અમેઠીનું શૌચાલય નહીં જોયું હોય, દિવાલ વગર જ 4 ટોયલેટ સીટ, અધિકારી જુઓ શું કહે

ઉત્તર પ્રદેશના જનપદ અમેઠીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે. અહીં જાહેર શૌચાલય દરવાજા અને દિવાર વગર જ બનાવી દેવામાં આવ્યું છે. શૌચાલયમાં 4 સીટ આજુબાજુ લગાવી દેવામાં આવી છે અને વચમાં કોઇ દિવાર જ રાખવામાં નથી આવી. વીડિયો વાયરલ થયા પછી કોંગ્રેસે અમેઠીના સાંસદ અને કેન્દ્રીય નેતા સ્મૃતિ ઇરાની સામે નિશાન સાધ્યું છે.તો સોશિયલ મીડિયા પર હોબાળો મચી જવાને કારણે અધિકારીએ આનો પાંગળો બચાવ કર્યો છે.

જનપદની જગદીશપુર વિધાનસભાના કટેહટી ગામનો આ મામલો છે. આ ગામમાં જાહેર શૌચાલયમાં 4 ટોયલેટ સીટ છે, પરંતુ દિવાર બનાવવા નથી આવી કે કોઇ દરવાજો પણ નથી. કોઇએ વીડિયો ઉતારીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો છે.

આ વીડિયો સામે ઉત્તર પ્રદેશ કોંગ્રેસે ટ્વીટ કરીને કેન્દ્રીય નેતા અને અમેઠીના સાંસદ સ્મૃતિ ઇરાની સામે નિશાન સાધ્યું છે. કોંગ્રેસે લખ્યિ કે અમેઠીમાં બનેલા આ શૌચાલયને દુનિયાની આઠમી અજાયબી તરીકે જાહેર કરવામાં આવે તો કેવું રહેશે. જુઓ અહીં 5 બેઠકો રાખવામાં આવી છે, કોંગ્રેસે કટાક્ષમાં કહ્યું કે પરંતુ વચ્ચે કોઇ દિવાર નથી. ઊલટાનું એવું ગોઠવાયુ છે કે જાણે એક હોલમાં પાંચ ખાટલા પડ્યા હોય.હા ભાઈ, હવે આ એક્સિડેન્ટલ MP મેડમ, મહારાણી મેડમના વિસ્તારમાં , તો કંઈક જુદું જ હોવું જોઈએ ને. કોંગ્રેસે આરોપ લગાવતા કહ્યુ કે પૈસા તો દિવાલ બનાવવાના પણ આવ્યા હશે તો પછી એ પૈસા કોણ ખાય ગયું? કોન્ટ્ર્કાટર, અધિકારી, મંત્રી કે પછી બધા ભેગા મળીને.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા પછી અધિકારીઓએ શૌચાલયની સાફસફાઇ કરાવી દીધી છે અને અધિકારીએ ક્હયું કે, એ તો નાના બાળકો માટે એક પ્રયોગ કરવા માટે આવું શૌચાલય બનાવવામાં આવ્યું છે.

ગ્રામ પ્રધાન જાવાદે કહ્યું કે આ શૌચાલય મારા સમયગાળામાં બન્યું નથી. અધિકારીઓ ગામ આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે કોઇ ખામી હશે તો સુધારી દેવામાં આવશે. ગામાના છોકરાઓ આવીને શૌચાલયમાં તોડફોડ કરી નાંખે છે.

પંચાયતી રાજ અધિકારી શ્રીકાંત યાદવે જણાવ્યું છે કે ગ્રામ પંચાયતમાં જાહેર શૌચાલય બનાવવામાં આવ્યા હતા, તે જ ક્રમમાં કાટેહટી ગામમાં જાહેર શૌચાલય બનાવવામાં આવ્યું છે. આ શૌચાલય તેમના માતાપિતા સાથે અહીં આવતા બાળકો માટે બનાવવામાં આવ્યું છે. અધિકારીએ કહ્યું કે આવા શૌચાલય માટે કોઈ સરકારી સૂચના નથી.

ગ્રામીણ દુર્ગેશ ઉપાધ્યાયે જણાવ્યું કે, શૌચાલય સુધી પહોંચવા માટે કોંક્રીટનો રસ્તો નથી. બાળકો માટે બનાવેલી સીટોમાં પડદો પણ નથી. અહીં છોકરીઓને મોકલવામાં ખચકાટ થાય છે. આજના યુગ પ્રમાણે આ રીતે શૌચાલય ન બનાવવું જોઈએ. શૌચાલયને બને તેટલી વહેલી તકે રીપેર કરાવવું જોઈએ.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.