પતિ-પત્નીનું બાથરૂમમાં મોતઃ હોળી રમીને નહાવા ગયા, ગેસ ગીઝરથી મોતની શંકા

ગાઝિયાબાદમાં ફેક્ટરી માલિક અને તેની પત્નીનું બાથરૂમમાં મૃત્યુ થયું હતું. બુધવારે હોળી રમ્યા બાદ બંને ન્હાવા ગયા હતા. બંનેના મૃતદેહ બાથરૂમમાં જ પડેલા મળી આવ્યા હતા. પોલીસનું માનવું છે કે ગેસ ગીઝરથી શ્વાસ રૂંધાવાથી બંનેના મોત થયા છે. બાથરૂમમાં વેન્ટિલેશન ન હતું. પોલીસને બાથરૂમની અંદરથી સિલિન્ડર અને ગીઝર મળી આવ્યા છે. હાલ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે.

દીપક ગોયલ (40) અને પત્ની શિલ્પી (36) તેમના બે બાળકો સાથે મુરાદનગરની અગ્રસેન કોલોનીમાં રહેતા હતા. સાંજે 4 વાગ્યાની આસપાસ તે ન્હાવા માટે બાથરૂમમાં ગયા હતા. જ્યારે તેઓ એક કલાક સુધી બહાર ન આવ્યા અને અંદરથી કોઈ પ્રકારનો અવાજ ન આવ્યો ત્યારે બાળકોને શંકા ગઈ. બાળકોએ બૂમ પાડી, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. આ પછી બાળકોએ પાડોશીઓને બતાવ્યું. પડોશીઓએ આવીને કાચ તોડીને દરવાજો ખોલ્યો, તો પતિ-પત્ની બેભાન હાલતમાં જમીન પર પડેલા મળી આવ્યા. તેઓને તાત્કાલિક યશોદા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાંથી પતિ-પત્નીના મોતની માહિતી મુરાદનગર પોલીસ સ્ટેશનને મળી હતી. આ પછી પોલીસ ઘરે પહોંચી. એક પોલીસ અધિકારીએ કહ્યું, 'જ્યારે તે તપાસ કરવા બાથરૂમની અંદર પહોંચ્યો ત્યારે તેને ગૂંગળામણનો અનુભવ થયો. ત્યાં યોગ્ય વેન્ટિલેશન નહોતું. બાથરૂમમાં કોઈ શંકાસ્પદ સંજોગો જોવા મળ્યા ન હતા.'

દીપક ગોયલે થોડા મહિના પહેલા પેંટ કરવામાં ઉપયોગમાં આવે તે કેમિકલની ફેક્ટરી ગાઝિયાબાદમાં ખોલી હતી. પત્ની શિલ્પી ગૃહિણી હતી. પરિવારમાં બે બાળકો હતા, પુત્રી 14 વર્ષની છે અને પુત્ર 12 વર્ષનો છે. દીપકને એક ભાઈ છે, જે મુરાદનગર શહેરના મોહલ્લા બ્રહ્મ સિંહમાં રહે છે. પરિવારે પણ બંનેના મોત ગેસ ગીઝરમાંથી ગૂંગળામણના કારણે થયાનું પણ જણાવ્યું છે.

ગાઝિયાબાદના ડૉ. પ્રદીપ યાદવ સમજાવે છે, 'ગેસ ગીઝરના બર્નર દ્વારા ઉત્પાદિત થતી આગ વધુ ઓક્સિજન વાપરે છે. આનાથી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે. કાર્બન મોનોક્સાઇડ પણ ઉત્પન્ન થાય છે. તે રંગહીન, ગંધહીન અને ઝેરી હોય છે. આ ગેસનું મૃત્યુનું કારણ બને છે. હૃદય અને મગજને જરૂરી ઓક્સિજન ન મળવાને કારણે, વ્યક્તિ બેભાન થઈ જાય છે. તેનું મૃત્યુ થઈ શકે છે.'

Related Posts

Top News

કંગના રણૌતે એમ કેમ કહ્યું કે- 'સંસદની હાલત એવી થઈ ગઈ છે કે ત્યાં બેસવું મુશ્કેલ છે'

આજે સંસદના ચોમાસુ સત્ર 2025ની કાર્યવાહીનો 10મો દિવસ છે અને આજે પણ ગૃહમાં સતત હોબાળો ચાલી રહ્યો છે. ગુરુવારે પણ...
National 
કંગના રણૌતે એમ કેમ કહ્યું કે- 'સંસદની હાલત એવી થઈ ગઈ છે કે ત્યાં બેસવું મુશ્કેલ છે'

'મતની ચોરી કરાવી રહ્યું છે ચૂંટણી પંચ, નિવૃત્ત થઇ જાય તો પણ છોડીશું નહીં'; રાહુલ ગાંધી થયા ઉગ્ર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે ચૂંટણી પંચ પર મોટો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે...
National 
'મતની ચોરી કરાવી રહ્યું છે ચૂંટણી પંચ, નિવૃત્ત થઇ જાય તો પણ છોડીશું નહીં'; રાહુલ ગાંધી થયા ઉગ્ર

CM યોગી પર બનેલી ફિલ્મ 'અજેય'ની રીલિઝ કેમ રોક લાગી ગઈ? સેન્સર બોર્ડે સર્ટિફિકેટ જ ન આપ્યું

'અજેય ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી'ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ  પ્રમાણપત્ર આપવાનો ઇનકાર કર્યો છે, ત્યારબાદ...
Entertainment 
CM યોગી પર બનેલી ફિલ્મ 'અજેય'ની રીલિઝ કેમ રોક લાગી ગઈ? સેન્સર બોર્ડે સર્ટિફિકેટ જ ન આપ્યું

હવે રાહુલ ગાંધીની પણ ચાપલૂસી શરૂ થઈ

રાહુલ ગાંધીની અત્યાર સુધી કોંગ્રેસ નેતાઓએ ચાપલૂસી કરી હોય તેવી વાત સામે નહોતી આવી, પરંતુ લાગે  છે કે સામાન્ય...
Politics 
હવે રાહુલ ગાંધીની પણ ચાપલૂસી શરૂ થઈ
Copyright (c) Khabarchhe All Rights Reserved.