INDIA ગઠબંધને આ 14 ન્યૂઝ એન્કરોના બહિષ્કારની જાહેરાત કરી

વિપક્ષના INDIA ગઠબંધને આજે એક મોટો નિર્ણય લીધો છે. આગામી ચૂંટણી પહેલા  INDIA ગઠબંધનની કમિટીએ 14 એન્કરોનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. INDIA ગઠબંધનના કોઈપણ નેતાઓ આ 14 એન્કરો સાથે  હવે જોવા નહીં મળે, તેમને કોઈ ઈન્ટરવ્યૂ પણ નહીં આપે. બુધવારે INDIA ગઠબંધનની કમિટીની દિલ્હીમાં  બેઠક યોજાઈ હતી, જેમાં આ નિર્ણય લેવાયો હતો. બેઠક બાદ કમિટીએ મીડિયાને આ અંગે માહિતી આપી હતી કે, ગઠબંધનના સભ્યોએ નિર્ણય લીધો છે કે અમુક ચેનલો અને એન્કરો  તેમનું ગઠબંધન બહિષ્કાર કરશે.

14 એન્કર જેનો બહિષ્કાર કરવાનો નિર્ણય

સુધીર ચૌધરી

અર્નબ ગોસ્વામી

અદિતિ ત્યાગી

અમન ચોપરા

અમીશ દેવગન

આનંદ નરસિમ્હન

અશોક શ્રીવાસ્તવ

ચિત્રા ત્રિપાઠી

ગૌરવ સાવંત

નવિકા કુમાર

પ્રાચી પરાશર

રુબિયા લિયાકત

શિવ અરુર

સુશાંત સિન્હા

આ અંગે ગઠબંધન સમિતિના સભ્યએ જણાવ્યું હતું કે, બહિષ્કાર કરવાનો નિર્ણય એ આધાર પર લેવામાં આવ્યો છે કે, આ જનતાથી જોડાયેલા મુદ્દાથી કેટલા દૂર છે. અમુક એન્કરો લોકોને મંદિર-મસ્જિદના ઝઘડામાં અટવાયેલા રાખે છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે, અમુક મહિના સુધી આ ચેનલો અને એન્કરોના શો રિવ્યૂ કરવામાં આવશે અને જો એમાં સુધારો જોવા મળે તો બહિષ્કારનો નિર્ણય પાછો લઈ શકાય છે.

બહિષ્કાર બાદ પણ જો આમાં સુધારો નહીં આવે તો તેમણે કહ્યું કે, અત્યારે 11 રાજ્યોમાં ગઠબંધન સરકાર છે અને આ રાજ્યોમાં આ ચેનલો પર જાહેરાતો પર રોક લગાવવાનો પણ નિર્ણય લેવામાં આવી શકે છે.

Top News

RBI ગવર્નરએ જણાવ્યું દેશ પાસે કેટલો વિદેશી ખજાનો છે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ શુક્રવારે જણાવ્યું હતું કે, 30મી તારીખે પૂરા થયેલા સપ્તાહમાં દેશના વિદેશી...
Business 
RBI ગવર્નરએ જણાવ્યું દેશ પાસે કેટલો વિદેશી ખજાનો છે

મારે તો જયેશ રાદડીયાને મંત્રી બનતા જોવા છે, કિરીટ પટેલનું ચોંકાવનારું નિવેદન

વિસાવદરના ભાજપના ઉમેદવાર કિરિટ પટેલે એક જાહેરસભામાં ચોંકાવનારું નિવેદન કર્યુ છે. આ નિવેદનને કારણે સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
Politics 
મારે તો જયેશ રાદડીયાને મંત્રી બનતા જોવા છે, કિરીટ પટેલનું ચોંકાવનારું નિવેદન

DyCM શિંદે મોડા આવ્યા, તો પાયલટે કહી દીધું ડ્યુટી સમય પૂરો થઈ ગયો છે

મહારાષ્ટ્રના DyCM એકનાથ શિંદેનો સામાન્ય માણસ (કોમન મેન) અવતાર ફરી એકવાર સામે આવ્યો છે. એક સમયે ઓટો રિક્ષા ચલાવનારા DyCM ...
National 
DyCM શિંદે મોડા આવ્યા, તો પાયલટે કહી દીધું ડ્યુટી સમય પૂરો થઈ ગયો છે

રાહુલે કરેલા 'મહારાષ્ટ્ર ચૂંટણી ફિક્સિંગ'ના આરોપોનો ચૂંટણી પંચે 4 મુદ્દાથી આપ્યો જવાબ

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ X પર પોસ્ટ કર્યા પછી કે મહારાષ્ટ્રમાં નવેમ્બર 2024ની ચૂંટણીમાં 'ગડબડ' ...
National 
રાહુલે કરેલા 'મહારાષ્ટ્ર ચૂંટણી ફિક્સિંગ'ના આરોપોનો ચૂંટણી પંચે 4 મુદ્દાથી આપ્યો જવાબ
Copyright (c) Khabarchhe All Rights Reserved.