13 વર્ષમાં 21 વાર બદલીઃ IPSના પિતા બોલ્યા- નક્કી કરી લીધું ભાજપાને જીતવા નહીં દઉ

બરેલીમાં કાવડિયાઓ પર લાઠીચાર્જ કરાવનારા પૂર્વ SSP IPS પ્રભાકર ચૌધરીની ટ્રાન્સફરનો મામલો તૂલ પકડી રહ્યો છે. સોશિયલ મીડિયાથી લઇ રાજ્યના લોકો યોગી સરકારના આ નિર્ણયને ખોટો ગણાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે જે IPS અધિકારીએ બરેલીમાં દંગા થવાથી બચાવી લીધા, સરકારે તેને ઈનામના રૂપમાં ટ્રાન્સફર આપી. લોકોની સાથે સાથે પ્રભાકર ચૌધરીના પિતા પારસનાથ ચૌધરી પણ નાખુશ છે. તેમણે કહ્યું કે, દીકરાની વારે વારે બદલી થવી જોઇએ નહીં.

જણાવીએ કે, પ્રભાકર ચૌધરી પર આરોપ છે કે, તેમના આદેશ પર જ બરેલીમાં કાવડિયાઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. આ આરોપ વિશે તેમના પિતા પારસનાથનું કહેવું છે કે, જો તેમનો દીકરો બંને પક્ષોને ન સમજાવતે તો ત્યાં દંગા થઇ શકતા હતા. જે રસ્તા પરથી કાવડિયાઓ જવાની જીદ કરી રહ્યા હતા, જો તેમનો દીકરો ત્યાંથી જવાનો આદેશ આપી દેત તો 25થી વધારે લોકોના મોત થાત. તેમના દીકરાએ દંગા થવાથી રોક્યા છે. જેની સજા તેને ટ્રાન્સફરના રૂપમાં મળી છે.

IPSના પિતા પારસનાથ કહે છે કે, પ્રભાકરની બદલીનું મુખ્ય કારણ તેની ઈમાનદારી છે. તે નેતાઓથી અંતર જાળવીને રાખે છે. તેમની વાતો સાંભળતો નથી કારણ કે નેતા તેની પાસેથી ખોટું કામ કરાવવા માગે છે. જ્યારે પ્રભાકર ભાજપા નેતાઓની વાત સાંભળતો નથી તો નેતા તેનાથી નારાજ થઇ જાય છે. એજ કારણ છે કે પ્રભાકરની બે કે ત્રણ મહિનામાં બદલી કરી દેવામાં આવે છે.

પિતા ભાજપાથી નાખુશ

પારસનાથ કહે છે કે, હું 40 વર્ષથી ભાજપાથી જોડાયેલ હતો. રાજકારણની શીખ મને પણ છે. હું સંઘ કાર્યકર્તા રહી ચૂક્યો છું. પણ આજથી મેં નક્કી કરી લીધું છે કે હું ભાજપાના વિરોધમાં રહીશ. મોટો માણસ તો નથી પણ 10 થી 20 વિસ્તારો પર મારી પકડ છે કે ત્યાં હું ભાજપાને ક્યારેય જીતવા નહીં દઉં. કારણ કે ભાજપાએ મારા દીકરા સાથે ખોટું કર્યું છે. તેની ઈમાનદારીના બદલે તેની ટ્રાન્સફર કરી દેવામાં આવી છે.

જણાવીએ કે, કાવડિયાઓ પર લાઠીચાર્જ કરવાના માત્ર 3 કલાકની અંદર પ્રભાકર ચૌધરીની બદલી લખનૌ કરી દેવામાં આવી. પોતાની 13 વર્ષની સર્વિસમાં તેમની અત્યાર સુધીમાં 21 વાર બદલી કરી દેવામાં આવી છે. પરંતુ પાછલા 8 વર્ષમાં 15 જિલ્લાઓની કમાન સંભાળનારા પ્રભાકર ચૌધરીની 18 વાર બદલી કરવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.