મહિલાને ગળે લગાડવી ગુનો નથી,બ્રિજ ભૂષણની દલીલ પર પોલીસે કહ્યું- પૂરતા પુરાવા છે

મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણીના મામલામાં BJPના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ એટલા પુરાવા છે કે, તે કેસ ચલાવવા માટે પૂરતા છે. આ વાત ખુદ સરકારી વકીલ અતુલ કુમાર શ્રીવાસ્તવે રૂઝ એવન્યુ કોર્ટમાં કહી છે. વકીલે આ કેસમાં દિલ્હી પોલીસની ચાર્જશીટનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે પોલીસની ચાર્જશીટ જોતા બ્રિજભૂષણ શરણ સિંહ અને વિનોદ તોમર વિરુદ્ધ આરોપો ઘડવામાં આવે. બ્રિજભૂષણ શરણ સિંહ પર રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ તરીકે મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણીનો આરોપ છે.

11 ઓગસ્ટે રૂઝ એવન્યુ કોર્ટના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ હરજીત સિંહ જસપાલે આ મામલે સરકારી વકીલની દલીલો સાંભળી હતી. આ પહેલા 9 ઓગસ્ટના રોજ બ્રિજ ભૂષણ શરણ સિંહના વકીલ રાજીવ મોહને દલીલ કરી હતી કે 'જાતીય ઉદ્દેશ્ય વિના મહિલાને સ્પર્શ કરવો એ ગુનાહિત પ્રવૃત્તિ નથી'. તેમણે કહ્યું હતું કે, બ્રિજ ભૂષણ સામેના એક આરોપમાં માત્ર ગળે લગાવવાનો સમાવેશ થાય છે. ગળે મળવાને ગુનો ન ગણવો જોઈએ તેવું પણ કહેવામાં આવ્યું હતું.

11 ઓગસ્ટે પોતાની દલીલો આપતી વખતે વકીલે કોર્ટને કહ્યું હતું કે, 'આરોપીએ કયા ઈરાદાથી ગળે લગાવ્યો છે તે મહત્વનું છે.'

બ્રિજભૂષણ શરણ સિંહના વકીલે કહ્યું હતું કે, મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવા માટે તેમની સામે હુમલો અથવા ફોજદારી બળનો કેસ બનતો નથી. આ અરજી પર અતુલ કુમાર શ્રીવાસ્તવે કહ્યું કે, એક કેસમાં વારંવાર જાતીય સતામણી સામેલ હતી. તેમણે કહ્યું કે તેથી બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવા માટે હુમલો અને ફોજદારી બળનો કેસ કરવામાં આવે. તેમણે કહ્યું, 'ચાર્જશીટ માટે વિસ્તૃત કારણોની જરૂર નથી. ચાર્જશીટમાં આરોપીઓ સામે પૂરતા પુરાવા છે,'

બ્રિજ ભૂષણના વકીલ રાજીવ મોહને કહ્યું હતું કે, મહિલા કુસ્તીબાજોને લગતા ઘણા મામલા દિલ્હી કોર્ટના અધિકારક્ષેત્રની બહાર એટલે કે અન્ય રાજ્યોના છે અને તેમનો કેસ અહીં ચલાવી શકાય તેમ નથી. એવી દલીલ પણ કરવામાં આવી હતી કે, ભારત બહાર થયેલી ઘટનાના કેસોની સુનાવણી કેન્દ્ર સરકારની મંજૂરી વિના દેશની અદાલતોમાં થઈ શકે નહીં.

આ અંગે અતુલ કુમાર શ્રીવાસ્તવે કહ્યું કે, જ્યારે સમગ્ર ઘટના વિદેશમાં થાય ત્યારે જ કેન્દ્ર સરકારની મંજૂરી જરૂરી છે. તેમણે દલીલ કરી હતી કે, 'ગુનાનો એક ભાગ આ દેશની ધરતી પર કરવામાં આવ્યો હતો, તેથી કેન્દ્ર સરકારની મંજૂરીની જરૂર નથી.'

તેમણે તો એવી પણ દલીલ કરી હતી કે, જો કોઈ ગુનો અંશતઃ એક વિસ્તારમાં અને અંશતઃ બીજા વિસ્તારમાં કરવામાં આવ્યો હોય, તો તે વિસ્તારની તમામ અદાલતો કેસ પર અધિકારક્ષેત્ર ધરાવી શકે છે. હવે આ મામલે આગામી સુનાવણી 19 ઓગસ્ટે થશે. હાલ આ કેસમાં બ્રિજ ભૂષણ સિંહને જામીન મળી ગયા છે.

About The Author

Top News

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.