રામ મંદિરમાં હા-ના વચ્ચે ફસાયું વિપક્ષ, CM બોલ્યા- તેઓ બાબરના લોકોથી ડરે છે

On

અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે, તેને લઈને જાત જાતની રાજનીતિક પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ વિપક્ષી પાર્ટીઓ અને તેમના નેતાઓના 22 જાન્યુઆરી 2024ના કાર્યક્રમમાં સામેલ કરવાને લઈને ટિપ્પણી કરી છે. તેમણે પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, ‘વિપક્ષના લોકો અયોધ્યા જાય કે ન જાય. કોઈ ફરક પડતો નથી. તેનાથી ત્યાંની રોનક ઓછી નહીં થાય.'

હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે, ‘ભારતના લોકો ઉત્સાહિત છે. આપણે લોકો તરસી રહ્યા છીએ કે નિમંત્રણ મળે. તેમને નિમંત્રણ મળ્યું છે તો તેઓ તેમાં પણ રાજનીતિ જોઈ રહ્યા છે. વિપક્ષના નેતા ઇન્વિટેશન મળ્યા બાદ પણ ખબર નહીં શું વિચાર કરી રહ્યા છે. રાજનીતિને સાઇડ પર રાખીને તેમણે અયોધ્યા જવું જોઈએ, પરંતુ તેઓ બાબરના લોકોથી ડરે છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતા નહીં જાય રામ મંદિરને જોવા. જ્યારે હિન્દુઓનો દબાવ વધશે માત્ર ત્યારશે જશે તેઓ.'

કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે પોતાની પાર્ટીના નેતાઓના અયોધ્યા જવાના સવાલ પર કહ્યું કે, ‘અમે ધર્મને રાજનીતિ સાથે જોડવાનું પસંદ કરતા નથી. આસ્થા રાજનીતિથી અલગ હોય છે. લોકો પોતાના હિસાબે કામ કરે છે. બસ રાજનીતિ અને આસ્થાને અલગ રાખવી જોઈએ. અમારું એમ માનવું છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે સોનિયા ગાંધી સિવાય કોંગ્રેસના હાલના અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખરગે અને લોકસભામાં પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરીને રામ મંદિર ઉદ્વઘાટનના કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા છે.'

રામ મંદિર લોકાર્પણ સમારોહમાં સામેલ થવાનું નિમંત્રણ માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા સીતારામ યેચુરીને પણ મળ્યું છે. તેમને આ બાબતે પૂછવામાં આવતા કહ્યું કે, રામ મંદિરનું ઉદ્વઘાટન ભારતના વડાપ્રધાન કરશે. મુખ્યમંત્રી યોગી પણ ત્યાં રહેશે. સંવૈધાનિક પદો પર બેઠા લોકો ત્યાં રહેશે. આ ધર્મનું ખુલ્લુ રાજનીતિકરણ છે. એ રાજનીતિક ઉદ્દેશ્ય માટે લોકોની રાજનીતિક ઉદ્દેશ્યો માટે લોકોની ધાર્મિક ભાવનાઓનો ઘોર દુરુપયોગ છે એટલે અમે આ બાબતે સ્પષ્ટ છીએ કે આ કાર્યક્રમમાં સામેલ નહીં થાય.

રામ મંદિર ઉદ્વઘાટન સમારોહને લઈને NCP (શરદ પવાર ગ્રુપ) ધારાસભ્ય  જિતેન્દ્ર અવ્હાડે પણ ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે, રામલલા કોઈના બાપની પ્રોપર્ટી છે કે? રામ પર તેમનો (ભાજપ)નો માલિકી હક્ક છે કે? તમે તો રામનો ઉપયોગ કરો છો. વર્ષ 1970થી લઈને આજ સુધી ગંગા જળ હોય, ઈંટ હોય, માટી હોય, તમે વેચી વેચીને રામ મંદિર બનાવવાનું કામ કર્યું. હવે ભાજપની જમીની હાલત ખરાબ છે તો ચૂંટણી દરમિયાન તેમને રામલલા યાદ આવી ગયા છે. રામ તો દિલોમાં વસે છે. રાજનીતિ માટે તેમનો ઉપયોગ કરવું સારું નથી. તેઓ કોણ હોય છે નિમંત્રણ આપનારા. શું અમને મંદિર જતા રોકશો?

Top News

વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

આજે આપણે વાત કરીએ એક એવા સમાજસેવકની જે ધરાતલ પર સમાજસેવા અને લોકસંપર્ક કરે છે.  આજના સોશિયલ મીડિયાના યુગમાં જ્યાં...
Politics 
વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

PM નરેન્દ્ર મોદી 30 માર્ચે નાગપુરમાં RSS મુખ્યાલયની મુલાકાત લેશે. 2014માં PM બન્યા પછી આ પહેલી વાર હશે, ...
National 
એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 17 વર્ષથી વીરાંજલિ સમિતિ દ્વારા ગુજરાતના અલગ અલગ સ્થળો પર વીરાંજલિ નામે કાર્યક્રમો યોજી 23મી માર્ચે શહીદ દિન ઉજવવામાં...
Gujarat 
સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 10 વર્ષમાં રેલવેએ કેટલા લોકોને આપ્યો રોજગાર, કેટલી ભરતી પ્રોસેસમાં છે? અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે રાજ્યસભામાં વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે તેમણે રેલવેમાં ભરતીને લઈને ભ્રામક નિવેદનો ન આપવા...
National  Politics 
છેલ્લા 10 વર્ષમાં રેલવેએ કેટલા લોકોને આપ્યો રોજગાર, કેટલી ભરતી પ્રોસેસમાં છે? અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી
Copyright (c) Khabarchhe All Rights Reserved.