ઓસ્ટ્રિયામાં આ કારણે ગુસ્સે ભરાયા વિદેશ મંત્રી, યુરોપને પણ આપી આ સલાહ

પાકિસ્તાનને આતંકવાદનું કેન્દ્ર બિંદુ ગણાવવાને લઇને ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે, તેઓ આનાથી પણ વધારે કઠિન શબ્દોનો ઉપયોગ કરી શકતા હતા. તેમણે કહ્યું કે, સરહદ પાર આતંકવાદ ફેલાવવામાં પાકિસ્તાનનો મોટો હાથ રહે છે અને હવે દુનિયાએ આતંકવાદને લઇને ચિંતિત થવું જોઇએ.

સોમવારે ઓસ્ટ્રિયાના વિદેશ મંત્રી સાથે મીટિંગ દરમિયાન ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાનનું નામ લીધા વગર તેને આતંકવાદનું કેન્દ્ર બિંદુ ગણાવ્યું હતું. જે બાદ ઓસ્ટ્રિયાના નેશનલ બ્રોડકાસ્ટર ઓઆરએફને આપેલા એક ઇન્ટર્વ્યુમાં જ્યારે પત્રકારે પાકિસ્તાન માટે આ પ્રકારની વાત કહેવા પર જયશંકરને સવાલ પૂછ્યો તો તેમણે આ જવાબ આપ્યો છે.

પાકિસ્તાનને આતંકવાદનું કેન્દ્ર બિંદુ કહેવાના સવાલ પર એસ. જયશંકરે કહ્યું કે, કારણ કે તમે એક રાજનાયિક છો, તેનો મતલબ એ નથી કે તમે સત્ય ન બોલશો. હું આનાથી પણ વધારે કડક શબ્દોનો ઉપયોગ કરી શકું છું. તેથી મારો વિશ્વાસ કરો, ભારતની સાથે જે થઇ રહ્યું છે, તેના માટે આતંકવાદનું કેન્દ્ર બિંદુ ઘણું નાનું અને રાજનાયિક શબ્દ છે.

પાકિસ્તાન પર નિશાનો સાધતા એસ. જયશંકરે કહ્યું કે, આ એ દેશ છે, જેણે થોડા વર્ષો પહેલા ભારતની સંસદ પર હુમલો કરાવ્યો હતો, મુંબઇ શહેર પર હુમલો કરાવ્યો હતો, જે દરરોજ સરહદ પારથી આતંકવાદીઓને ભારત મોકલે છે. એસ. જયશંકરે કહ્યું કે, જ્યારે દિવસના અજવાળામાં શહેરોમાં આતંકવાદીઓના કેમ્પ સંચાલિત થઇ રહ્યા છે તો શું તમે ખરેખર મને કહી શકો છો કે પાકિસ્તાનને કંઇ ખબર જ નથી કે ત્યાં ચાલી શું રહ્યું છે અને ખાસ કરીને ત્યારે કે જ્યારે તેમને મિલિટ્રી સ્તરની ટ્રેનિંગ આપવામાં આવી રહી હોય. એસ. જયશંકરે યુરોપિયન દેશો પર નિશાનો સાધતા આગળ કહ્યું કે, તેથી જ્યારે અમે વિચારો અને મૂલ્યોની વાત કરીએ છીએ તો યુરોપના દેશ દાયકાઓથી થઇ રહેલી આ હરકતોની નિંદા કેમ નથી કરતા.

પાકિસ્તાન અને ભારત વચ્ચે યુદ્ધના સવાલ પર એસ. જયશંકરે કહ્યું કે, તેમને લાગે છે કે, વિશ્વએ આ સમયે આતંકવાદને લઇને ચિંતિત થવાની જરૂર છે. વિદેશ મંત્રીએ કહ્યું કે, વિશ્વએ આ વાતથી ચિંતિત થવું જોઇએ કે આતંકવાદ સતત વધતો જઇ રહ્યો છે, પછી પણ વિશ્વ તેને અવગણી રહ્યું છે.

વિદેશ મંત્રીએ આગળ કહ્યું કે, દુનિયાને લાગે છે કે, આ તેમની પરેશાની છે, કારણ કે, આ બીજા દેશોની સાથે થઇ રહ્યું છે. જ્યારે, વિશ્વને આ ચિંતા કરવાની જરૂર છે કે, આતંકવાદીઓથી મળી રહેલા પડકારોને કઇ રીતે મજબૂતીથી સામનો કરવો જોઇએ.

સોમવારે ઓસ્ટ્રિયાના પ્રવાસ પર પોતાના સમકક્ષ એલેક્ઝાન્ડર શાલેનબર્ગ સાથે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે પ્રેસ કોન્ફરન્સ પણ કરી. એસ. જયશંકરે આગળ કહ્યું કે, અમે વારે વારે કહી રહ્યા છીએ કે, આતંકવાદ અને હિંંસાથી મુક્ત વાતાવરણની અંદર ભારત પણ પાકિસ્તાનની સાથે સારા પડોસીની જેમ રહેવાની ઇચ્છા રાખે છે.

વિદેશ મંત્રીએ કહ્યું કે, ભારતે હંમેશાં પાકિસ્તાનને કહ્યું છે કે, વાર્તા અને આતંકવાદ એક સાથે આગળ ન વધી શકે. તેથી અમે કેટલીક વખત પાકિસ્તાનથી ભારત પર હુમલા કરનારા આતંકવાદી સંગઠનો વિરૂદ્ધ મોટા પગલાં ઉઠાવવા માટે પણ કહ્યું છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર ઓસ્ટ્રિયાના પ્રવાસ પર છે. ગયા 27 વર્ષોમાં પહેલી વખત બંને દેશોના વિદેશ મંત્રીઓએ મુલાકાત કરી હતી.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.