INDIA ગઠબંધને આ 14 ન્યૂઝ એન્કરોના બહિષ્કારની જાહેરાત કરી

વિપક્ષના INDIA ગઠબંધને આજે એક મોટો નિર્ણય લીધો છે. આગામી ચૂંટણી પહેલા  INDIA ગઠબંધનની કમિટીએ 14 એન્કરોનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. INDIA ગઠબંધનના કોઈપણ નેતાઓ આ 14 એન્કરો સાથે  હવે જોવા નહીં મળે, તેમને કોઈ ઈન્ટરવ્યૂ પણ નહીં આપે. બુધવારે INDIA ગઠબંધનની કમિટીની દિલ્હીમાં  બેઠક યોજાઈ હતી, જેમાં આ નિર્ણય લેવાયો હતો. બેઠક બાદ કમિટીએ મીડિયાને આ અંગે માહિતી આપી હતી કે, ગઠબંધનના સભ્યોએ નિર્ણય લીધો છે કે અમુક ચેનલો અને એન્કરો  તેમનું ગઠબંધન બહિષ્કાર કરશે.

14 એન્કર જેનો બહિષ્કાર કરવાનો નિર્ણય

સુધીર ચૌધરી

અર્નબ ગોસ્વામી

અદિતિ ત્યાગી

અમન ચોપરા

અમીશ દેવગન

આનંદ નરસિમ્હન

અશોક શ્રીવાસ્તવ

ચિત્રા ત્રિપાઠી

ગૌરવ સાવંત

નવિકા કુમાર

પ્રાચી પરાશર

રુબિયા લિયાકત

શિવ અરુર

સુશાંત સિન્હા

આ અંગે ગઠબંધન સમિતિના સભ્યએ જણાવ્યું હતું કે, બહિષ્કાર કરવાનો નિર્ણય એ આધાર પર લેવામાં આવ્યો છે કે, આ જનતાથી જોડાયેલા મુદ્દાથી કેટલા દૂર છે. અમુક એન્કરો લોકોને મંદિર-મસ્જિદના ઝઘડામાં અટવાયેલા રાખે છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે, અમુક મહિના સુધી આ ચેનલો અને એન્કરોના શો રિવ્યૂ કરવામાં આવશે અને જો એમાં સુધારો જોવા મળે તો બહિષ્કારનો નિર્ણય પાછો લઈ શકાય છે.

બહિષ્કાર બાદ પણ જો આમાં સુધારો નહીં આવે તો તેમણે કહ્યું કે, અત્યારે 11 રાજ્યોમાં ગઠબંધન સરકાર છે અને આ રાજ્યોમાં આ ચેનલો પર જાહેરાતો પર રોક લગાવવાનો પણ નિર્ણય લેવામાં આવી શકે છે.

Top News

બલુચિસ્તાનની પાછળ કેમ પડી ગયું છે ચીન, જાણવા મળ્યું સાચું કારણ

પાકિસ્તાનનો દક્ષિણ-પશ્ચિમ ભાગ એટલે કે બલુચિસ્તાન છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન માટે માથાનો દુખાવો બની રહ્યો છે. કારણ છે એક અલગ...
National 
બલુચિસ્તાનની પાછળ કેમ પડી ગયું છે ચીન, જાણવા મળ્યું સાચું કારણ

કેન્સર આપણને બધાને સ્પર્શે છેઃ USAના પૂર્વ રાષ્ટ્રપતિને ચોથા સ્ટેજનું કેન્સર, પહેલા પુત્ર અને પત્ની પણ...

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડન  માટે કૅન્સર સામેની લડત માત્ર નીતિ કે કાર્યક્રમ જ નહીં પરંતુ  આ તેમની જીવનભરની કૌટુંબિક...
Charcha Patra 
કેન્સર આપણને બધાને સ્પર્શે છેઃ USAના પૂર્વ રાષ્ટ્રપતિને ચોથા સ્ટેજનું કેન્સર, પહેલા પુત્ર અને પત્ની પણ...

‘રાહુલ ગાંધીનું નામ ખરાબ ન થવું જોઇએ..’, ખડગેએ કર્ણાટક સરકારને કેમ આપી ચીમકી?

કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર જાતિગત સર્વેક્ષણને લઈને ફૂંકી-ફૂંકીને પગલાં ભરી રહી છે. મુદ્દો પોતાના નેતા રાહુલ ગાંધીનો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન...
National  Politics 
‘રાહુલ ગાંધીનું નામ ખરાબ ન થવું જોઇએ..’, ખડગેએ કર્ણાટક સરકારને કેમ આપી ચીમકી?

દેશમાં વધી રહ્યા છે કોરોનાના કેસ, મુંબઈમાં નવજાત મળ્યું પોઝિટિવ, જાણો નવા વેરિયન્ટ JN.1 વિશે

કોરોના વાયરસની વાપસીના સમાચાર હવે વધારે ડરાવતા નથી, પરંતુ જે રીતે એશિયન દેશોમાં કેસ ઝડપથી વધ્યા છે, તે...
National  Health 
દેશમાં વધી રહ્યા છે કોરોનાના કેસ, મુંબઈમાં નવજાત મળ્યું પોઝિટિવ, જાણો નવા વેરિયન્ટ JN.1 વિશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.