પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉતરાધિકારી કોણ? એ બાબતે ઘણા સમયથી ચર્ચા શરૂ થઇ છે. તાજેતરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની વડા મોહન ભાગવત અને હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વાત કરી છે.
RSSના વડા મોહન ભાગવતને તમિલનાડુના એક કાર્યક્રમમાં સવાલ પુછાયો કે, PM મોદીના ઉત્તરાધિકારી કોણ? ભાગવતે કહ્યુ કે એ PM અને ભાજપ નક્કી કરશે
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ કે, વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી વિશે વિચારવાનો આ યોગ્ય સમય નથી, કારણકે, 2029માં પણ મોદી જ વડાપ્રધાન બનવાના છે. તેમણે કહ્યુ કે, આપણી સંસ્કૃતિમાં પિતા જીવીત હોય ત્યારે ઉત્તરાધિકારીની વાત કરવી યોગ્ય ગણાતું નથી.
પ્રધાનમંત્રી મોદી અત્યારે 75 વર્ષના છે અને 2029માં 79 વર્ષના થશે એટલે તેમના ઉત્તરાધિકારીની ચર્ચા ચાલે છે.