક્ષા કરવામાં આવે છે કે તે લગ્ન બાદ પતિના પરિવારનો હિસ્સો બને. કોર્ટે કહ્યું કે, ઘરનો કટુ માહોલ બંને પક્ષો માટે સૌહાર્દપૂર્ણ પરિણીત સંબંધ બનાવવા માટે અનુકૂળ માહોલ નહીં હોય શકે. વર્તમાન કેસમાં કેટલાક સમય દરમિયાન પત્નીના આચરણ સહિત પરિસ્થિતિઓ માનસિક ક્રૂરતાનો સ્ત્રોત બનવા માટે બાધ્ય છે.

બેન્ચે છૂટાછેડા મંજૂર કરતા કહ્યું કે, બંને પક્ષો વચ્ચે વર્ષ 2007 બાદ કોઈ પરિણીત સંબંધ નથી અને પત્નીએ નિવેદન આપ્યું કે તેનો અપીલકર્તા સાથે રહેવાનો કોઈ ઇરાદો નથી. મહિલાએ કહ્યું કે, કે જો વર્તમાન અપીલ સ્વીકાર કરવામાં આવે છે તો તેને કોઈ આપત્તિ નથી. આ પ્રકારે હિન્દુ મેરેજ એક્ટની કલમ 13 (F) (I-A) અને (I-B) હેઠળ ક્રૂરતા અને પરિત્યાગના આધાર પર અપીલકર્તા અને પ્રતિવાદી વચ્ચે લગ્ન સમાપ્ત કરવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.