અનંતના લગ્નમાં મજબૂત સિક્યોરિટી છતા, 2 અજાણ્યા લગ્ન જોવા પહોંચી ગયા પછી...

અનંત અંબાણીના લગ્નની વિધિ મુંબઈના જિયો કન્વેન્શન સેન્ટરમાં યોજાઈ હતી. આ સમારોહમાં PM નરેન્દ્ર મોદી ઉપરાંત દેશ-વિદેશની અનેક મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. આથી કન્વેન્શન સેન્ટરની સુરક્ષા પણ ખૂબ જ ચુસ્ત રાખવામાં આવી હતી. QR કોડ એન્ટ્રી અને વિવિધ રંગના રીસ્ટ બેન્ડથી લઈને રિઝર્વ મેડિકલ ટીમ સુધીની વ્યવસ્થા હતી. જો કે, તેમ છતાં બે લોકો બોલાવ્યા વિના અંદર પ્રવેશ્યા હતા. અહીં આપણે લગ્ન સમારોહમાં કરવામાં આવેલી કડક સુરક્ષા વ્યવસ્થા વિશે વાત કરીશું.

એક સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, કાર્ડ પ્રાપ્ત કર્યા પછી, મહેમાનોએ E-mail અથવા ગૂગલ ફોર્મ દ્વારા તેમનો પ્રતિસાદ આપવાનો હતો. આ પછી તેને એક મેસેજ આવ્યો. તેમાં લખ્યું હતું, 'અમને તમારો RSVP (પ્રતિસાદ) મળ્યો છે. અને અમે તમારું સ્વાગત કરવા આતુર છીએ. પ્રોગ્રામના 6 કલાક પહેલા QR કોડ શેર કરવામાં આવશે.'

કાર્યક્રમના સ્થળે પહોંચ્યા પછી મહેમાનોએ QR કોડ સ્કેન કરવાનો હતો. ત્યાર પછી જ તેમને અંદર જવાની પરવાનગી આપવામાં આવી હતી. ગેટ પર આવેલા તમામ મહેમાનોના કાંડા પર વિવિધ રંગીન કાગળના બેન્ડ બાંધવામાં આવ્યા હતા. આ રંગોના આધારે તેમને અલગ-અલગ ઝોનમાં જવાની મંજૂરી આપવામાં આવી હતી.

ઘણા ફિલ્મ સ્ટાર્સ અને ક્રિકેટરો તેમજ કોરિયન ઈલેક્ટ્રોનિક્સ જાયન્ટ સેમસંગ ઈલેક્ટ્રોનિક્સના ચેરમેન લી જે-યોંગ અને તેમની પત્ની જેવા બિઝનેસમેન પણ હાજર હતા. તેમણે 14મી જુલાઈના રોજ ગુલાબી રંગનું રિસ્ટબેન્ડ પહેર્યું હતું. અને 13 જુલાઈના રોજ લાલ રંગનો રિસ્ટબેન્ડ પહેર્યો હતો. વળી, ત્યાંના કર્મચારીઓએ પણ અલગ-અલગ રંગના રિસ્ટબેન્ડ પહેર્યા હતા. અહીં બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા હતી.

કટોકટીની પરિસ્થિતિ માટે પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. ઘણા હાઈપ્રોફાઈલ મહેમાનો માટે રિઝર્વ મેડિકલ ટીમો પણ ગોઠવવામાં આવી હતી. તબીબો અને પેરામેડિકલ સ્ટાફ તમામ ઇમરજન્સી સાધનો સાથે તૈયાર હતો. નજીકની હોસ્પિટલો માટે એમ્બ્યુલન્સ માટેના રૂટ પહેલેથી જ નક્કી કરવામાં આવ્યા હતા.

સમાચાર એજન્સીએ એક સૂત્રનો ઉલ્લેખ કરીને કહ્યું કે, આ વખતે કાર્ડ મેળવવા અને QR મોકલવા વચ્ચેનો સમય ઓછો કરવામાં આવ્યો છે. કારણ કે આવા કેટલાક QR કોડ પ્રી-વેડિંગમાં વેચી દેવામાં આવ્યા હતા. ત્યાર પછી કેટલાક લોકો આમંત્રિત કર્યા વિના પહોંચ્યા હતા.

આ વખતે પણ બે લોકો વગર આમંત્રણે પહોંચી ગયા હતા. બંને આંધ્રપ્રદેશથી મુંબઈ પહોંચ્યા હતા. આ હાઈપ્રોફાઈલ લગ્ન જોવા માટે જ બંને ખાસ આવ્યા હતા. જોકે, સુરક્ષા અધિકારીઓએ બંનેને પકડીને પોલીસને હવાલે કર્યા હતા. પોલીસે બંનેને કાયદેસરની કાર્યવાહી કર્યા પછી છોડી મૂક્યા હતા.

Related Posts

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.