દિગ્વિજય સિંહને મળ્યું શશિ થરૂરનું સમર્થન, બંને કોંગ્રેસ સામે પડ્યા છે

કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ CM દિગ્વિજય સિંહે સતત કોંગ્રેસ સંગઠનમાં રહેલી નબળાઈઓ પર પ્રકાશ પાડ્યો અને BJP-RSS સંગઠન વિશે મહત્વપૂર્ણ નિવેદનો આપીને ચર્ચામાં છવાઈ ગયા છે. કોંગ્રેસના જ ઘણા નેતાઓએ તેમના નિવેદનો પર સવાલ ઉઠાવ્યા છે, પરંતુ તિરુવનંતપુરમના કોંગ્રેસના સાંસદ શશી થરૂરે તેમનું સમર્થન કર્યું છે. શશી થરૂરે કહ્યું કે, કોઈપણ પક્ષમાં શિસ્ત જરૂરી હોય છે.

હકીકતમાં, કોંગ્રેસના સાંસદ અને પીઢ નેતા દિગ્વિજય સિંહ દ્વારા RSSની સંગઠનાત્મક શક્તિની પ્રશંસા કરવા પર કોંગ્રેસના સાંસદ શશી થરૂરનો વળતો જવાબ આવ્યો છે. શશી થરૂરે કહ્યું, 'હું પણ ઇચ્છું છું કે આપણું સંગઠન મજબૂત બને. આપણા સંગઠનમાં શિસ્ત હોવી જોઈએ. દિગ્વિજય સિંહ પોતે આ વિશે બોલી શકે છે.'

10

જોકે, થરૂરે BJP-RSS સંગઠનમાંથી શીખવાની વાત અંગે અલગ વલણ અપનાવ્યું છે. શશિ થરૂરે આ મુદ્દે કહ્યું, 'આપણો 140 વર્ષનો ઇતિહાસ છે, અને આપણે તેમાંથી ઘણું બધું શીખી શકીએ છીએ. આપણે આપણી પાસેથી પણ શીખી શકીએ છીએ. કોઈપણ પક્ષમાં શિસ્ત ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે.'

દિગ્વિજય સિંહના નિવેદન અંગે, થરૂરે કહ્યું, 'દિગ્વિજય સિંહ જે કંઈ પણ કહી રહ્યા છે, તે પોતાના વતી બોલી શકે છે, અને હું પણ ઇચ્છું છું કે આપણું સંગઠન વધુ મજબૂત અને શિસ્તબદ્ધ બને.'

08

અત્રે ઉલ્લેખનીય છે કે, શનિવારે, CWCની બેઠક શરૂ થાય તે પહેલાં, કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પોસ્ટ કરી હતી જેનાથી રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ હતી. તેમણે PM નરેન્દ્ર મોદીનો એક જૂનો ફોટો શેર કર્યો હતો, જેમાં PM નરેન્દ્ર મોદી લાલકૃષ્ણ અડવાણીના પગ પાસે બેઠેલા જોવા મળે છે.

કોંગ્રેસ સાંસદ દિગ્વિજય સિંહના નિવેદન પર વિવાદ વધી ગયો ત્યારે તેમણે સ્પષ્ટતા આપી હતી. તેમણે કહ્યું કે, ગાંધીના હત્યારાઓ પાસેથી કંઈ શીખવાની જરૂર નથી. તેમણે કહ્યું કે તેઓ જે કહેવા માંગતા હતા તે તેમણે પહેલેથી જ કહી દીધું છે, અને કોઈપણ ગેરસમજ દૂર કરતા, તેમણે ઉમેર્યું કે તેઓ હંમેશા કોંગ્રેસની વિચારધારા સાથે ઉભા રહ્યા છે.

About The Author

Related Posts

Top News

શું પરિવાર તરફથી ગિફ્ટમાં મળેલી મિલકત પર ટેક્સ આપવો પડે? ટ્રીબ્યુનલનો ચુકાદો જાણો

દિલ્હીની ઇન્કમટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. હિંદુ ફેમીલી સેટલમેન્ટ હેઠળ ગિફ્ટ આપવામાં આવેલી મિલ્કત ટ્રાન્સફરની વ્યાખ્યામાં આવતી...
National 
શું પરિવાર તરફથી ગિફ્ટમાં મળેલી મિલકત પર ટેક્સ આપવો પડે? ટ્રીબ્યુનલનો ચુકાદો જાણો

દુનિયાના સૌથી ખુશાલ દેશમાં ભારતીય ઉદ્યોગપતિ કેમ દુઃખી? કંપની વેચીને ભારત ફરવું પડ્યું; કારણ પણ જણાવ્યું

સ્વીડનમાં એક સફળ સ્ટાર્ટઅપ ઊભું કરનાર ભારતીય ઉદ્યોગસાહસિક અભિજીત નાગ બાલાસુબ્રમણ્યમને આખરે પોતાના સપનાનો દેશ છોડવો પડી રહ્યો છે. હાઇડ્રો...
World 
દુનિયાના સૌથી ખુશાલ દેશમાં ભારતીય ઉદ્યોગપતિ કેમ દુઃખી? કંપની વેચીને ભારત ફરવું પડ્યું; કારણ પણ જણાવ્યું

‘હું 1500 કરોડ રૂપિયાનો માણસ છું...’, રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસ બાદ ફિલ્મ ફેડરેશનને કરી આ અપીલ

બોલિવુડ અભિનેતા રાજપાલ યાદવે છેલ્લા 2 દિવસમાં તેના 9 કરોડ રૂપિયાના ચેક બાઉન્સ કેસ વિશે ઘણી વાતો કહી નાખી. તેણે...
Entertainment 
‘હું 1500 કરોડ રૂપિયાનો માણસ છું...’, રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસ બાદ ફિલ્મ ફેડરેશનને કરી આ અપીલ

અમેરિકા માટે ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાનો રસ્તો સરળ નથી; ઈરાની લોકો...

US-ઇઝરાયલી હુમલાઓને કારણે ઈરાનમાં થયેલા વિસ્ફોટોએ ફરી એકવાર પશ્ચિમ એશિયાને યુદ્ધમાં ધકેલી દીધું છે. આ સંયુક્ત હુમલાઓએ પ્રશ્ન ઉઠાવ્યો...
World 
અમેરિકા માટે ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાનો રસ્તો સરળ નથી; ઈરાની લોકો...

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.