મને હળવાશથી ન લો, નહીં તો હું.. ', નાયબ મુખ્યમંત્રી શિંદેએ જણાવ્યું કે કોની તરફ હતો તેમનો ઈશારો

મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ એકનાથ શિંદે પોતાના એક નિવેદનને કારણે ચર્ચામાં છે. તેમણે કહ્યું હતું કે મને હળવાશથી ન લો, નહીં તો હું ગાડુ પલટી નાખીશ. હવે રાજકીય ગલિયારામાં અટકળો લગાવવામાં આવી રહી છે કે તેમણે આ ધમકીભર્યા શબ્દો કોને કહ્યા છે. શિવસેના (UBT) સાથે તેમની નારાજગી જૂની છે, પરંતુ આ દિવસોમાં તેઓ સત્તાધારી મહાયુતિ સરકારમાં પણ સહજ અનુભવી રહ્યા નથી. એટલે અનુમાન લગાવવું મુશ્કેલ બની રહ્યું છે કે તેમણે આ ધમકી ઉદ્ધવ ઠાકરેને આપી છે કે દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપને.

eknath-shinde2

મહારાષ્ટ્રના રાજકારણમાં ઓપરેશન ટાઈગરની ચર્ચા

દ્વારા ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના લોકોને તોડવા માટે શિંદે તરફથી આ દિવસોમાં ઓપરેશન ટાઈગર શરૂ કરવામાં આવ્યું છે. આ ઓપરેશન હેઠળ, જે એક સમયે શિવસેનાનો ગઢ, કોંકણ સહિત રાજ્યના અન્ય ભાગોમાંથી ઘણા વરિષ્ઠ નેતાઓ, શિવસેના (UBT)થી અલગ થઈને શિંદે સાથે આવી રહ્યા છે. તેના પર ટિપ્પણી કરતા એક દિવસ અગાઉ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, આજકાલ મને એટલા ધક્કો મારવામાં આવી રહ્યા છે કે હું ધક્કા પુરુષ બની ગયો છું. પરંતુ જે દિવસે હું ધક્કો આપીશ, એ દિવસે સંભાળવાનો કોઈ અવસર નહીં મળે. આમ કહેતા ઉદ્ધવનો ઇશારો એકનાથ શિંદે તરફ જ હતો.

eknath-shinde

કોની તરફ હતો શિંદેનો ઈશારો?

શુક્રવારે નાગપુરમાં એક કાર્યક્રમ બાદ, જ્યારે એકનાથ શિંદેને તેમના નિવેદન બાબતે પૂછવામાં આવ્યું કે આ તેમણે કોના માટે આપ્યું છે, તો તેમણે કહ્યું કે, આ નિવેદન જેના માટે આપ્યું છે, તેઓ સમજી ચૂક્યા છે. તેમણે કહ્યું કે હું એક સામાન્ય કાર્યકર્તા છું. પરંતુ હું બાળાસાહેબ ઠાકરે અને આનંદ દિઘેનો કાર્યકર્તા છું. લોકોએ આ સમજી લેવું જોઈએ.

તેમણે કહ્યું કે, 2022માં જ્યારે હું સામાન્ય લોકોના મનની સરકાર લાવ્યો હતો, ત્યારે પોતાના પહેલા જ ભાષણમાં કહ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસ 200થી વધુ સીટો લઇને આવશે અને અમને 232 સીટો મળી છે. એટલે હું કહું છું કે મને હળવાશથી ન લો. જો કે, આમ કહેતા શિંદેએ સ્પષ્ટતા કરી નથી કે તેમણે કોની તરફ ઈશારો કરતા આ વક્તવ્ય આપ્યું છે. તેઓ ઘણા કારણોથી પોતાની સરકારથી અસંતુષ્ટ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.

Related Posts

Top News

સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

સામાન્ય રીતે એવી છાપ છે કે ભારતીય આર્મીમાં ગુજરાતીઓ જોડાતા નથી, ગુજરાતીઓને માત્ર બિઝનેસમાં જ રસ છે. પરંતુ ઓપરેશન...
Gujarat 
સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.