13 વર્ષમાં 21 વાર બદલીઃ IPSના પિતા બોલ્યા- નક્કી કરી લીધું ભાજપાને જીતવા નહીં દઉ

બરેલીમાં કાવડિયાઓ પર લાઠીચાર્જ કરાવનારા પૂર્વ SSP IPS પ્રભાકર ચૌધરીની ટ્રાન્સફરનો મામલો તૂલ પકડી રહ્યો છે. સોશિયલ મીડિયાથી લઇ રાજ્યના લોકો યોગી સરકારના આ નિર્ણયને ખોટો ગણાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે જે IPS અધિકારીએ બરેલીમાં દંગા થવાથી બચાવી લીધા, સરકારે તેને ઈનામના રૂપમાં ટ્રાન્સફર આપી. લોકોની સાથે સાથે પ્રભાકર ચૌધરીના પિતા પારસનાથ ચૌધરી પણ નાખુશ છે. તેમણે કહ્યું કે, દીકરાની વારે વારે બદલી થવી જોઇએ નહીં.

જણાવીએ કે, પ્રભાકર ચૌધરી પર આરોપ છે કે, તેમના આદેશ પર જ બરેલીમાં કાવડિયાઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. આ આરોપ વિશે તેમના પિતા પારસનાથનું કહેવું છે કે, જો તેમનો દીકરો બંને પક્ષોને ન સમજાવતે તો ત્યાં દંગા થઇ શકતા હતા. જે રસ્તા પરથી કાવડિયાઓ જવાની જીદ કરી રહ્યા હતા, જો તેમનો દીકરો ત્યાંથી જવાનો આદેશ આપી દેત તો 25થી વધારે લોકોના મોત થાત. તેમના દીકરાએ દંગા થવાથી રોક્યા છે. જેની સજા તેને ટ્રાન્સફરના રૂપમાં મળી છે.

IPSના પિતા પારસનાથ કહે છે કે, પ્રભાકરની બદલીનું મુખ્ય કારણ તેની ઈમાનદારી છે. તે નેતાઓથી અંતર જાળવીને રાખે છે. તેમની વાતો સાંભળતો નથી કારણ કે નેતા તેની પાસેથી ખોટું કામ કરાવવા માગે છે. જ્યારે પ્રભાકર ભાજપા નેતાઓની વાત સાંભળતો નથી તો નેતા તેનાથી નારાજ થઇ જાય છે. એજ કારણ છે કે પ્રભાકરની બે કે ત્રણ મહિનામાં બદલી કરી દેવામાં આવે છે.

પિતા ભાજપાથી નાખુશ

પારસનાથ કહે છે કે, હું 40 વર્ષથી ભાજપાથી જોડાયેલ હતો. રાજકારણની શીખ મને પણ છે. હું સંઘ કાર્યકર્તા રહી ચૂક્યો છું. પણ આજથી મેં નક્કી કરી લીધું છે કે હું ભાજપાના વિરોધમાં રહીશ. મોટો માણસ તો નથી પણ 10 થી 20 વિસ્તારો પર મારી પકડ છે કે ત્યાં હું ભાજપાને ક્યારેય જીતવા નહીં દઉં. કારણ કે ભાજપાએ મારા દીકરા સાથે ખોટું કર્યું છે. તેની ઈમાનદારીના બદલે તેની ટ્રાન્સફર કરી દેવામાં આવી છે.

જણાવીએ કે, કાવડિયાઓ પર લાઠીચાર્જ કરવાના માત્ર 3 કલાકની અંદર પ્રભાકર ચૌધરીની બદલી લખનૌ કરી દેવામાં આવી. પોતાની 13 વર્ષની સર્વિસમાં તેમની અત્યાર સુધીમાં 21 વાર બદલી કરી દેવામાં આવી છે. પરંતુ પાછલા 8 વર્ષમાં 15 જિલ્લાઓની કમાન સંભાળનારા પ્રભાકર ચૌધરીની 18 વાર બદલી કરવામાં આવી છે.

Related Posts

Top News

બકરી ઇદ પહેલા IAS નિયાઝ ખાને કહ્યું- 'પ્રાણીઓનું લોહી વહાવવું બિલકુલ વાજબી નથી, તેમનું...'

બકરી ઇદ પહેલા, મધ્યપ્રદેશના IAS અધિકારી નિયાઝ ખાનની એક સોશિયલ મીડિયા પોસ્ટ ચર્ચામાં છે. તેમણે પ્રાણીઓનું લોહી વહેવડાવવાને અયોગ્ય...
National 
બકરી ઇદ પહેલા IAS નિયાઝ ખાને કહ્યું- 'પ્રાણીઓનું લોહી વહાવવું બિલકુલ વાજબી નથી, તેમનું...'

નબળા ઉદ્ધવ ઠાકરે સાથે હાથ મિલાવવા માટે રાજ ઠાકરેએ અકડ બતાવી, કરી આ માંગણી

મહારાષ્ટ્રના રાજકારણમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા શિવસેના ઉદ્ધવ ઠાકરેએ હવે બધું ભુલાવીને ભારે હૃદયથી પોતાના જૂના રાજકીય દુશ્મનો તરફ મિત્રતાનો હાથ...
National 
નબળા ઉદ્ધવ ઠાકરે સાથે હાથ મિલાવવા માટે રાજ ઠાકરેએ અકડ બતાવી, કરી આ માંગણી

આ 12 દેશોના લોકો પર અમેરિકામાં દાખલ થવા ટ્રમ્પે સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો, જાણો શું કારણ આપ્યું

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 4 જૂને એક ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા. આ ઘોષણામાં 12 દેશોના લોકોને અમેરિકા આવવા પર સંપૂર્ણપણે...
World 
આ 12 દેશોના લોકો પર અમેરિકામાં દાખલ થવા ટ્રમ્પે સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો, જાણો શું કારણ આપ્યું

વીજળી વિભાગની ટીમ સ્માર્ટ મીટર લગાવવા ગઈ તો, ડાકુ પાન સિંહ તોમરની પૌત્રીએ ધૂલાઈ કરી દીધી

UPના ઝાંસીમાં વીજળી મીટર બદલવા ગયેલી ટીમના JEને એક છોકરી થપ્પડ મારી રહી છે અને તેની સાથે ગેરવર્તન...
National 
વીજળી વિભાગની ટીમ સ્માર્ટ મીટર લગાવવા ગઈ તો, ડાકુ પાન સિંહ તોમરની પૌત્રીએ ધૂલાઈ કરી દીધી
Copyright (c) Khabarchhe All Rights Reserved.