લગ્નના 24 કલાકમાં જ છૂટાછેડા! જાણો પૂણેના ડૉક્ટર દંપતી વચ્ચે એવું તે શું બન્યું કે આવો આકરો નિર્ણય લીધો

દુનિયામાં એક સામાન્ય માન્યતા ચાલતી આવી છે કે, પ્રેમ લગ્ન એકબીજાને સમજવાની સારી તક આપે છે. જોકે, પુણેમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમણે વર્ષો સુધી એકબીજાને પ્રેમ કર્યો, તો પણ એકબીજાને સમજી શક્યા નહીં, અહીં એક ઉચ્ચ શિક્ષિત દંપતીના કૃત્યોએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે.

હિન્દુ ધર્મમાં લગ્નને સાત જન્મનું બંધન માનવામાં આવે છે. પરંતુ, પુણેમાં એક દંપતીના લગ્ન તો 24 કલાક પણ ટકી શક્યા નહીં. લગ્નના થોડા સમય પછી જ, દંપતીએ અલગ થવાનો નિર્ણય લઇ લીધો. લગ્નના સાત ફેરા ફર્યાના થોડા કલાકો પછી, તેઓએ કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી, અને હવે, 18 મહિના પછી, કોર્ટે તેમના છૂટાછેડાને મંજૂરી આપી દીધી છે.

Pune-Couple1
navbharattimes.indiatimes.com

લગ્ન થયા ત્યાં સુધી આ દંપતી વ્યવસાયે ડૉક્ટર હતા, પરંતુ તેમના લગ્ન પછી, પત્નીને તેના પતિ વિશે કંઈક એવું જાણવા મળ્યું જેનાથી તે સ્તબ્ધ થઈ ગઈ અને તેણે તરત જ સંબંધનો અંત લાવવાનો નિર્ણય લઇ લીધો.

મહિલાના વકીલે કોર્ટને જણાવ્યું કે, તે પ્રેમ લગ્ન હતા. લગ્ન પહેલાં, પતિએ પોતાને ડૉક્ટર તરીકે રજૂ કર્યો હતો. મહિલા પણ વ્યવસાયે ડૉક્ટર હતી. એટલા માટે તેઓએ એકબીજાને ડેટિંગ કરવાનું શરૂ કર્યું અને પછી લગ્ન કરી લીધા. જોકે, લગ્નની રાત્રે, તેના પતિએ ખુલાસો કર્યો કે તે ડૉક્ટર નથી, પરંતુ મર્ચન્ટ નેવીમાં કામ કરે છે.

મહિલાના જણાવ્યા મુજબ, 'મારા પતિએ મને કહ્યું હતું કે તે મર્ચન્ટ નેવીમાં કામ કરે છે અને તેની ફરજોને કારણે છ મહિના સુધી ઘરથી દૂર રહેવું પડતું હોય છે.' આ સત્ય જાણીને મહિલા ચોંકી ગઈ અને તરત જ તેના પતિથી અલગ થવાનો નિર્ણય લઇ લીધો.

Pune-Couple2
maharashtratimes.com

લગ્ન પછી દંપતી અલગ રહેવા લાગ્યા અને બીજા જ દિવસે છૂટાછેડા માટે અરજી કરી દીધી. જોકે, કાનૂની પ્રક્રિયા પૂર્ણ થવામાં 18 મહિના લાગ્યા, અને હવે કોર્ટે તેમના છૂટાછેડાને મંજૂરી આપી દીધી છે.

લગ્નના 24 કલાકની અંદર થયેલા આ દંપતીના છૂટાછેડાનું એક રસપ્રદ પાસું એ છે કે તેમને ફક્ત આઠ દિવસમાં છૂટાછેડા આપવામાં આવ્યા હતા. પુણે ફેમિલી કોર્ટના ન્યાયાધીશ B.D. કદમે આ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો.

છૂટાછેડા લીધેલ દંપતી સમાજના એક આદરણીય વર્ગમાંથી આવે છે. પતિ જહાજમાં ઉચ્ચ હોદ્દો ધરાવે છે, જ્યારે પત્ની વ્યવસાયે ડૉક્ટર છે. આ દંપતી ઘણા વર્ષો પહેલા મળ્યું હતું. તેમનું પ્રેમપ્રકરણ ચાલતું હતું, પ્રેમમાં પડ્યા હતા અને લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. તેઓના લગ્નમાં તેમના પરિવારો અને સંબંધીઓ સમારોહમાં હાજર રહ્યા હતા.

બીજા દિવસે સવારે, દંપતી વચ્ચે ઝઘડો થયો. ઝઘડો એટલો વધી ગયો કે છોકરી ઘર છોડીને ચાલી ગઈ. તેમણે અલગ રહેવાનું નક્કી કર્યું. મામલો કોર્ટમાં પહોંચ્યો. તેમણે વકીલની સલાહ લીધી અને છૂટાછેડા માટે અરજી કરી.

Pune-Couple3
ndtv.in

3 ડિસેમ્બરના રોજ, વકીલ રાની કાંબલે-સોનાવણેએ પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે અરજી કરી. છૂટાછેડા માટે સામાન્ય રીતે છ મહિનાનો રાહ જોવાનો સમયગાળો જરૂરી છે, પરંતુ સુપ્રીમ કોર્ટના નિયમો અનુસાર, જો દંપતી 18 મહિનાથી વધુ સમયથી અલગ રહે છે તો આ સમયગાળો માફ કરી શકાય છે. કોર્ટે 10 ડિસેમ્બરના રોજ છૂટાછેડા મંજૂર કર્યા કારણ કે દંપતી દોઢ વર્ષથી અલગ રહેતા હતા અને પતિને તાત્કાલિક કામ માટે વિદેશ પ્રવાસ કરવાની જરૂર હતી.

આ અલગ રહેવા દરમિયાન, બંને પરિવારોએ તેમને સમજાવવાનો અને તેમના જીવનને ફરીથી એક કરવાનો પ્રયાસ કર્યો. જોકે, વૈચારિક મતભેદોને કારણે તેઓએ ફરીથી મળવાનો ઇનકાર કર્યો. આખરે, તેઓએ નક્કી કર્યું કે કાયદેસર રીતે સંબંધનો અંત લાવવાનો એકમાત્ર વિકલ્પ છે. છૂટાછેડાના વધતા જતા આ મામલાઓની સામે, એક નજીવા કારણોસર લગ્નજીવનની સુખી દુનિયા કાયમ માટે સમાપ્ત થઇ જાય છે તે હાલના સમયમાં ખુબ ચિંતાજનક બની રહ્યું છે.

About The Author

Related Posts

Top News

એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

બેંગલુરુમાં એક સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યોતિષની આગાહી પછી 27 વર્ષીય મહિલા એન્જિનિયરે આત્મહત્યા કરી લીધી. આ ઘટના શહેરના...
National 
એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

શું ગણિત અને ભૌતિકશાસ્ત્રના અઘરા પેપર માટે સરળ માર્કિંગનો ઓર્ડર આવી શકે છે? જાણો એ બે શરતો વિશે જેની ખબર પડી છે

CBSE 10મા બોર્ડનું પ્રથમ ગણિતનું પેપર એટલું અઘરું હતું કે શિક્ષકો પણ ચોંકી ગયા હતા. વિદ્યાર્થીઓએ પણ અહેવાલ આપ્યો...
Education 
શું ગણિત અને ભૌતિકશાસ્ત્રના અઘરા પેપર માટે સરળ માર્કિંગનો ઓર્ડર આવી શકે છે? જાણો એ બે શરતો વિશે જેની ખબર પડી છે

શું પરિવાર તરફથી ગિફ્ટમાં મળેલી મિલકત પર ટેક્સ આપવો પડે? ટ્રીબ્યુનલનો ચુકાદો જાણો

દિલ્હીની ઇન્કમટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. હિંદુ ફેમીલી સેટલમેન્ટ હેઠળ ગિફ્ટ આપવામાં આવેલી મિલ્કત ટ્રાન્સફરની વ્યાખ્યામાં આવતી...
National 
શું પરિવાર તરફથી ગિફ્ટમાં મળેલી મિલકત પર ટેક્સ આપવો પડે? ટ્રીબ્યુનલનો ચુકાદો જાણો

દુનિયાના સૌથી ખુશાલ દેશમાં ભારતીય ઉદ્યોગપતિ કેમ દુઃખી? કંપની વેચીને ભારત ફરવું પડ્યું; કારણ પણ જણાવ્યું

સ્વીડનમાં એક સફળ સ્ટાર્ટઅપ ઊભું કરનાર ભારતીય ઉદ્યોગસાહસિક અભિજીત નાગ બાલાસુબ્રમણ્યમને આખરે પોતાના સપનાનો દેશ છોડવો પડી રહ્યો છે. હાઇડ્રો...
World 
દુનિયાના સૌથી ખુશાલ દેશમાં ભારતીય ઉદ્યોગપતિ કેમ દુઃખી? કંપની વેચીને ભારત ફરવું પડ્યું; કારણ પણ જણાવ્યું

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.