ભારતીય સેનાના જવાનો દરરોજ, દરરાત્રે, ઠંડી, ગરમી, બરફ અને ચોમાસામાં પોતાના પરિવારથી દૂર રહીને દેશની સરહદોની રક્ષા કરે છે

રક્ષા મંત્રી રાજનાથ સિંહે આર્મી દિવસના પ્રસંગે જયપુરમાં આપેલા ભાષણમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને હૃદયસ્પર્શી સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે “જો આપણે રાષ્ટ્રીય એકતાને મજબૂત રાખીશું, તો તેનો સૌથી મોટો લાભ આપણા જવાનોને મળશે અને દેશ વધુ મજબૂત બનશે.” આ એક સાદો પણ ઊંડો અર્થ ધરાવતો સંદેશ છે જે આજના સમયમાં ખૂબ જ જરૂરી છે.

ભારતીય સેનાના જવાનો દરરોજ, દરરાત્રે, ઠંડી, ગરમી, બરફ અને ચોમાસામાં પોતાના પરિવારથી દૂર રહીને દેશની સરહદોની રક્ષા કરે છે. તેઓ એવા સ્થળોએ ઊભા રહે છે જ્યાં સામાન્ય માણસ થોડી ક્ષણ પણ ટકી શકે નહીં. આ બધું તેઓ એકમાત્ર એક જ વિચારને લઈને કરે છે  “દેશ સલામત રહે, દેશના નાગરિકો નિશ્ચિંત થઈને ઊંઘી શકે.”

01

રક્ષામંત્રી રાજનાથ સિંહે યાદ અપાવ્યું છે કે સેનાની તાકાત માત્ર હથિયારો, ટેકનોલોજી કે બજેટમાં જ નથી; તેનો સૌથી મોટો આધાર દેશની અંદરની એકતા છે. જ્યારે દેશમાં જાતિ, ધર્મ, પ્રદેશ કે ભાષાના નામે વિભાજન થાય છે ત્યારે તે સૈનિકના મનોબળ પર પણ અસર કરે છે. એકતાનો અભાવ દેશની સુરક્ષાને પણ નબળો પાડે છે.

આજે જ્યારે આપણે આર્મી દિવસ ઉજવીએ છીએ ત્યારે માત્ર સેનાને સલામ કરવી પૂરતી નથી. આપણે એ પણ વચન આપવું જોઈએ કે આપણે નાની-નાની નફરતો, વિવાદો અને વિભાજનને પાછળ મૂકીને એક સંયુક્ત ભારતનું નિર્માણ કરીશું કારણ કે જ્યારે દેશ એક હશે ત્યારે જ સૈનિકનું બલિદાન સાચા અર્થમાં સાર્થક થશે.

03

આજે આપણી ફરજ છે કે આપણે એકબીજાને સમજીએ, આદર આપીએ અને એક સમાન ભારતીય તરીકે જીવીએ. ત્યારે જ રાજનાથ સિંહનો સંદેશ પૂર્ણ થશે અને આપણા જવાનોનું બલિદાનને સૌથી ઊંચું સન્માન મળશે.

About The Author

Related Posts

Top News

પાકિસ્તાની ખેલાડીઓ ઈજાઓ દર્શાવવા માટે ખોટા સર્ટિફિકેટ બનાવડાવે છે?

પાકિસ્તાન ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપના સેમીફાઇનલ માટે ક્વોલિફાય થઇ શકી નથી. ટીમ શ્રીલંકામાંથી પોટલા બાંધી ચૂકી છે. પાકિસ્તાનના નિરાશાજનક...
Sports 
પાકિસ્તાની ખેલાડીઓ ઈજાઓ દર્શાવવા માટે ખોટા સર્ટિફિકેટ બનાવડાવે છે?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 05-03-2026 વાર - ગુરુવાર મેષ - નવી વસ્તુઓ જાણવાની અને શીખવાની રુચિ રહે, ધન લાભ મેળવવામાં મોડુ થઈ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

શું તમે જાણો છો કે દેશની રાજધાની દિલ્હીમાં પહેલો મોલ કયો હતો? જો નહીં, વધારે વિચારવાની જરૂર નથી...
National 
દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

અમેરિકા વિશ્વના નવ દેશોમાંનો એક છે. તેની પાસે તેના આધુનિક ઇતિહાસ સિવાય બડાઈ મારવા કે ગર્વ કરવા જેવું કંઈ નથી....
World 
અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.