દિગ્વિજય સિંહને મળ્યું શશિ થરૂરનું સમર્થન, બંને કોંગ્રેસ સામે પડ્યા છે

કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ CM દિગ્વિજય સિંહે સતત કોંગ્રેસ સંગઠનમાં રહેલી નબળાઈઓ પર પ્રકાશ પાડ્યો અને BJP-RSS સંગઠન વિશે મહત્વપૂર્ણ નિવેદનો આપીને ચર્ચામાં છવાઈ ગયા છે. કોંગ્રેસના જ ઘણા નેતાઓએ તેમના નિવેદનો પર સવાલ ઉઠાવ્યા છે, પરંતુ તિરુવનંતપુરમના કોંગ્રેસના સાંસદ શશી થરૂરે તેમનું સમર્થન કર્યું છે. શશી થરૂરે કહ્યું કે, કોઈપણ પક્ષમાં શિસ્ત જરૂરી હોય છે.

હકીકતમાં, કોંગ્રેસના સાંસદ અને પીઢ નેતા દિગ્વિજય સિંહ દ્વારા RSSની સંગઠનાત્મક શક્તિની પ્રશંસા કરવા પર કોંગ્રેસના સાંસદ શશી થરૂરનો વળતો જવાબ આવ્યો છે. શશી થરૂરે કહ્યું, 'હું પણ ઇચ્છું છું કે આપણું સંગઠન મજબૂત બને. આપણા સંગઠનમાં શિસ્ત હોવી જોઈએ. દિગ્વિજય સિંહ પોતે આ વિશે બોલી શકે છે.'

10

જોકે, થરૂરે BJP-RSS સંગઠનમાંથી શીખવાની વાત અંગે અલગ વલણ અપનાવ્યું છે. શશિ થરૂરે આ મુદ્દે કહ્યું, 'આપણો 140 વર્ષનો ઇતિહાસ છે, અને આપણે તેમાંથી ઘણું બધું શીખી શકીએ છીએ. આપણે આપણી પાસેથી પણ શીખી શકીએ છીએ. કોઈપણ પક્ષમાં શિસ્ત ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે.'

દિગ્વિજય સિંહના નિવેદન અંગે, થરૂરે કહ્યું, 'દિગ્વિજય સિંહ જે કંઈ પણ કહી રહ્યા છે, તે પોતાના વતી બોલી શકે છે, અને હું પણ ઇચ્છું છું કે આપણું સંગઠન વધુ મજબૂત અને શિસ્તબદ્ધ બને.'

08

અત્રે ઉલ્લેખનીય છે કે, શનિવારે, CWCની બેઠક શરૂ થાય તે પહેલાં, કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પોસ્ટ કરી હતી જેનાથી રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ હતી. તેમણે PM નરેન્દ્ર મોદીનો એક જૂનો ફોટો શેર કર્યો હતો, જેમાં PM નરેન્દ્ર મોદી લાલકૃષ્ણ અડવાણીના પગ પાસે બેઠેલા જોવા મળે છે.

કોંગ્રેસ સાંસદ દિગ્વિજય સિંહના નિવેદન પર વિવાદ વધી ગયો ત્યારે તેમણે સ્પષ્ટતા આપી હતી. તેમણે કહ્યું કે, ગાંધીના હત્યારાઓ પાસેથી કંઈ શીખવાની જરૂર નથી. તેમણે કહ્યું કે તેઓ જે કહેવા માંગતા હતા તે તેમણે પહેલેથી જ કહી દીધું છે, અને કોઈપણ ગેરસમજ દૂર કરતા, તેમણે ઉમેર્યું કે તેઓ હંમેશા કોંગ્રેસની વિચારધારા સાથે ઉભા રહ્યા છે.

About The Author

Related Posts

Top News

શું તમે પણ ફ્લાઇટમાં પાવર બેંક લઈ જાવ છો? તો આ સમાચાર તમારા માટે છે

એમિરેટ્સ એરલાઇન્સે ફ્લાઇટમાં પાવર બેંકના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ નિર્ણયે બધાને હેરાન કરી દીધા છે કારણ કે...
National 
શું તમે પણ ફ્લાઇટમાં પાવર બેંક લઈ જાવ છો? તો આ સમાચાર તમારા માટે છે

જાણી જોઇને ઉધાર ચૂકવી રહ્યા નથી 1629 વિલફૂલ ડિફોલ્ટર, લોન 162000Cr…, સરકારનો ખુલાસો

બેન્કો પાસેથી લોન લીધી... કારોબાર કર્યો... પૈસા પણ બનાવ્યા, પરંતુ ચૂકવવાનું મન નથી. હાં દેશની તમામ સરકારી બેન્કોના આવા...
Business 
જાણી જોઇને ઉધાર ચૂકવી રહ્યા નથી 1629 વિલફૂલ ડિફોલ્ટર, લોન 162000Cr…, સરકારનો ખુલાસો

શું ભારત કરતા કેનેડામાં મધ્યમ વર્ગના લોકોનું જીવન સારું છે? ત્યાં રહેતા એક ભારતવાસીએ આ કારણો શેર કર્યા

કેનેડામાં રહેતા એક ભારતીય યુવાનનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી રહ્યો છે. યુવકનો દાવો છે કે, ...
World 
શું ભારત કરતા કેનેડામાં મધ્યમ વર્ગના લોકોનું જીવન સારું છે? ત્યાં રહેતા એક ભારતવાસીએ આ કારણો શેર કર્યા

કયા રાજ્યના CM પર છે સૌથી વધુ ક્રિમિનલ કેસ, કોણ છે સૌથી અમીર મુખ્યમંત્રી? જાણીને રહી જશો હેરાન

ચૂંટણી અધિકાર સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના તાજેતરના રિપોર્ટ મુજબ, તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી સામે સૌથી વધુ...
National 
કયા રાજ્યના CM પર છે સૌથી વધુ ક્રિમિનલ કેસ, કોણ છે સૌથી અમીર મુખ્યમંત્રી? જાણીને રહી જશો હેરાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.