લગ્નના 24 કલાકમાં જ છૂટાછેડા! જાણો પૂણેના ડૉક્ટર દંપતી વચ્ચે એવું તે શું બન્યું કે આવો આકરો નિર્ણય લીધો

દુનિયામાં એક સામાન્ય માન્યતા ચાલતી આવી છે કે, પ્રેમ લગ્ન એકબીજાને સમજવાની સારી તક આપે છે. જોકે, પુણેમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમણે વર્ષો સુધી એકબીજાને પ્રેમ કર્યો, તો પણ એકબીજાને સમજી શક્યા નહીં, અહીં એક ઉચ્ચ શિક્ષિત દંપતીના કૃત્યોએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે.

હિન્દુ ધર્મમાં લગ્નને સાત જન્મનું બંધન માનવામાં આવે છે. પરંતુ, પુણેમાં એક દંપતીના લગ્ન તો 24 કલાક પણ ટકી શક્યા નહીં. લગ્નના થોડા સમય પછી જ, દંપતીએ અલગ થવાનો નિર્ણય લઇ લીધો. લગ્નના સાત ફેરા ફર્યાના થોડા કલાકો પછી, તેઓએ કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી, અને હવે, 18 મહિના પછી, કોર્ટે તેમના છૂટાછેડાને મંજૂરી આપી દીધી છે.

Pune-Couple1
navbharattimes.indiatimes.com

લગ્ન થયા ત્યાં સુધી આ દંપતી વ્યવસાયે ડૉક્ટર હતા, પરંતુ તેમના લગ્ન પછી, પત્નીને તેના પતિ વિશે કંઈક એવું જાણવા મળ્યું જેનાથી તે સ્તબ્ધ થઈ ગઈ અને તેણે તરત જ સંબંધનો અંત લાવવાનો નિર્ણય લઇ લીધો.

મહિલાના વકીલે કોર્ટને જણાવ્યું કે, તે પ્રેમ લગ્ન હતા. લગ્ન પહેલાં, પતિએ પોતાને ડૉક્ટર તરીકે રજૂ કર્યો હતો. મહિલા પણ વ્યવસાયે ડૉક્ટર હતી. એટલા માટે તેઓએ એકબીજાને ડેટિંગ કરવાનું શરૂ કર્યું અને પછી લગ્ન કરી લીધા. જોકે, લગ્નની રાત્રે, તેના પતિએ ખુલાસો કર્યો કે તે ડૉક્ટર નથી, પરંતુ મર્ચન્ટ નેવીમાં કામ કરે છે.

મહિલાના જણાવ્યા મુજબ, 'મારા પતિએ મને કહ્યું હતું કે તે મર્ચન્ટ નેવીમાં કામ કરે છે અને તેની ફરજોને કારણે છ મહિના સુધી ઘરથી દૂર રહેવું પડતું હોય છે.' આ સત્ય જાણીને મહિલા ચોંકી ગઈ અને તરત જ તેના પતિથી અલગ થવાનો નિર્ણય લઇ લીધો.

Pune-Couple2
maharashtratimes.com

લગ્ન પછી દંપતી અલગ રહેવા લાગ્યા અને બીજા જ દિવસે છૂટાછેડા માટે અરજી કરી દીધી. જોકે, કાનૂની પ્રક્રિયા પૂર્ણ થવામાં 18 મહિના લાગ્યા, અને હવે કોર્ટે તેમના છૂટાછેડાને મંજૂરી આપી દીધી છે.

લગ્નના 24 કલાકની અંદર થયેલા આ દંપતીના છૂટાછેડાનું એક રસપ્રદ પાસું એ છે કે તેમને ફક્ત આઠ દિવસમાં છૂટાછેડા આપવામાં આવ્યા હતા. પુણે ફેમિલી કોર્ટના ન્યાયાધીશ B.D. કદમે આ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો.

છૂટાછેડા લીધેલ દંપતી સમાજના એક આદરણીય વર્ગમાંથી આવે છે. પતિ જહાજમાં ઉચ્ચ હોદ્દો ધરાવે છે, જ્યારે પત્ની વ્યવસાયે ડૉક્ટર છે. આ દંપતી ઘણા વર્ષો પહેલા મળ્યું હતું. તેમનું પ્રેમપ્રકરણ ચાલતું હતું, પ્રેમમાં પડ્યા હતા અને લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. તેઓના લગ્નમાં તેમના પરિવારો અને સંબંધીઓ સમારોહમાં હાજર રહ્યા હતા.

બીજા દિવસે સવારે, દંપતી વચ્ચે ઝઘડો થયો. ઝઘડો એટલો વધી ગયો કે છોકરી ઘર છોડીને ચાલી ગઈ. તેમણે અલગ રહેવાનું નક્કી કર્યું. મામલો કોર્ટમાં પહોંચ્યો. તેમણે વકીલની સલાહ લીધી અને છૂટાછેડા માટે અરજી કરી.

Pune-Couple3
ndtv.in

3 ડિસેમ્બરના રોજ, વકીલ રાની કાંબલે-સોનાવણેએ પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે અરજી કરી. છૂટાછેડા માટે સામાન્ય રીતે છ મહિનાનો રાહ જોવાનો સમયગાળો જરૂરી છે, પરંતુ સુપ્રીમ કોર્ટના નિયમો અનુસાર, જો દંપતી 18 મહિનાથી વધુ સમયથી અલગ રહે છે તો આ સમયગાળો માફ કરી શકાય છે. કોર્ટે 10 ડિસેમ્બરના રોજ છૂટાછેડા મંજૂર કર્યા કારણ કે દંપતી દોઢ વર્ષથી અલગ રહેતા હતા અને પતિને તાત્કાલિક કામ માટે વિદેશ પ્રવાસ કરવાની જરૂર હતી.

આ અલગ રહેવા દરમિયાન, બંને પરિવારોએ તેમને સમજાવવાનો અને તેમના જીવનને ફરીથી એક કરવાનો પ્રયાસ કર્યો. જોકે, વૈચારિક મતભેદોને કારણે તેઓએ ફરીથી મળવાનો ઇનકાર કર્યો. આખરે, તેઓએ નક્કી કર્યું કે કાયદેસર રીતે સંબંધનો અંત લાવવાનો એકમાત્ર વિકલ્પ છે. છૂટાછેડાના વધતા જતા આ મામલાઓની સામે, એક નજીવા કારણોસર લગ્નજીવનની સુખી દુનિયા કાયમ માટે સમાપ્ત થઇ જાય છે તે હાલના સમયમાં ખુબ ચિંતાજનક બની રહ્યું છે.

About The Author

Top News

હનુમાનજી-મા દુર્ગાની મૂર્તિ.., કૂતરો 5 દિવસથી કરી રહ્યો છે પરિક્રમા, લોકોએ ભૈરવનું સ્વરૂપ ગણાવ્યો; ડૉક્ટરે જણાવ્યું સત્ય

બિજનોર જિલ્લાના નગીના વિસ્તારના નંદપુર ગામમાં આ દિવસોમાં એક કૂતરો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. મંદિરમાં કૂતરાની રહસ્યમય હરકતોથી દર્શકો અને...
National 
હનુમાનજી-મા દુર્ગાની મૂર્તિ.., કૂતરો 5 દિવસથી કરી રહ્યો છે પરિક્રમા, લોકોએ ભૈરવનું સ્વરૂપ ગણાવ્યો; ડૉક્ટરે જણાવ્યું સત્ય

BMC ઈલેક્શન રિઝલ્ટઃ ભાજપ કિંગ, ઉદ્ધવ બીજા નંબરે, શિંદેને ઝટકો

મુંબઈના લોકોએ સ્પષ્ટ કરી દીધું છે કે BMCના રાજા કોણ હશે. મુંબઈકરોએ ફડણવીસ-શિંદેની જોડી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે....
BMC ઈલેક્શન રિઝલ્ટઃ ભાજપ કિંગ, ઉદ્ધવ બીજા નંબરે, શિંદેને ઝટકો

પૂર્વ MLA અને ભાજપના નેતા ગોવાભાઈ રબારી બોલ્યા- અગાઉ રબારી સામે કોઈ બોલતું નહોતું, હવે સમાજ નબળો અને ઢીલો થયો છે...

આગામી 25 જાન્યુઆરીએ બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ઉત્તર ગુજરાત રબારી સમાજનું મહાસંમેલન આયોજિત થવા જઈ રહ્યું છે. આ સંમેલનની તૈયારીના ભાગરૂપે...
Gujarat 
પૂર્વ MLA અને ભાજપના નેતા ગોવાભાઈ રબારી બોલ્યા- અગાઉ રબારી સામે કોઈ બોલતું નહોતું, હવે સમાજ નબળો અને ઢીલો થયો છે...

શું ગુજરાતની બધી જ કલેક્ટર કચેરીઓને ભ્રષ્ટ બનાવવા પાછળ ચૂંટાયેલા સ્થાનિક નેતાઓ જવાબદાર છે?

ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જિલ્લા કલેક્ટર કચેરીઓમાં ભ્રષ્ટાચારના કિસ્સાઓ હદ બહાર વધી રહ્યા છે જે પ્રશાસન પરની વિશ્વસનીયતાને હાની પહોંચાડી...
Opinion 
શું ગુજરાતની બધી જ કલેક્ટર કચેરીઓને ભ્રષ્ટ બનાવવા પાછળ ચૂંટાયેલા સ્થાનિક નેતાઓ જવાબદાર છે?

Opinion

શું ગુજરાતની બધી જ કલેક્ટર કચેરીઓને ભ્રષ્ટ બનાવવા પાછળ ચૂંટાયેલા સ્થાનિક નેતાઓ જવાબદાર છે? શું ગુજરાતની બધી જ કલેક્ટર કચેરીઓને ભ્રષ્ટ બનાવવા પાછળ ચૂંટાયેલા સ્થાનિક નેતાઓ જવાબદાર છે?
ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જિલ્લા કલેક્ટર કચેરીઓમાં ભ્રષ્ટાચારના કિસ્સાઓ હદ બહાર વધી રહ્યા છે જે પ્રશાસન પરની વિશ્વસનીયતાને હાની પહોંચાડી...
PM મોદી, શાહ અને સંઘવીની ત્રિપુટીનું ગુજરાતમાં અતિક્રમણ વિરોધી અભિયાન
PM મોદી અને યોગીએ ક્યારેય તેમની રાજકીય શક્તિનો લાભ તેમના પરિવારને આપ્યો નથી
ગુજરાતની રાજનીતિમાં યુવા તીકડીનું નવું સમીકરણ: વરુણ પટેલ, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા
શું ગુજરાતમાં સરકારી અધિકારીઓ ચૂંટાયેલા રાજકારણીઓને નથી ગાંઠતા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.