ઉમેદવારનું શુક્રવારે હાર્ટ એટેકથી અવસાન, શનિવારે 3 મતથી ચૂંટણી જીતી

જીવન પર કોઈનું પણ નિયંત્રણ હોતું નથી, માણસના જીવન મરણની પ્રક્રિયા ઉપરવાળાના હાથમાં હોય છે, આજે તે સાબિત થઈ ગયું છે. કાદિપુર નગર પંચાયતના ઉમેદવાર સંત પ્રસાદનું શુક્રવારે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. જ્યારે, બીજી તરફ આજે ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે ખબર પડી કે તેઓ ચૂંટણી જીતી ગયા છે. 

ઉત્તર પ્રદેશમાં આજે નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર રાજ્યની સાથે સાથે સુલતાનપુરની કાદીપુર નગર પંચાયતના નિરાલા નગર વોર્ડના પરિણામ પણ જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ અહીં જીતેલા ઉમેદવારનું મતગણતરીના એક દિવસ પહેલા શુક્રવારે હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. 

આ પછી, શનિવારે નિરાલા નગર વોર્ડના મૃત ઉમેદવાર સંતરામ નગર પંચાયત કાદીપુરમાં જીત્યા હતા. સંતરામે અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી. તેમને કુલ 217 વોટ મળ્યા હતા. સંતરામે તેમના વિરોધી રમેશને માત્ર ત્રણ મતથી હરાવ્યા હતા. 

એવું જણાવવામાં આવી રહ્યું છે કે, સંતરામનું શુક્રવારે કેરીના બગીચાની રક્ષા કરતી વખતે તેમને હાર્ટ એટેક આવવાથી તેમનું મૃત્યુ થયું હતું. કાઉન્સિલર ઉમેદવાર સંત પ્રસાદના મૃત્યુના સમાચાર મળતા જ તેમના વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. નગર પંચાયત કાદીપુરમાં દસ વોર્ડ છે. જેમાં નિરાલા નગર વોર્ડનો પણ સમાવેશ થાય છે. શોક વ્યક્ત કરવા માટે, મૃતક કાઉન્સિલર ઉમેદવારના ઘરે લોકોના ટોળાઓ ઉમટી પડ્યા છે. 

સંત પ્રસાદ 65 વર્ષના હતા. તેમને પરિવારમાં બે પુત્રો અને પાંચ પુત્રીઓ છે. બધી દીકરીઓને તેઓ પરણાવી ચુક્યા હતા. સંત પ્રસાદ બીજ, ફળો અને શાકભાજીનો વેપાર કરતા હતા. SDS શિવ કુમારના જણાવ્યા અનુસાર, હવે કાદીપુર નગર પંચાયતના નિરાલા વોર્ડ નંબર 10માં ફરીથી ચૂંટણી યોજવી પડશે. 

અહીં તમને જણાવી દઈએ કે, UPમાં 4 અને 11 મેના રોજ બે તબક્કામાં મતદાન થયું હતું, જેના મતોની આજે ગણતરી કરવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં UPના 37 જિલ્લાઓમાં 10 મ્યુનિસિપલ કોર્પોરેશન, 104 મ્યુનિસિપલ કાઉન્સિલ અને 276 નગર પંચાયતો પર ચૂંટણી યોજાઈ હતી. બીજા તબક્કામાં 38 જિલ્લામાં 7 મહાનગરપાલિકા, 95 નગર પરિષદ અને 268 નગર પંચાયતો પર ચૂંટણી યોજાઈ હતી. 

About The Author

Related Posts

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.