ધોની સાથે મળી વર્લ્ડ કપ જીતનારા પૂર્વ ક્રિકેટરે કહ્યું- મારા માહી સાથે મતભેદ હતા

ધોનીની કેપ્ટન્સીમાં ભારતે વનડે વર્લ્ડ કપ 2011, ટી20 વર્લ્ડ કપ 2007 અને ICC ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતવામાં સફળતા મેળવી. ધોની ભારતીય ક્રિકેટમાં એવો કેપ્ટન રહ્યો છે, જેના નેજા હેઠળ ઘણાં યુવા ખેલાડીઓનું નસીબ ચમક્યું છે. ભારતીય ક્રિકેટમાં ધોની સૌથી સફળ કેપ્ટન રહ્યો છે. પોતાના કરિયરમાં ધોનીએ ઘણાં મિત્રો બનાવ્યા, તો ઘણાં ક્રિકેટરોને ધોનીનો અંદાજ પસંદ આવ્યો નહીં. ધોનીની કેપ્ટન્સીને લઇ સીનિયર ખેલાડીઓની વચ્ચે ટકરાવની પણ ખબરો આવતી રહી હતી. હાલમાં જ પૂર્વ ભારતીય ફાસ્ટ બોલરે એક ઈન્ટરવ્યૂમાં ધોનીને લઇ અમુક એવી વાતો કરી છે, જે ચર્ચાનો વિષય બની છે.

પોતાની વાત રજૂ કરતા આ પૂર્વ ફાસ્ટ બોલરે કહ્યું, માહી ભાઈ સાથે મારા પણ મતભેદ હતા. પણ હવે જ્યારે હું આ વાતોના ક્રિકેટ પક્ષને જોઉ છું તો કોઈ પણ એવું ન કહી શકે કે ધોનીએ તેમનું સમર્થન કર્યું નથી. અમુક સ્થિતિઓ એવી હોય છે, જે કેપ્ટનને જુદી રીતે વિચારવા પર મજબૂર કરે છે અને જીવન પણ આવું જ છે.

ભારતનો પૂર્વ ફાસ્ટ બોલર શ્રીસંત આગળ કહે છે કે, હું આ કહીશ તો જરા વિવાદાસ્પદ થઇ જશે...હા. તમે કહી શકો કે માત્ર 2-3 ખેલાડીઓ વિશે જ શા માટે વાત થાય છે. અમે પણ જીતમાં અમારી ભૂમિકા અદા કરી. પણ આ માત્ર એ રીતો વિશે છે જેમાં ધોની દરેક સમયે ટીમને લઇ સૌથી પહેલા વિચારતા હતા. તેમણે ટીમમાં સૌથી નવા ખેલાડીને કપ આપવાનું ચલણ શરૂ કર્યું. તેઓ ક્યારેય પણ લાઇમલાઇટ ઇચ્છતા નહોતા. તેઓ હંમેશા ઈચ્છતા હતા કે ટીમ સારું પ્રદર્શન કરે.

પૂર્વ ફાસ્ટ બોલરે આગળ કહ્યું કે, હાં... અમે દરેક ખેલાડીઓની કડી મહેનતના કારણે વર્લ્ડ કપ જીત્યા. જોકે, એક જહાજ પર ઘણા પ્રખ્યાત કલાકારો હોઇ શકે છે, પણ તેને એક સ્થાનેથી બીજા સ્થાન સુધી લઇ જવા માટેનું કામ હંમેશા કેપ્ટન દ્વારા કરવામાં આવે છે. એનાથી કોઇ ફરક નથી પડતો કે તમે ફ્લાઇટને કેટલા સમય માટે ઓટોપાયલટ પર રાખો છે, તમને પાયલટની જરૂર હોય છે.

જણાવીએ કે, વર્લ્ડ કપ 2023 શરૂ થવામાં થોડો જ સમય બચ્યો છે. તે પહેલા સોશિયલ મીડિયા પર ફેન્સની વચ્ચે એ વાત ચાલી રહી છે કે શું ધોની જેવો ચમત્કાર આ વખતે ભારતીય કેપ્ટન રોહિત શર્મા દેખાડી શકશે. ભારતને છેલ્લીવાર 2011માં વર્લ્ડ કપ જીતવાની ખ્યાતિ મળી હતી. તે સમયે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હતો. આ વર્લ્ડ કપમાં શ્રીસંત પણ ટીમમાં સામેલ હતો.

About The Author

Related Posts

Top News

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

ટ્રમ્પ ચોખા પર ટેરિફ વધારશે તો ગુજરાતને 100 કરોડનો ફટકો લાગશે

ભારત પર 50 ટકા ટેરિફ હોવા છતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના ચોખા પર ટેરિફ વધારવાની વાત કરી છે. જો...
World 
ટ્રમ્પ ચોખા પર ટેરિફ વધારશે તો ગુજરાતને 100 કરોડનો ફટકો લાગશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.