જમ્મુ-કાશ્મીરમાં બહારના કેટલા લોકોએ જમીન ખરીદી? સરકારે સંસદમાં જણાવ્યું

જમ્મુ અને કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ એટલે કે છેલ્લા ત્રણ વર્ષમાં કેટલા લોકોએ કેન્દ્રશાસિત પ્રદેશમાં જમીન ખરીદી છે, જે અન્ય રાજ્યોના રહેવાસી છે? બુધવારે સંસદમાં પ્રશ્નકાળ દરમિયાન આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આ લેખિત પ્રશ્નનો લેખિત જવાબ સરકાર દ્વારા ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં પણ આપવામાં આવ્યો છે.

કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે આ પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી છે કે, છેલ્લા ત્રણ વર્ષમાં 185 લોકોએ જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદી છે, જેઓ આ કેન્દ્રશાસિત પ્રદેશના રહેવાસી ન હતા. તેમણે રાજ્યસભામાં એ પણ માહિતી આપી છે કે, કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં અન્ય કોઈપણ રાજ્યના રહેવાસીએ જમીન ખરીદી નથી.

ગૃહ રાજ્ય મંત્રીએ તેમના લેખિત જવાબમાં કહ્યું કે, જમ્મુ-કાશ્મીર સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, કેન્દ્રશાસિત પ્રદેશની બહારના એટલે કે અન્ય રાજ્યોમાંથી કુલ 185 લોકોએ અહીં જમીન ખરીદી છે. તેમણે રાજ્યસભાને એમ પણ કહ્યું છે કે, આ માહિતી વર્ષ 2020, 2021 અને 2022 માટે છે.

ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય દ્વારા રાજ્યસભામાં આપવામાં આવેલી માહિતી અનુસાર, વર્ષ 2020માં જમ્મુ-કાશ્મીરમાં માત્ર એક જ બહારના વ્યક્તિએ જમીન ખરીદી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે, વર્ષ 2021માં 57 લોકોએ અને વર્ષ 2022માં સૌથી વધુ 127 લોકોએ જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 5 ઓગસ્ટ, 2019ના રોજ, સરકારે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 2019 હટાવી દીધી હતી અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યું હતું. જમ્મુ અને કાશ્મીરની સાથે લદ્દાખ પણ કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે દેશના નકશા પર દેખાયો.

ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે પણ સંસદમાં માહિતી આપી છે કે, બહુરાષ્ટ્રીય કંપનીઓ સહિત કુલ 1559 કંપનીઓએ જમ્મુ-કાશ્મીરમાં રોકાણ કર્યું છે. તેમણે કહ્યું કે આ આંકડા જમ્મુ-કાશ્મીર સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી પર આધારિત છે. નિત્યાનંદ રાયે એમ પણ કહ્યું કે, છેલ્લા ત્રણ વર્ષમાં કોઈ કંપનીએ લદ્દાખમાં રોકાણ કર્યું નથી.

અહીં તમને જણાવી દઈએ કે, જમ્મુ અને કાશ્મીર રાજ્યના પુનર્ગઠન અને કલમ 370 હટાવ્યા બાદ ગૃહ મંત્રાલયે ઓક્ટોબર 2020માં એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે, કોઈપણ ભારતીય નાગરિક જમ્મુ-કાશ્મીરમાં રહેતા હોય તે સિવાયના, નગરપાલિકા વિસ્તારમાં ખેતીની જમીન સિવાયની જમીન ખરીદી શકે છે. ત્યારપછી રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરમાં કેટલા લોકોએ જમીન ખરીદી છે તે અંગે લેખિત પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.