લગ્ન વચ્ચે હિમવર્ષા થઈ તો વરરાજો JCB લઇ દુલ્હનને પરણવા પહોંચ્યો, જુઓ Photos

દેશના પહાડી રાજ્યોમાં હિમવર્ષા થઇ રહી છે. હિમવર્ષામાં કારણે ઘણા રસ્તાઓ બંધ થઇ ગયા છે. ત્યારે હિમાલયના સિરમૌરમાં થયેલી હિમવર્ષાના કારણે રસ્તો બંધ થઇ જતા. ભારે વરસાદના કારણે રસ્તો બંધ થઈ ગયો હોવાના કારણે એક વરરાજો JCBથી રસ્તા પરનો બરફ હટાવીને કન્યાને પરણવા માટે પહોંચ્યો હતો.

આ ઘટના સિરમૌરના સબ-ડીવીઝન સંગડાહમાં વિજય પ્રકાશ નામના યુવકના લગ્ન યોજવાના હતા. પણ તે જગ્યા પર ભારે બરફ વર્ષાના કારણે ઠેર-ઠેર જગ્યા પર રસ્તા બંધ થઇ ગયા હતા. તેથી વિજય પ્રકાશ દુલ્હનને લેવા માટે JCB મશીન લઇને પહોંચ્યો હતી. રવિવારે રાત્રે 2 વાગયે વિજય લગ્ન સ્થળ પર JCB મશીનની સાથે પહોંચ્યો હતો અને ત્યારબાદ તેને ઠંડીના વાતાવરણ વચ્ચે લગ્નની તમામ રસમ પણ પૂર્ણ કરી હતી.

ભારે બરફ વર્ષાના કારણે જાન સમયસર લગ્ન સ્થળ પર પહોંચી શકી નહતી. તેથી પંડિત દ્વારા બીજી વખત લગ્ન મુહુર્ત જોવામાં આવ્યુ હતું અને નવા મુહુર્ત અનુસાર લગ્ન કરવામાં આવ્યા હતા.

કહેવામાં આવી રહ્યું કે, ભારે હિમવર્ષાના કારણે જાન લગ્ન સ્થળ પર 12 કલાક મોડી પહોંચી હતી. જાનને હિમવર્ષા વચ્ચે 7 કલાકનો સમય વિતાવવો પડ્યો હતો. આ ઉપરાંત જ્યારે JCBથી રસ્તો સાફ કરવામાં આવી રહ્યો હતી તે સમયે JCBમાં ડીઝલ પણ ખતમ થઇ ગયું હતું. તેથી JCBનો માલિક રામેશ્વર રાત્રે 12 આવ્યે બીજું JCB મશીન લઇને આવ્યો હતો અને ત્યારબાદ દુલ્હન અને વરરાજો ઘરે પહોંચ્યા હતા.

આ ઉપરાંત ભારે હિમવર્ષા વચ્ચે લગ્ન આ પ્રકારના બીજા લગ્નનો કિસ્સો ચુવાડી વિસ્તારમાં સામે આવ્યો હતો. જ્યાં વરરાજાને 4 કિલોમીટર દૂર દુલ્હનના ઘરે પહોંચવા માટે 7 કિલોમીટર ચાલવું પડ્યું હતું. રીત-રીવાજ અનુસાર લગ્ન થયા બાદ અઢી ફૂટ બરફમાંથી પસાર થવા માટે મિત્રોએ વરરાજા અને દુલ્હનને પાલકીમાં ઉઠાવ્યા હતા અને ત્યારબાદ તેઓ મોડી રાત્રે ઘરે પહોંચી શક્યા હતા.

આ પ્રકારના ત્રીજા લગ્ન ચંબા જિલ્લામાં સલૂણીમાં શનિવારના રોજ થઇ હતી. જ્યારે અનીત કુમાર નામનો યુવક 50 જાનૈયાની સાથે દુલ્હનને સાથે લઇને દોઢથી ત્રણ ફૂટની બરફમાં 40 કિલોમીટર ચાલીને બીજા દિવસે દુલ્હનની સાથે પોતાના ગામ શાલા પહોંચ્યા હતા.  

About The Author

Related Posts

Top News

રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ...
Politics 
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ક ફ્રોમ હોમ (WFH) અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાતના મોટા નેતાઓ અને અધિકારીઓએ...
Gujarat 
PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર હવે ભારતમાં વ્યાપકપણે જોવા મળી રહી છે. PM નરેન્દ્ર મોદી પોતે લોકોને બચત કરવા માટે વિનંતી કરી...
Business 
યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!

22 વર્ષની ઉંમરે, મોટાભાગના છોકરાઓ કોલેજ પુરી કરીને તેમની પહેલી નોકરી શોધવામાં અથવા તેમની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત હોય છે....
Tech and Auto 
સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.