મને હળવાશથી ન લો, નહીં તો હું.. ', નાયબ મુખ્યમંત્રી શિંદેએ જણાવ્યું કે કોની તરફ હતો તેમનો ઈશારો

મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ એકનાથ શિંદે પોતાના એક નિવેદનને કારણે ચર્ચામાં છે. તેમણે કહ્યું હતું કે મને હળવાશથી ન લો, નહીં તો હું ગાડુ પલટી નાખીશ. હવે રાજકીય ગલિયારામાં અટકળો લગાવવામાં આવી રહી છે કે તેમણે આ ધમકીભર્યા શબ્દો કોને કહ્યા છે. શિવસેના (UBT) સાથે તેમની નારાજગી જૂની છે, પરંતુ આ દિવસોમાં તેઓ સત્તાધારી મહાયુતિ સરકારમાં પણ સહજ અનુભવી રહ્યા નથી. એટલે અનુમાન લગાવવું મુશ્કેલ બની રહ્યું છે કે તેમણે આ ધમકી ઉદ્ધવ ઠાકરેને આપી છે કે દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપને.

eknath-shinde2

મહારાષ્ટ્રના રાજકારણમાં ઓપરેશન ટાઈગરની ચર્ચા

દ્વારા ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના લોકોને તોડવા માટે શિંદે તરફથી આ દિવસોમાં ઓપરેશન ટાઈગર શરૂ કરવામાં આવ્યું છે. આ ઓપરેશન હેઠળ, જે એક સમયે શિવસેનાનો ગઢ, કોંકણ સહિત રાજ્યના અન્ય ભાગોમાંથી ઘણા વરિષ્ઠ નેતાઓ, શિવસેના (UBT)થી અલગ થઈને શિંદે સાથે આવી રહ્યા છે. તેના પર ટિપ્પણી કરતા એક દિવસ અગાઉ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, આજકાલ મને એટલા ધક્કો મારવામાં આવી રહ્યા છે કે હું ધક્કા પુરુષ બની ગયો છું. પરંતુ જે દિવસે હું ધક્કો આપીશ, એ દિવસે સંભાળવાનો કોઈ અવસર નહીં મળે. આમ કહેતા ઉદ્ધવનો ઇશારો એકનાથ શિંદે તરફ જ હતો.

eknath-shinde

કોની તરફ હતો શિંદેનો ઈશારો?

શુક્રવારે નાગપુરમાં એક કાર્યક્રમ બાદ, જ્યારે એકનાથ શિંદેને તેમના નિવેદન બાબતે પૂછવામાં આવ્યું કે આ તેમણે કોના માટે આપ્યું છે, તો તેમણે કહ્યું કે, આ નિવેદન જેના માટે આપ્યું છે, તેઓ સમજી ચૂક્યા છે. તેમણે કહ્યું કે હું એક સામાન્ય કાર્યકર્તા છું. પરંતુ હું બાળાસાહેબ ઠાકરે અને આનંદ દિઘેનો કાર્યકર્તા છું. લોકોએ આ સમજી લેવું જોઈએ.

તેમણે કહ્યું કે, 2022માં જ્યારે હું સામાન્ય લોકોના મનની સરકાર લાવ્યો હતો, ત્યારે પોતાના પહેલા જ ભાષણમાં કહ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસ 200થી વધુ સીટો લઇને આવશે અને અમને 232 સીટો મળી છે. એટલે હું કહું છું કે મને હળવાશથી ન લો. જો કે, આમ કહેતા શિંદેએ સ્પષ્ટતા કરી નથી કે તેમણે કોની તરફ ઈશારો કરતા આ વક્તવ્ય આપ્યું છે. તેઓ ઘણા કારણોથી પોતાની સરકારથી અસંતુષ્ટ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.

About The Author

Related Posts

Top News

રાજકોટ મહાનગર પાલિકા આર્કિટેક્ટો પર મહેરબાન, 20 સામે ફરિયાદ,પણ..

રાજકોટમાં TRP જેમ ઝોનની ઘટના પછી મહાનગર પાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગે રાજકોટમાં  3 હજારથી વધુ ગેરકાયદે બંધકામો શોધી નાંખ્યા હતા....
Gujarat 
રાજકોટ મહાનગર પાલિકા આર્કિટેક્ટો પર મહેરબાન, 20 સામે ફરિયાદ,પણ..

T20 વર્લ્ડ કપ સેમીફાઇનલ કોણ જીતશે? ભારત કે ઇંગ્લેન્ડ...; શું કહે છે બંને ટીમના રેકોર્ડ

ટીમ ઇન્ડિયાએ 2026 T20 વર્લ્ડ કપના સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. રવિવારે વેસ્ટ ઇન્ડીઝને 5 વિકેટથી હરાવીને સેમીફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત...
Sports 
T20 વર્લ્ડ કપ સેમીફાઇનલ કોણ જીતશે? ભારત કે ઇંગ્લેન્ડ...; શું કહે છે બંને ટીમના રેકોર્ડ

પહેલા વેનેઝુએલા... હવે ઈરાન... ચીન માટે માથાનો દુખાવો બન્યું છે અમેરિકા

અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર શ્રેણીબદ્ધ હુમલાઓ શરૂ કર્યા, જેમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનીની હત્યા કરવામાં આવી. તાજેતરના...
Business 
પહેલા વેનેઝુએલા... હવે ઈરાન... ચીન માટે માથાનો દુખાવો બન્યું છે અમેરિકા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -03-03-2026 વાર- મંગળવાર મેષ - નોકરી ધંધામાં ઉન્નતિના યોગ બને છે, ઘરમાં આનંદ રહે, વડીલોના આશીર્વાદ લો. વૃષભ -...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.