અમેઠીનું શૌચાલય નહીં જોયું હોય, દિવાલ વગર જ 4 ટોયલેટ સીટ, અધિકારી જુઓ શું કહે

ઉત્તર પ્રદેશના જનપદ અમેઠીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે. અહીં જાહેર શૌચાલય દરવાજા અને દિવાર વગર જ બનાવી દેવામાં આવ્યું છે. શૌચાલયમાં 4 સીટ આજુબાજુ લગાવી દેવામાં આવી છે અને વચમાં કોઇ દિવાર જ રાખવામાં નથી આવી. વીડિયો વાયરલ થયા પછી કોંગ્રેસે અમેઠીના સાંસદ અને કેન્દ્રીય નેતા સ્મૃતિ ઇરાની સામે નિશાન સાધ્યું છે.તો સોશિયલ મીડિયા પર હોબાળો મચી જવાને કારણે અધિકારીએ આનો પાંગળો બચાવ કર્યો છે.

જનપદની જગદીશપુર વિધાનસભાના કટેહટી ગામનો આ મામલો છે. આ ગામમાં જાહેર શૌચાલયમાં 4 ટોયલેટ સીટ છે, પરંતુ દિવાર બનાવવા નથી આવી કે કોઇ દરવાજો પણ નથી. કોઇએ વીડિયો ઉતારીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો છે.

આ વીડિયો સામે ઉત્તર પ્રદેશ કોંગ્રેસે ટ્વીટ કરીને કેન્દ્રીય નેતા અને અમેઠીના સાંસદ સ્મૃતિ ઇરાની સામે નિશાન સાધ્યું છે. કોંગ્રેસે લખ્યિ કે અમેઠીમાં બનેલા આ શૌચાલયને દુનિયાની આઠમી અજાયબી તરીકે જાહેર કરવામાં આવે તો કેવું રહેશે. જુઓ અહીં 5 બેઠકો રાખવામાં આવી છે, કોંગ્રેસે કટાક્ષમાં કહ્યું કે પરંતુ વચ્ચે કોઇ દિવાર નથી. ઊલટાનું એવું ગોઠવાયુ છે કે જાણે એક હોલમાં પાંચ ખાટલા પડ્યા હોય.હા ભાઈ, હવે આ એક્સિડેન્ટલ MP મેડમ, મહારાણી મેડમના વિસ્તારમાં , તો કંઈક જુદું જ હોવું જોઈએ ને. કોંગ્રેસે આરોપ લગાવતા કહ્યુ કે પૈસા તો દિવાલ બનાવવાના પણ આવ્યા હશે તો પછી એ પૈસા કોણ ખાય ગયું? કોન્ટ્ર્કાટર, અધિકારી, મંત્રી કે પછી બધા ભેગા મળીને.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા પછી અધિકારીઓએ શૌચાલયની સાફસફાઇ કરાવી દીધી છે અને અધિકારીએ ક્હયું કે, એ તો નાના બાળકો માટે એક પ્રયોગ કરવા માટે આવું શૌચાલય બનાવવામાં આવ્યું છે.

ગ્રામ પ્રધાન જાવાદે કહ્યું કે આ શૌચાલય મારા સમયગાળામાં બન્યું નથી. અધિકારીઓ ગામ આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે કોઇ ખામી હશે તો સુધારી દેવામાં આવશે. ગામાના છોકરાઓ આવીને શૌચાલયમાં તોડફોડ કરી નાંખે છે.

પંચાયતી રાજ અધિકારી શ્રીકાંત યાદવે જણાવ્યું છે કે ગ્રામ પંચાયતમાં જાહેર શૌચાલય બનાવવામાં આવ્યા હતા, તે જ ક્રમમાં કાટેહટી ગામમાં જાહેર શૌચાલય બનાવવામાં આવ્યું છે. આ શૌચાલય તેમના માતાપિતા સાથે અહીં આવતા બાળકો માટે બનાવવામાં આવ્યું છે. અધિકારીએ કહ્યું કે આવા શૌચાલય માટે કોઈ સરકારી સૂચના નથી.

ગ્રામીણ દુર્ગેશ ઉપાધ્યાયે જણાવ્યું કે, શૌચાલય સુધી પહોંચવા માટે કોંક્રીટનો રસ્તો નથી. બાળકો માટે બનાવેલી સીટોમાં પડદો પણ નથી. અહીં છોકરીઓને મોકલવામાં ખચકાટ થાય છે. આજના યુગ પ્રમાણે આ રીતે શૌચાલય ન બનાવવું જોઈએ. શૌચાલયને બને તેટલી વહેલી તકે રીપેર કરાવવું જોઈએ.

Top News

પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એશિયા કપથી બહાર થવાનો નિર્ણય લીધો છે. BCCIએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (...
Sports 
પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા

મુંબઈમાં રવિવારે કંઈક એવું થયું, જે અધિકારીઓને હંમેશાં યાદ રહેશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ જ્યારે એક સાર્વજનિક મંચ...
National 
CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા

ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો

હરિયાણા સ્થિત યૂટ્યૂબર ધ્રૂવ રાઠી દ્વારા શીખ ગુરુઓ પર બનાવેલા વીડિયો પર વિવાદ થયો છે. 'બંદા સિંહ બહાદુર કી...
National 
ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો

‘મેં એક દિવસ કહ્યું હતું કે..’ અર્શદીપે માર ખાધો, પણ બેઇજ્જત થયો મોહમ્મદ રિઝવાન, વીડિયો વાયરલ

રાજસ્થાન રોયલ્સ (RR) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રવિવારે રોમાન્ચક મેચ જોવા મળી હતી. પંજાબે મેચ 10 રનથી...
Sports 
‘મેં એક દિવસ કહ્યું હતું કે..’ અર્શદીપે માર ખાધો, પણ બેઇજ્જત થયો મોહમ્મદ રિઝવાન, વીડિયો વાયરલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.