INDIA ગઠબંધને આ 14 ન્યૂઝ એન્કરોના બહિષ્કારની જાહેરાત કરી

વિપક્ષના INDIA ગઠબંધને આજે એક મોટો નિર્ણય લીધો છે. આગામી ચૂંટણી પહેલા  INDIA ગઠબંધનની કમિટીએ 14 એન્કરોનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. INDIA ગઠબંધનના કોઈપણ નેતાઓ આ 14 એન્કરો સાથે  હવે જોવા નહીં મળે, તેમને કોઈ ઈન્ટરવ્યૂ પણ નહીં આપે. બુધવારે INDIA ગઠબંધનની કમિટીની દિલ્હીમાં  બેઠક યોજાઈ હતી, જેમાં આ નિર્ણય લેવાયો હતો. બેઠક બાદ કમિટીએ મીડિયાને આ અંગે માહિતી આપી હતી કે, ગઠબંધનના સભ્યોએ નિર્ણય લીધો છે કે અમુક ચેનલો અને એન્કરો  તેમનું ગઠબંધન બહિષ્કાર કરશે.

14 એન્કર જેનો બહિષ્કાર કરવાનો નિર્ણય

સુધીર ચૌધરી

અર્નબ ગોસ્વામી

અદિતિ ત્યાગી

અમન ચોપરા

અમીશ દેવગન

આનંદ નરસિમ્હન

અશોક શ્રીવાસ્તવ

ચિત્રા ત્રિપાઠી

ગૌરવ સાવંત

નવિકા કુમાર

પ્રાચી પરાશર

રુબિયા લિયાકત

શિવ અરુર

સુશાંત સિન્હા

આ અંગે ગઠબંધન સમિતિના સભ્યએ જણાવ્યું હતું કે, બહિષ્કાર કરવાનો નિર્ણય એ આધાર પર લેવામાં આવ્યો છે કે, આ જનતાથી જોડાયેલા મુદ્દાથી કેટલા દૂર છે. અમુક એન્કરો લોકોને મંદિર-મસ્જિદના ઝઘડામાં અટવાયેલા રાખે છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે, અમુક મહિના સુધી આ ચેનલો અને એન્કરોના શો રિવ્યૂ કરવામાં આવશે અને જો એમાં સુધારો જોવા મળે તો બહિષ્કારનો નિર્ણય પાછો લઈ શકાય છે.

બહિષ્કાર બાદ પણ જો આમાં સુધારો નહીં આવે તો તેમણે કહ્યું કે, અત્યારે 11 રાજ્યોમાં ગઠબંધન સરકાર છે અને આ રાજ્યોમાં આ ચેનલો પર જાહેરાતો પર રોક લગાવવાનો પણ નિર્ણય લેવામાં આવી શકે છે.

About The Author

Top News

ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની, બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને શોર્ટ ટેન્કની પહેલી સીઝનમાં જજ રહેલા અશ્નીર ગ્રોવરના લાખો રૂપિયાના...
Business 
ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

JEE મેન્સ સત્ર-2 (એપ્રિલ સત્ર)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સત્રમાં, વિવિધ રાજ્યોના કુલ 24 વિદ્યાર્થીઓએ ...
Education 
કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

કર્ણાટકના શિવમોગામાં આદિચુંચનગિરી સ્કૂલમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) આપવા ગયેલા વિદ્યાર્થીઓ પાસેથી જનોઈ ઉતારવાના મામલો સામે આવ્યા બાદ, ...
National 
જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ

અત્યારે ઉનાળાની સીઝન ચાલી રહી છે, અને રાજ્યમાં મિશ્રા ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળી...
Gujarat 
અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ
Copyright (c) Khabarchhe All Rights Reserved.