સિક્કિમમાં વાદળ ફાટતા 4 આર્મી જવાનના મોત, CMએ પાછલી સરકારને જવાબદાર ઠેરવી

સિક્કિમમાં વાદળ ફાટવાથી પુરની સ્થિતિને કારણે મોટી તબાહી  થઈ હતી, તેમાં અનેક લોકો સહિત આર્મીના જવાનો પણ પાણીના વહેણમાં વહી ગયા હતા. આ ઘટનામાં 19 લોકોના મોત થયા છે, જેમાંથી 4 સેનાના જવાન પણ છે. હાલ સુધી 103 લોકો હજુ પણ ગુમ છે. NDRFની ટીમ શોધખોળમાં લાગેલી છે. એક સુરંગમાં પણ લોકો ફસાયેલા છે અને 60 જવાનોની ટીમને તેમના રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગેલી છે.

સિક્કિમ CM: પાછલી સરકારે કરાવેલા ડેમના વાહિયાત નિર્માણને કારણે આપદા આવી

સિક્કિમમાં વાદળ ફાટવાને કારણે આવેલા ભયાવહ પૂરમાં ચુંગથાંગ ડેમના તૂટવા પાછળ રાજ્યની પાછલી સરકાર જવાબદાર છે. આવું સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગનું કહેવું છે. તેમણે કહ્યું કે, ચુંગથાંગ ડેમ તૂટવાનું કારણ પાછલી રાજ્ય સરકાર દ્વારા કરાવવામાં આવેલું ઘટિયા નિર્માણ છે. તીસ્તા નદીમાં પૂર આવવાને કારણે 1200 મેગાવોટનો હાઈડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ વહી ગયો છે. સિક્કિમના મુખ્યમંત્રીએ આ વિપદા માટે પૂર્વ CM પવન કુમાર ચામલિંગની સિક્કિમ ડેમોક્રેટિક ફ્રંટ સરકારને જવાબદાર ગણાવી છે. જણાવીએ કે, પવન ચામલિંગ સિક્કિમમાં 24 વર્ષોથી વધારે સમય માટે સત્તામાં રહ્યા હતા.

સીએમ પ્રેમ સિંહ તમાંગે કહ્યું કે, ચુંગથાંગ ડેમ સંપૂર્ણ રીતે વહી ગયો છે. આ કારણે રાજ્યના નીચલા બેલ્ટમાં વિપદા આવી છે. જણાવીએ કે, મંગળવારે રાતે સિક્કિમમાં વાદળ ફાટવાને કારણે આવેલા પૂરથી ભયંકર વિનાશ થયો છે. આ વિપદામાં અત્યાર સુધીમાં 19 લોકોના મોત થયા છે. જેમાં ઘણાં સૈન્ય જવાનો સામેલ છે. તો 16 જવાનો સહિત 103 લોકો ગુમ છે. દેશભરમાંથી આવેલા 3000થી વધારે પર્યટકો સિક્કિમમાં ફસાયા છે. અત્યાર સુધીમાં 2500 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે અને 6000 લોકોને રાહત શિવિરમાં મોકલી દેવામાં આવ્યા છે.

મંગળવારે રાતે વાદળ ફાટવાને કારણે તીસ્તા નદીમાં અચાનક પૂર આવવાથી ભયંકર વિનાશ થયો. લોકોના મનમાં એ સવાલ ઊભો થઇ રહ્યો છે કે આખરે, આ વિનાશકારી પૂરનું કારણ શું હતું. આનું સૌથી મોટું કારણ સિક્કિમમાં વધારે માત્રામાં વરસાદ પડવાનું છે. આ ઉપરાંત ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લટને કારણે અચાનક તીસ્તા નદીમાં પાણીની જળસપાટી વધી ગઇ અને નદીએ વિકરાળ રૂપ ધારણ કરી લીધું. આ વિનાશકારી પૂરમાં સિક્કિમનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંપૂર્ણ રીતે બર્બાદ થયું છે. નેશનલ હાઈવે 10 પણ ક્ષતિગ્રસ્ત થયો છે. સિક્કિમના મંગન, ગેંગટોક, પાકયોંગ, નામચી જિલ્લા સૌથી વધારે પ્રભાવિત થયા છે.

સિક્કિમના ઉપરી વિસ્તારોમાં એક ગ્લેશિયલ તળાવ ફાટવાથી અચાનક પૂર આવી ગયું અને અન્યમાં વિસ્ફોટ થયો. જેને કારણે ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું અને બુધવારે તીસ્તા નદીના જળસ્તરમાં ભારે વધારો થયો. જેને લીધે સિક્કિમમાં મોટા સ્તરે વિનાશ થયો છે.

About The Author

Related Posts

Top News

નેહા સાથે લગ્ન કર્યાના 15 દિવસમાં પતિએ પોલીસ ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા

હાપુરની એક નવપરિણીત દુલ્હનની ખુશીને ત્યારે મોટો ઝટકો લાગ્યો જ્યારે તેનો પતિ લગ્નના 15 દિવસ પછી જ તેને છોડીને મંદિરમાં...
National 
નેહા સાથે લગ્ન કર્યાના 15 દિવસમાં પતિએ પોલીસ ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા

હું ભગવાનમાં માનતો નથી, હું દશરથના માર્ગે ચાલું છુંઃ કમલ હાસન

દક્ષિણ અભિનેતા કમલ હાસન આ દિવસોમાં તેમની આગામી ફિલ્મ 'ઠગ લાઈફ'ને લઈને સમાચારમાં છે. અભિનેતા તેના પ્રમોશનમાં...
Entertainment 
હું ભગવાનમાં માનતો નથી, હું દશરથના માર્ગે ચાલું છુંઃ કમલ હાસન

સુરતના પ્રસિદ્ધ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધી મુખ્યમંત્રી દ્વારા સન્માનિત

સુરત: ગુજરાત અને સુરતના જાણીતા ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધીને ન્યુરોવાસ્ક્યુલર અને પેરિફેરલ વાસ્ક્યુલર ઇન્ટરવેન્શન રેડિયોલોજીના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન બદલ...
Gujarat 
સુરતના પ્રસિદ્ધ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધી મુખ્યમંત્રી દ્વારા સન્માનિત

ડૉ. ગૌરવ ખંડેલવાલનું સ્પાઈન સર્જરીના ક્ષેત્રમાં મુખ્યમંત્રીએ કર્યું બહુમાન

સુરતઃ શેલ્બી હોસ્પિટલ્સ લિમિટેડ, સુરતના સ્પાઈન સર્જરી વિભાગના વડા ડૉ. ગૌરવ ખંડેલવાલ દેશના અગ્રણી સ્પાઈન સર્જન તરીકે ઓળખાય છે. તેમણે...
Gujarat 
ડૉ. ગૌરવ ખંડેલવાલનું સ્પાઈન સર્જરીના ક્ષેત્રમાં મુખ્યમંત્રીએ કર્યું બહુમાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.