13 વર્ષમાં 21 વાર બદલીઃ IPSના પિતા બોલ્યા- નક્કી કરી લીધું ભાજપાને જીતવા નહીં દઉ

બરેલીમાં કાવડિયાઓ પર લાઠીચાર્જ કરાવનારા પૂર્વ SSP IPS પ્રભાકર ચૌધરીની ટ્રાન્સફરનો મામલો તૂલ પકડી રહ્યો છે. સોશિયલ મીડિયાથી લઇ રાજ્યના લોકો યોગી સરકારના આ નિર્ણયને ખોટો ગણાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે જે IPS અધિકારીએ બરેલીમાં દંગા થવાથી બચાવી લીધા, સરકારે તેને ઈનામના રૂપમાં ટ્રાન્સફર આપી. લોકોની સાથે સાથે પ્રભાકર ચૌધરીના પિતા પારસનાથ ચૌધરી પણ નાખુશ છે. તેમણે કહ્યું કે, દીકરાની વારે વારે બદલી થવી જોઇએ નહીં.

જણાવીએ કે, પ્રભાકર ચૌધરી પર આરોપ છે કે, તેમના આદેશ પર જ બરેલીમાં કાવડિયાઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. આ આરોપ વિશે તેમના પિતા પારસનાથનું કહેવું છે કે, જો તેમનો દીકરો બંને પક્ષોને ન સમજાવતે તો ત્યાં દંગા થઇ શકતા હતા. જે રસ્તા પરથી કાવડિયાઓ જવાની જીદ કરી રહ્યા હતા, જો તેમનો દીકરો ત્યાંથી જવાનો આદેશ આપી દેત તો 25થી વધારે લોકોના મોત થાત. તેમના દીકરાએ દંગા થવાથી રોક્યા છે. જેની સજા તેને ટ્રાન્સફરના રૂપમાં મળી છે.

IPSના પિતા પારસનાથ કહે છે કે, પ્રભાકરની બદલીનું મુખ્ય કારણ તેની ઈમાનદારી છે. તે નેતાઓથી અંતર જાળવીને રાખે છે. તેમની વાતો સાંભળતો નથી કારણ કે નેતા તેની પાસેથી ખોટું કામ કરાવવા માગે છે. જ્યારે પ્રભાકર ભાજપા નેતાઓની વાત સાંભળતો નથી તો નેતા તેનાથી નારાજ થઇ જાય છે. એજ કારણ છે કે પ્રભાકરની બે કે ત્રણ મહિનામાં બદલી કરી દેવામાં આવે છે.

પિતા ભાજપાથી નાખુશ

પારસનાથ કહે છે કે, હું 40 વર્ષથી ભાજપાથી જોડાયેલ હતો. રાજકારણની શીખ મને પણ છે. હું સંઘ કાર્યકર્તા રહી ચૂક્યો છું. પણ આજથી મેં નક્કી કરી લીધું છે કે હું ભાજપાના વિરોધમાં રહીશ. મોટો માણસ તો નથી પણ 10 થી 20 વિસ્તારો પર મારી પકડ છે કે ત્યાં હું ભાજપાને ક્યારેય જીતવા નહીં દઉં. કારણ કે ભાજપાએ મારા દીકરા સાથે ખોટું કર્યું છે. તેની ઈમાનદારીના બદલે તેની ટ્રાન્સફર કરી દેવામાં આવી છે.

જણાવીએ કે, કાવડિયાઓ પર લાઠીચાર્જ કરવાના માત્ર 3 કલાકની અંદર પ્રભાકર ચૌધરીની બદલી લખનૌ કરી દેવામાં આવી. પોતાની 13 વર્ષની સર્વિસમાં તેમની અત્યાર સુધીમાં 21 વાર બદલી કરી દેવામાં આવી છે. પરંતુ પાછલા 8 વર્ષમાં 15 જિલ્લાઓની કમાન સંભાળનારા પ્રભાકર ચૌધરીની 18 વાર બદલી કરવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ

ટેલિકોમ સેક્ટરની સૌથી મોટી કંપનીઓમાં સામેલ રચી ચૂકેલી એરસેલના સંસ્થાપક ચિન્નાકન્નન શિવશંકરને તાજેતરમાં એક પોડકાસ્ટમાં પોતાની જિંદગી અને વ્યવસાયિક નિર્ણયો...
Business 
હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.