બંગાળમાં અમિત ભાઇની ભવિષ્યવાણી સાચી થશે? સર્વેના આંકડા શું આપી રહ્યા છે સંકેત

પશ્ચિમ બંગાળની પંચાયત ચૂંટણીમાં સારા પ્રદર્શન બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)ની નજર હવે રાજ્યની લોકસભા સીટો પર છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ પહેલા જ એવો દાવો કરી ચૂક્યા છે કે આ વખત ભાજપ 35 સીટ જીતશે. આ દરમિયાન પશ્ચિમ બંગાળની જનતાનો મૂડ શું છે એ જાણવા માટે ઈન્ડિયા ટી.વી. CNXએ એક સર્વે કર્યો હતો. ચાલો તો આ આર્ટિકલમાં જાણીએ કે તેમાં જનતાનો મૂડ શું છે?

પશ્ચિમ બંગાળમાં 42 લોકસભા સીટો છે. વર્ષ 2019ની ચૂંટણીમાં ભાજપે 18 સીટો જીતી હતી, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ને 22 સીટો પર જીત મળી હતી. સર્વેના આંકડા બતાવે છે કે ભાજપને કેટલી સીટો પર જીત મળી શકે છે અને અમિત શાહનો દાવો કેટલો સાચો થતો દેખાઈ રહ્યો છે. સર્વેના આંકડાઓ મુજબ, તૃણમૂલ કોંગ્રેસની સ્થિતિ ગત વખતની તુલનામાં મજબૂત થતી દેખાઈ રહી છે તો ભાજપને અહીં 2 સીટોનું નુકસાન થઈ શકે છે.

સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, આ વખત તૃણમૂલ કોંગ્રેસને 29 સીટો પર જીત મળી શકે છે, જ્યારે ભાજપ 6 સીટોના નુકસાન સાથે 12 પર સમેટાતી નજરે પડી રહી છે. એ સિવાય કોંગ્રેસને પણ 1 સીટનું નુકસાન થઈ શકે છે અને આ વખત તેને માત્ર એક જ સીટ પર જીત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

પશ્ચિમ બંગાળીની 42 સીટોનો સર્વે શું કહે છે?

તૃણમૂલ કોંગ્રેસ: 29 સીટો

ભારતીય જનતા પાર્ટી: 12 સીટો

કોંગ્રેસ: 1 સીટ

વર્ષ 2019માં ભાજપે કેટલી સીટ જીતી હતી?

વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાસે 22 સીટો હતી, જ્યારે ભાજપને 2 સીટોનો ફાયદો થયો અને 18 પર જીત હાંસલ કરી હતી. વર્ષ 2014ની ચૂંટણીમાં પાર્ટીએ 16 સીટો જીતી હતી. એ સિવાય ગત ચૂંટણીમાં કોંગ્રેસને 2 સીટો પર જીત મળી હતી.

વર્ષ 2019ની ચૂંટણીમાં કોને કેટલી સીટ મળી?

તૃણમૂલ કોંગ્રેસ: 22 સીટો

ભારતીય જનતા પાર્ટી: 18 સીટ

કોંગ્રેસ: 2 સીટ.

કેન્દ્રીય મંત્રી અમિત શાહનો શું છે દાવો?

કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું હતું કે, કિસાન સન્માન નિધિ ઘણા વર્ષો સુધી પશ્ચિમ બંગાળના ખેડૂતોને મળી નથી કેમ કે મમતાજી ઇચ્છતા નહોતા કે લોકોના બેંકમાં મોદીજીના નામના ચેક જાય. આ પ્રકારે આયુષ્યમાન ભારતને બંગાળમાં લાગૂ કરવામાં આવી રહ્યો નથી. આ દરમિયાન તેમને દાવો કર્યો હતો કે પશ્ચિમ બંગાળની લોકસભાની એક જ સીટ હતી, આજે 18 છે. લખીને રાખજો વર્ષ 2024માં પાર્ટી 35 કરતા વધુ સીટો પશ્ચિમ બંગાળમાં જીતીને આવશે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.