રાહુલ મામલે કોંગ્રેસ નેતાએ સુધીર ચૌધરીને મોકલી લીગલ નોટિસ, એન્કરે આપ્યો જવાબ

રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં દોષી ઠેરવ્યા બાદ પત્રકાર સુધીર ચૌધરીને કોંગ્રેસ નેતા શ્રીનિવાસ બી.વી.એ નોટિસ મોકલી છે. પોતાના કાર્યક્રમમાં સુધીર ચૌધરીએ એક કહાની સંભળાવતા કહ્યું કે, બીજાઓના ગુના ગણાવીને રાહુલ ગાંધીના ગુના ઓછા નહીં થાય. આ સંદર્ભે સુધીર ચૌધરી અને શ્રીનિવાસ બીવી વચ્ચે ટ્વીટર પર બહેસ પણ થઈ હતી અને હવે નોટિસ મોકલી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, આ વીડિયોને ચેનલ પોતાના બધા પ્લેટફોર્મ પરથી હટાવે અને માફીનામાનો વીડિયો અન્ય પ્લેટફોર્મ સાથે ટ્વીટર પર શેર કરે.

નોટિસને શેર કરતા કોંગ્રેસ નેતા શ્રીનિવાસે ટ્વીટર પર લખ્યું કે, પત્રકારત્વના બધા નૈતિકતા અને માપદંડોનું ઉલ્લંઘન કરનારા તમારા અત્યધિક આપત્તિજનક અને અપમાનજનક વીડિયો માટે આ એક બ્લેક એન વ્હાઇટ લીગલ નોટિસ છે. હવે કોર્ટમાં જોઈશું. તેના પર જવાબ આપતા સુધીર ચૌધરીએ લખ્યું કે, હું સત્ય બોલું છું. દેશ માટે બોલું છું અને છેલ્લા શ્વાસ સુધી સત્યના માર્ગે જ ચાલીશ. આ અગાઉ કોંગ્રેસ નેતા દ્વારા નોટિસ મોકલવાની વાત પર સુધીર ચૌધરીએ કહ્યું હતું કે, હું ભારતના અવાજ માટે લડી રહ્યો છું, દરેક કિંમત ચૂકવવા તૈયાર છું.

અંબિકા પાડે નામના યુઝરે લખ્યું કે, જ્યારે રાજનીતિમાં જીત મળી રહી નથી તો વરિષ્ઠ પત્રકાર સુધીરજી પર કેસ કરી રહ્યા છે. અરે સાહેબ આ જ પરિસ્થિતિ રહી તો જ્યાં છો ત્યાં પણ નહીં બચી શકો. સુમિત નામના યુઝરે લખ્યું કે, જો વિપક્ષને લાગે છે કે મીડિયા વેચાયેલી છે તો તે ભાવ કેમ નથી લગાવતું. એક અન્ય યુઝરે લખ્યું કે, તમે આ પ્રકારના કેસ પર ટિપ્પણી કરી રહ્યા છો સુધીરજી, આ કેસ વધારે દિવસ સુધી નહીં ટકી શકે. અન્ય એક યુઝરે લખ્યું કે, સારું કર્યું નોટિસ આપીને, આજકાલ મીડિયાવાળા કંઈક વધારે જ બોલવા લાગ્યા છે.

પાર્થ નામના યુઝરે લખ્યું કે, તેઓ વિપક્ષમાં રહેવા પર મીડિયા પર આ પ્રકારનો દબાવ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, વિચારો જો સત્તામાં રહેવા પર શું કરતા હશે? શ્યામ નામના યુઝરે લખ્યું કે, આ પ્રકારની નોટિસ અન્ય ઘણી ચેનલોના એન્કરોને આપવાની જરૂરિયાત છે. આલોક નામના વેરીફાઇડ અકાઉન્ટ પરથી કમેન્ટ કરવામાં આવી કે બ્લેક એન્ડ વ્હાઇટમાં.. આ દિલ્હીમાં કારથી નીકળીને ભાગતો વ્યક્તિ કોણ છે? જ્ઞાન જરા હટકે નામના યુઝરે લખ્યું કે, કોઈ કેસ બનતો નથી, કોર્ટમાં નહીં ટકે. એક યુઝરે લખ્યું કે, રાહુલ ગાંધી નામનો વ્યક્તિ આશાથી વધારે ડરપોક નીકળ્યો. એક સામાન્ય પત્રકારથી ડરી ગયો.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.