ખેડૂતો વહેલી સવારથી લાઈન લગાવે છે છતાં ખાતર મળતું નથી, કોંગ્રેસના નેતાએ લો*હીથી CMને પત્ર લખ્યો!

મધ્યપ્રદેશના સતના જિલ્લામાં ખાતરની અછતનો મુદ્દો ગરમાયો છે. આખો દિવસ લાઇનમાં ઉભા રહેવા છતાં લોકોને સરળતાથી ખાતર મળી શકતું નથી. જેના કારણે ખેડૂતો નારાજ છે. આ અંગે કોંગ્રેસના ખેડૂત નેતાએ લોહીથી CMને પત્ર લખ્યો છે.

મધ્યપ્રદેશના સતના જિલ્લામાં ખાતરની અછત અને કાળાબજારે ખેડૂતોને દુઃખી કર્યા છે. આ ગંભીર સમસ્યાને ઉજાગર કરતા કોંગ્રેસ કિસાન મોરચાના નેતા આશુતોષ દ્વિવેદીએ ખેડૂતોની પીડા વ્યક્ત કરી છે. તેમણે CM ડૉ. મોહન યાદવને લોહીથી પત્ર લખ્યો છે. જેમાં ખાતર અંગે કાળાબજાર અને નફાખોરી સહિતની તમામ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Congress Leader, Letter
lalluram.com

ખેડૂત કોંગ્રેસના નેતા આશુતોષ દ્વિવેદીએ એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં તેઓ સિરીંજમાંથી પોતાનું લોહી કાઢીને મોરના પીંછાથી લખતા જોવા મળે છે. ખેડૂત નેતાએ કહ્યું કે, હું મારા લોહીથી પત્ર લખી રહ્યો છું અને CMને સતના જિલ્લામાં ખાતરની અછત પર ધ્યાન આપવાની અપીલ કરી રહ્યો છું. આ ફક્ત એક પત્ર નથી, પરંતુ ખેડૂતોનું દર્દ અને તેમનો ગુસ્સો છે.

Congress Leader, Letter
lalluram.com

દ્વિવેદીએ પત્રમાં લખ્યું છે કે, સતના જિલ્લામાં ખાતરની 'ખુબ જ અછત' છે. ખેડૂતો સવારથી સાંજ સુધી ખાતર કેન્દ્રોની બહાર લાંબી લાઈન લગાવીને ઉભા રહે છે, પરંતુ તેમને ખાલી હાથે પાછા ફરવું પડે છે. તેમણે આરોપ લગાવ્યો કે, સફેદ કોલર નેતાઓ અને તેમના સમર્થકો વહીવટ અને કર્મચારીઓની મદદથી વાહનોમાં ખાતરનો મોટો જથ્થો લઈ જઈ રહ્યા છે. જ્યારે ગરીબ અને જરૂરિયાતમંદ ખેડૂતોને આમ તેમ ભટકવાની ફરજ પડી રહી છે.

Congress Leader, Letter
etvbharat.com

આ ઉપરાંત, કોંગ્રેસના ખેડૂત નેતા આશુતોષે સરકાર અને વહીવટ પર ખાતર વિતરણના ગેરવહીવટનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, એક તરફ મહિલાઓ અને બાળકો કલાકો સુધી લાઇનમાં ઉભા રહે છે, જ્યારે બીજી તરફ ઓળખીતા અને લાગતાવળગતા લોકોને સરળતાથી ખાતર મળી રહ્યું છે.

https://www.instagram.com/reel/DOX4oBFkelE/

આવી સ્થિતિમાં, CMને આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અને કાળા બજારિયાઓ સામે કડક કાર્યવાહી કરવા વિનંતી છે. તેમણે કહ્યું કે, જો પરિસ્થિતિ ટૂંક સમયમાં નહીં સુધરશે તો ખેડૂતો રસ્તા પર ઉતરવા મજબૂર થશે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.