પતિ, સાસુ-સસરા બધા કરિયાવર કેસમાં જેલ ગયા, મૃત વહુ 2 વર્ષે જીવતી નીકળી; પ્રેમી સાથે...

ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લામાં કરિયાવર હ*ત્યાનો એક કેસ, જે પોલીસ અને કોર્ટમાં પહોંચ્યો હતો, તેમાં હવે નવો વળાંક આવી ગયો છે. જે મહિલાને મૃત માનવામાં આવી હતી તે જીવતી નીકળી. રુચિ નામની આ મહિલા ગ્વાલિયરમાં તેના પ્રેમી સાથે પત્ની તરીકે રહેતી હતી. બીજી તરફ તેના સાસરિયાના 6 લોકો પર કરિયાવર, હ*ત્યા અને પુરાવાનો નાશ કરવાના ગંભીર આરોપ લાગી ચૂક્યા હતા. હવે પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આખો કેસ બનાવટી હતો.

શું છે આખો મામલો?

ઇન્ડિયા ટૂડેના અહેવાલ મુજબ, આ કેસ ગાઝીપુરના બરહાપાર ભોજુરાઈ ગામનો છે. રાજવંતી દેવીએ 2023માં પોતાની પુત્રી રુચિના લગ્ન રાજેન્દ્ર યાદવ સાથે કર્યા હતા. 3 ઓક્ટોબરના રોજ તેણે ફરિયાદ નોંધાવી હતી કે તેની પુત્રીના સાસરિયાના લોકોએ હત્યા કરી દીધી અને મૃતદેહ ઠેકાણે લગાવી દીધો છે. તેની ફરિયાદના આધારે પોલીસે તેના પતિ રાજેન્દ્ર યાદવ, તેની સાસુ કમલી દેવી અને પરિવારના અન્ય 4 સભ્યો સામે કરિયાવર હત્યા અને પુરાવાનો નાશ કરવાનો કેસ નોંધ્યો.

fake-dowry-case
thelallantop.com

આ કેસને ગંભીરતાથી લેતા સાદાતના CO રામકૃષ્ણ તિવારીએ સર્વેલન્સ ટીમની મદદથી તપાસ શરૂ કરી. ટેક્નિકલ ટ્રેકિંગ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે રુચિ જીવિત છે અને ગ્વાલિયરમાં ગજેન્દ્ર યાદવ નામના વ્યક્તિ સાથે રહે છે. ત્યારબાદ, પોલીસ ટીમ ગ્વાલિયર પહોંચી અને 7 ઓક્ટોબરના રોજ તેને શોધી કાઢી.

પૂછપરછ દરમિયાન રુચિએ કબૂલાત કરી કે, રાજેન્દ્ર યાદવ સાથે તેના લગ્ન તેની ઇચ્છા વિરુદ્ધ નક્કી કરવામાં આવ્યા હતા. તેણે કહ્યું કે તે રેવઈ ગામના રહેવાસી ગજેન્દ્રને સ્કૂલના દિવસોથી પ્રેમ કરતી હતી અને આખરે તેની સાથે લગ્ન કરવા માટે તેની સાથે ભાગી ગઈ હતી. તો, રુચિના પતિ રાજેન્દ્ર યાદવે કહ્યું કે, ‘અમે નિર્દોષ હતા પરંતુ અમારા પર ખોટા આરોપ લગાવવામાં આવ્યા. મારી પત્ની ક્યારેય અમારી સાથે રહી નહોતી અને ઘણીવાર પરિવારના સભ્યો સાથે ઝઘડો કરતી હતી. તેના માતા-પિતા જાણતા હતા કે તે કોઈ બીજાને પ્રેમ કરે છે, છતા તેમણે અમને ખોટા કેસમાં ફસાવ્યા.

fake-dowry-case2
aajtak.in

CO તિવારીએ કરિયાવર હ*ત્યાના ખોટા આરોપોની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું કે, ‘અમારી તપાસમાં સાબિત થયું છે કે મહિલા જીવિત છે. કરિયાવર હત્યાનો કેસ બનાવટી હતો. હવે ખોટી ફરિયાદ નોંધાવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે રુચિને મેડિકલ તપાસ બાદ કોર્ટમાં રજૂ કરી હતી.

About The Author

Related Posts

Top News

ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ, તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

એક તરફ, અમેરિકા ટ્રેડ વૉર અને ભારે ટેરિફ દ્વારા પોતાની અર્થવ્યવસ્થાને સમેટી રહ્યું છે, જ્યારે બીજી તરફ, ...
National 
ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ,  તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

એલનાઝ નોરોઝી છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં છવાયેલી છે. તે પોતાના દેશ ઈરાનના શાસકો વિરુદ્ધ બોલી રહી છે. એલનાઝે અલી ખામેનીના...
Entertainment 
ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, સરકારે ભારતની ઉર્જા સુરક્ષામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ...
National 
ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ 2026 T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ પહેલા મેચ અધિકારીઓની જાહેરાત કરી દીધી છે. બંને સેમિફાઇનલ ...
Sports 
ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.