પાન મસાલાની જાહેરાત કરી રહેલા પૂર્વ કિક્રેટર્સ પર ગૌતમ ગંભીર ભડકી ગયા

ભારતના ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરની સાથે કપિલ દેવ અને વીરેન્દ્ર સેહવાગ પણ પાન મસાલાની જાહેરાત કરી રહ્યા છે. IPL 2023 દરમિયાન આ જાહેરાતો વાયરલ થઈ હતી. હવે સેહવાગના પૂર્વ સાથી ઓપનર ગૌતમ ગંભીરે પાન મસાલા ની એડ કરી રહેલા પૂર્વ ક્રિકેટરો સામે નારાજગી વ્યક્ત કરી છે.

 ભારતીય ટીમના બે પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કર અને વીરેન્દ્ર સેહવાગ ભારતીય ટીમમાં પાન મસાલા ની જાહેરાત કરતા જોવા મળી રહ્યા છે. આ સિવાય 1983 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમના કેપ્ટન કપિલ દેવ પણ પાન મસાલાની એડમાં દેખાય છે. હવે ભારતીય ટીમના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે તેમના પર નિશાન સાધ્યું છે.

ગૌતમ ગંભીરે નામ લીધા વગર ક્રિક્રેટરોની પાનમસાલાની જાહેરાત કરવાને શરમજનક વાત લેખાવી છે. એક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં જ્યારે ગૌતમ ગંભીરને ક્રિક્રેટરો દ્રારા પાન મસાલાની જાહેરાત થઇ રહી હોવા વિશે પુછવામાં આવ્યું તો તો ગંભીરે કહ્યું કે હું બે શબ્દો કહેવા માંગીશ એક ઘૃણાસ્પદ અને બીજો શબ્દ નિરાશાજનક, મેં મારી જિંદગીમાં ક્યારેય એવું વિચાર્યું નહોતું કે કોઇ ખેલાડી પાન મસાલાની જાહેરાત કરતો હશે. ગંભીરે કહ્યું કે, હું વારંવાર કહુ છું કે તમે કોઇને રોલ મોડલ બનાવો તો વિચારીને બનાવજો. નામ જરૂરી નથી, કામ જરૂરી છે.

ગૌતમ ગંભીરે ઇન્ટરવ્યૂમાં કહ્યું કે કોઇ પણ હોય, તમે પોતાના નામથી નહીં, કામથી ઓળખાઓ છો. તમારી ઓળખ તમારા કામથી છે. કરોડો યુવાનો આ જાહેરાત જોઇ રહ્યા હશે. પૈસા મહત્ત્વના નથી કે તમે કોઇ પણ પાન મસાલાની એડ કરી નાંખો. પૈસા કમાવવાના બીજા અનેક રસ્તા છે. ગંભીરે કહ્યું કે, તમે અનેક યુવાનોના રોલ મોડેલ છો તો થોડા પૈસા તમારે છોડી દેવા જોઇએ.

ગૌતમ ગંભીરે IPL 2018ની અધવચ્ચે દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ છોડી દીધી હતી. ગંભીરે એ સીઝનની સેલરી દિલ્હી કેપિટલ્સ પાસે નહોતી લીધી. ગૌતમ ગંભીરે કહ્યું કે, જ્યારે 2018માં મેં દિલ્હી કેપિટલની કેપ્ટનશીપ છોડી દીધી હતી ત્યારે મેં 3 કરોડ રૂપિયા છોડી દીધા હતા. એ 3 કરોડ રૂપિયા હું મેળવી શકતો હતો, પરંતુ હું હમેંશા એવું માનું છું કે મને એટલું જ મળવું જોઇએ જે હું ડિઝર્વ કરું છું

About The Author

Top News

ભગવાન શિવનું અનોખું મંદિર, જ્યાં ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે લગાવે છે તાળું, અદ્ભુત પરંપરા

પ્રયાગરાજની પવિત્ર ભૂમિ પર ઘણા પ્રાચીન અને ચમત્કારિક મંદિરો આવેલા છે, પરંતુ આ બધા વચ્ચે, નાથેશ્વર મહાદેવ મંદિર તેની અનોખી...
Astro and Religion 
ભગવાન શિવનું અનોખું મંદિર, જ્યાં ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે લગાવે છે તાળું, અદ્ભુત પરંપરા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 20-07-2025 વાર - રવિવાર મેષ - પૈસાનો સાચો ઉપયોગ કરી શકશો, આજના દિવસે ધાર્મિક યાત્રા મંદિર જવાથી માનસિક શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સેમસંગે લોન્ચ કર્યો નવો 5G ફોન, કિંમત 15,999 રૂપિયા, જાણી લો ફીચર

જો તમે ઓછા બજેટમાં નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો સેમસંગનો નવો ફોન તમારા માટે યોગ્ય વિકલ્પ બની...
Tech and Auto 
સેમસંગે લોન્ચ કર્યો નવો 5G ફોન, કિંમત 15,999 રૂપિયા, જાણી લો ફીચર

ગુજરાતમાં વરસાદ ગાયબ, હવે ક્યારે પાછો ફરશે? અંબાલાલની આગાહી જાણો

ગુજરાતમાં આ વખતે એક જ મહિનામાં 51 ટકા જેટલો વરસાદ પડી ગયો છે. જૂન અને જુલાઇ બંને મહિનામાં સારો વરસાદ...
Gujarat 
ગુજરાતમાં વરસાદ ગાયબ, હવે ક્યારે પાછો ફરશે? અંબાલાલની આગાહી જાણો
Copyright (c) Khabarchhe All Rights Reserved.