INDIA ગઠબંધને આ 14 ન્યૂઝ એન્કરોના બહિષ્કારની જાહેરાત કરી

On

વિપક્ષના INDIA ગઠબંધને આજે એક મોટો નિર્ણય લીધો છે. આગામી ચૂંટણી પહેલા  INDIA ગઠબંધનની કમિટીએ 14 એન્કરોનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. INDIA ગઠબંધનના કોઈપણ નેતાઓ આ 14 એન્કરો સાથે  હવે જોવા નહીં મળે, તેમને કોઈ ઈન્ટરવ્યૂ પણ નહીં આપે. બુધવારે INDIA ગઠબંધનની કમિટીની દિલ્હીમાં  બેઠક યોજાઈ હતી, જેમાં આ નિર્ણય લેવાયો હતો. બેઠક બાદ કમિટીએ મીડિયાને આ અંગે માહિતી આપી હતી કે, ગઠબંધનના સભ્યોએ નિર્ણય લીધો છે કે અમુક ચેનલો અને એન્કરો  તેમનું ગઠબંધન બહિષ્કાર કરશે.

14 એન્કર જેનો બહિષ્કાર કરવાનો નિર્ણય

સુધીર ચૌધરી

અર્નબ ગોસ્વામી

અદિતિ ત્યાગી

અમન ચોપરા

અમીશ દેવગન

આનંદ નરસિમ્હન

અશોક શ્રીવાસ્તવ

ચિત્રા ત્રિપાઠી

ગૌરવ સાવંત

નવિકા કુમાર

પ્રાચી પરાશર

રુબિયા લિયાકત

શિવ અરુર

સુશાંત સિન્હા

આ અંગે ગઠબંધન સમિતિના સભ્યએ જણાવ્યું હતું કે, બહિષ્કાર કરવાનો નિર્ણય એ આધાર પર લેવામાં આવ્યો છે કે, આ જનતાથી જોડાયેલા મુદ્દાથી કેટલા દૂર છે. અમુક એન્કરો લોકોને મંદિર-મસ્જિદના ઝઘડામાં અટવાયેલા રાખે છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે, અમુક મહિના સુધી આ ચેનલો અને એન્કરોના શો રિવ્યૂ કરવામાં આવશે અને જો એમાં સુધારો જોવા મળે તો બહિષ્કારનો નિર્ણય પાછો લઈ શકાય છે.

બહિષ્કાર બાદ પણ જો આમાં સુધારો નહીં આવે તો તેમણે કહ્યું કે, અત્યારે 11 રાજ્યોમાં ગઠબંધન સરકાર છે અને આ રાજ્યોમાં આ ચેનલો પર જાહેરાતો પર રોક લગાવવાનો પણ નિર્ણય લેવામાં આવી શકે છે.

Related Posts

Top News

ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ

ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરીએ લોનીથી ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરને કારણ બતાવો નોટિસ જાહેર...
National  Politics 
ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ

HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર

દેશના જાણીતા દાનવીર અને ઉદ્યોગપતિ  HCLના સ્થાપક શિવ નાદરે તેમની એકની એક દીકરી માટે મોટો નિર્ણય લીધો છે. શિવ...
Business 
HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર

પરિણીત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, ફટકાર્યા બાદ ગ્રામજનોએ કરાવી દીધા લગ્ન

બિહારના મુઝફ્ફરપુરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં પરિણીત પ્રેમિકાને છુપાઈને મળવા પહોંચેલા પ્રેમીને રંગે હાથે પકડીને ઢોર માર...
National 
પરિણીત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, ફટકાર્યા બાદ ગ્રામજનોએ કરાવી દીધા લગ્ન

મેં કોંગ્રેસના રાજમાં 7 દિવસ જેલનું ખાવાનું ખાધું, મને દંડાથી માર્યો પણ: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે આસામમાં કોંગ્રેસ સરકાર હતી ત્યારે એક વિદ્યાર્થી તરીકે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને તેમની...
National 
મેં કોંગ્રેસના રાજમાં 7 દિવસ જેલનું ખાવાનું ખાધું, મને દંડાથી માર્યો પણ: અમિત શાહ
Copyright (c) Khabarchhe All Rights Reserved.