CM યોગીને બનાવી દો PM, મોદીથી તો સારા છે, રાકેશ ટિકૈત એમ શા માટે બોલ્યા?

લોકસભાની ચૂંટણી 2024નો એક વર્ષ કરતા પણ ઓછો સમય બચ્યો છે. બધી પાર્ટીઓએ પોત પોતાના રાજકીય સમીકરણને સુધારવાનું કામ શરૂ કરી દીધું છે. જેના માટે બેઠકોનો દૌર ચાલી રહ્યો છે. આ દરમિયાન પહેલવાનોના આંદોલનની ખાપ પંચાયતોના સંદર્ભે હિસ્સો બનેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈત પણ પૂરી રીતે સક્રિય નજરે પડી રહ્યા છે. રાકેશ ટિકૈત પ્રદર્શન કરી રહેલા પહેલવાનોના સમર્થનમાં સરકાર પર તીખા સવાલોનો વરસાદ કરી દીધો હતો.

રાકેશ ટિકૈતે એક ન્યૂઝ ચેનલના વિશેષ કાર્યક્રમમાં વાત કરતા 2024માં વડાપ્રધાન બનવાને લઈને મોટું નિવેદન આપ્યું. રાકેશ ટિકૈતે નિવેદન પણ આપ્યું છે, જેના પર દેશની જનતા પણ ઘણા સરવેમાં પોતાના વિચાર રાખી ચૂકી છે. ન્યૂઝ ચેનલના વિશેષ કાર્યક્રમમાં રાકેશ ટિકૈત વર્ષ 2024માં વડાપ્રધાન કોણ બનશે તેના પર જવાબ આપી રહ્યા હતા. આ દરમિયાન તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને દેશના આગામી વડાપ્રધાન બનાવવાની વાત કહી નાખો.

ઉલ્લેખનીય થયું જાણે એમ કે, રાકેશ ટિકૈતને પૂછવામાં આવ્યું કે, નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીમાંથી વર્ષ 2024માં દેશના આગામી વડાપ્રધાન કોણ બનશે? આ સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું કે, ‘નરેદ્ર મોદી આગામી વડાપ્રધાન બનશે, પરંતુ વડાપ્રધાન મોદી પોતાનો કાર્યકાળ પૂરો નહીં કરે.. કેમ કે તેઓ વચ્ચે જ હટી જશે. તેમણે દેશના આગામી રાષ્ટ્રપતિ પણ બનવાનું છે. રાકેશ ટિકૈતે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બધા કામ કરીને જશે. જ્યારે રાકેશ ટિકૈતને પૂછવામાં આવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો કાર્યકાળ પૂરો ન કરી શક્યા તો આગામી વડાપ્રધાન કોણ બનશે?

તેના પર રાકેશ ટિકૈતે તરત બોલતા કહ્યું કે, યોગીજીને અપાવી દો (વડાપ્રધાન પદ).’ તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બાબતે બોલતા કહ્યું કે, તેઓ વડાપ્રધાન મોદીથી તો સારા જ છે. જો કે, રાકેશ ટિકૈતે કહ્યું કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમની એક પણ વાત માનતા નથી. તો આ કાર્યક્રમમાં રાકેશ ટિકૈતે પૂછવામાં આવ્યું કે, રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીમાંથી કોણે દેશના આગામી વડાપ્રધાન બનવું જોઈએ? તેના પર તેમણે કહ્યું કે, અમારા કહેવાથી કોણ કોને વડાપ્રધાન બનાવી રહ્યું છે. બંનેમાંથી જનતા જેને પસંદ કરશે, તેઓ દેશના આગામી વડાપ્રધાન બનશે. જેણે દેશના સિસ્ટમ પર કબજો કરો લીધો, તે જ વડાપ્રધાન બનશે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.