મને હળવાશથી ન લો, નહીં તો હું.. ', નાયબ મુખ્યમંત્રી શિંદેએ જણાવ્યું કે કોની તરફ હતો તેમનો ઈશારો

મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ એકનાથ શિંદે પોતાના એક નિવેદનને કારણે ચર્ચામાં છે. તેમણે કહ્યું હતું કે મને હળવાશથી ન લો, નહીં તો હું ગાડુ પલટી નાખીશ. હવે રાજકીય ગલિયારામાં અટકળો લગાવવામાં આવી રહી છે કે તેમણે આ ધમકીભર્યા શબ્દો કોને કહ્યા છે. શિવસેના (UBT) સાથે તેમની નારાજગી જૂની છે, પરંતુ આ દિવસોમાં તેઓ સત્તાધારી મહાયુતિ સરકારમાં પણ સહજ અનુભવી રહ્યા નથી. એટલે અનુમાન લગાવવું મુશ્કેલ બની રહ્યું છે કે તેમણે આ ધમકી ઉદ્ધવ ઠાકરેને આપી છે કે દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપને.

eknath-shinde2

મહારાષ્ટ્રના રાજકારણમાં ઓપરેશન ટાઈગરની ચર્ચા

દ્વારા ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના લોકોને તોડવા માટે શિંદે તરફથી આ દિવસોમાં ઓપરેશન ટાઈગર શરૂ કરવામાં આવ્યું છે. આ ઓપરેશન હેઠળ, જે એક સમયે શિવસેનાનો ગઢ, કોંકણ સહિત રાજ્યના અન્ય ભાગોમાંથી ઘણા વરિષ્ઠ નેતાઓ, શિવસેના (UBT)થી અલગ થઈને શિંદે સાથે આવી રહ્યા છે. તેના પર ટિપ્પણી કરતા એક દિવસ અગાઉ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, આજકાલ મને એટલા ધક્કો મારવામાં આવી રહ્યા છે કે હું ધક્કા પુરુષ બની ગયો છું. પરંતુ જે દિવસે હું ધક્કો આપીશ, એ દિવસે સંભાળવાનો કોઈ અવસર નહીં મળે. આમ કહેતા ઉદ્ધવનો ઇશારો એકનાથ શિંદે તરફ જ હતો.

eknath-shinde

કોની તરફ હતો શિંદેનો ઈશારો?

શુક્રવારે નાગપુરમાં એક કાર્યક્રમ બાદ, જ્યારે એકનાથ શિંદેને તેમના નિવેદન બાબતે પૂછવામાં આવ્યું કે આ તેમણે કોના માટે આપ્યું છે, તો તેમણે કહ્યું કે, આ નિવેદન જેના માટે આપ્યું છે, તેઓ સમજી ચૂક્યા છે. તેમણે કહ્યું કે હું એક સામાન્ય કાર્યકર્તા છું. પરંતુ હું બાળાસાહેબ ઠાકરે અને આનંદ દિઘેનો કાર્યકર્તા છું. લોકોએ આ સમજી લેવું જોઈએ.

તેમણે કહ્યું કે, 2022માં જ્યારે હું સામાન્ય લોકોના મનની સરકાર લાવ્યો હતો, ત્યારે પોતાના પહેલા જ ભાષણમાં કહ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસ 200થી વધુ સીટો લઇને આવશે અને અમને 232 સીટો મળી છે. એટલે હું કહું છું કે મને હળવાશથી ન લો. જો કે, આમ કહેતા શિંદેએ સ્પષ્ટતા કરી નથી કે તેમણે કોની તરફ ઈશારો કરતા આ વક્તવ્ય આપ્યું છે. તેઓ ઘણા કારણોથી પોતાની સરકારથી અસંતુષ્ટ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.

About The Author

Related Posts

Top News

વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉતરાધિકારી કોણ? એ બાબતે ઘણા સમયથી ચર્ચા શરૂ થઇ છે. તાજેતરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની વડા...
National 
વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Copyright (c) Khabarchhe All Rights Reserved.