ઘરમાં ઘૂસીને પત્રકારની ગોળી મારીને હત્યા, ઉંઘમાંથી ઉઠાડ્યા

બિહારમાં એક દૈનિક અખબારના પત્રકારની તેમના ઘરમાં ઘુસીને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. પત્રકારના ઘરમાં ઘુસેલા 4 બદમાશોએ તેમને ઉંઘમાંથી ઉઠાડ્યા હતા અને સીધી ગોળીઓ વરસાવીને યમસદન પહોંચાડી દીધા હતા. પત્રકારની હત્યાની ઘટનાએ બિહારમાં ભારે ચકચાર મચાવી દીધી છે. બિહારમાં ફરી જંગલરાજ હોવાની વાત સામે આવી છે.

બિહારના અરરિયા જિલ્લાના રાનીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના બેલસરામાં રહેતા એક પત્રકારના ઘરે શુક્રવારે સશસ્ત્ર બદમાશો ઘુસ્યા હતા અને દરવાજો ખટખટાવ્યો હતો. દરવાજો ખોલીને જ્યારે પત્રકાર બહાર આવ્યા તો ગોળીઓ વરસાવીને તેમનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું.

પત્રકારની હત્યા પછી આખા વિસ્તારમાં ગભરાટનો માહોલ છે. મોતને ભેટનારા પત્રકારની ઓળખ વિમલ યાદવ તરીકે થઇ છે. વિમલ યાદવ દૈનિક જાગરણ અખબારના રાની ગંજ વિસ્તારના સંવાદદાતા હતા. બે વર્ષ પહેલાં પણ આ પત્રકારના સરપંચ ભાઇની આ જ રીતે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.

વિમલ કુમાર યાદવ આ ગુનાહિત ઘટનાના એકમાત્ર અને મુખ્ય સાક્ષી હતા. આ કારણે જ બદમાશોએ તેની હત્યા કરી હોવાની આશંકા છે. પરિવારજનોની વાત માનીએ તો અગાઉ પણ બદમાશોએ પત્રકારને ઘણી વખત જુબાની આપતા રોક્યા હતા. જો કે, તેમ છતાં, તેમણે કોર્ટમાં ચાલી રહેલા ટ્રાયલમાં તેમના ભાઈના હત્યારા વિરુદ્ધ જુબાની આપી હતી.

પત્રકાર વિમલ કુમાર યાદવ પોતાની પાછળ 15 વર્ષનો પુત્ર, 13 વર્ષની પુત્રી અને પત્નીને છોડી ગયા છે. હત્યા દરમિયાન પત્રકાર વિમલે બૂમાબૂમ કરતાં પત્ની દોડી આવી હતી. ત્યાં તેમણે જોયું કે  પતિ લોહીના ખાબોચિયામાં પડેલા હતા.

મૃતક પત્રકારની પત્ની પૂજા દેવીએ ઘટના વિશે જણાવ્યું હતું કે, સવારે કોઈ ઘરનો દરવાજો ખખડાવતું હતું અને તેમનું નામ લઈ રહ્યું હતું. અમે બંને ઉભા થઈને ઘરનો દરવાજો અને ગ્રીલ ખોલવા ગયા. મારા પતિએ મુખ્ય દરવાજો ખોલ્યો અને તે વખતે ગોળીબારનો અવાજ સંભળાયો હતો. થોડીવારમાં લોકોની ભીડ એકઠી થઇ ગઇ હતી.

પરિવારના સભ્યોએ કહ્યું કે, એક સપ્તાહ પહેલા વિમલે તેના મિત્રોને કહ્યું હતું કે મારા જીવને જોખમ છે, કેટલાંક ગુનેગારો મારો સતત પીછો કરી રહ્યા છે.

વિમલ યાદવના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે અને અહીં મોટી સંખ્યામાં ભેગા થયેલા પત્રકારો હત્યારાઓની ધરપકડ કરવાની માંગ કરી રહ્યા છે.

અરરિયાના SP અશોક કુમાર સિંહે જણાવ્યું હતું કે, દૈનિક જાગરણના પત્રકાર વિમલની આજે સવારે સાડા પાંચ વાગ્યે રાણીગંજ બજાર વિસ્તારમાં ચાર લોકોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. FSLની ટીમ ઘટનાસ્થળે છે. આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા છે.

પરિવારે કહ્યું હતું કે પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિમલ કુમારે બંદુકના લાયસન્સ માટે અરજી કરી હતી, પરંતુ તેમનું લાયસન્સ મળ્યું નહી અને હવે તેમની હત્યા કરી દેવામાં આવી છે.

About The Author

Top News

દેશની એકમાત્ર ટ્રેન જે નાસ્તાથી લઈ રાત્રિભોજન સુધી બધું મફતમાં પીરસે છે, 6 જગ્યાએ લંગર લાગે છે

ભારતીય રેલ્વે દરરોજ લગભગ 2.5 કરોડ લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. સ્વાભાવિક છે કે, આટલી મોટી...
National 
દેશની એકમાત્ર ટ્રેન જે નાસ્તાથી લઈ રાત્રિભોજન સુધી બધું મફતમાં પીરસે છે, 6 જગ્યાએ લંગર લાગે છે

ટાઇટેનિક જહાજની ભવિષ્યવાણી લખેલો 113 વર્ષ જૂનો પત્ર 3,14,00,000 રૂપિયામાં વેચાયો

આજે પણ 15 એપ્રિલ, 1912ની કાળી તારીખ યાદ કરીને આત્મા કંપી ઉઠે છે. આ દિવસે, વિશાળ ટાઇટેનિક...
Offbeat 
ટાઇટેનિક જહાજની ભવિષ્યવાણી લખેલો 113 વર્ષ જૂનો પત્ર 3,14,00,000 રૂપિયામાં વેચાયો

IPL ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ટોચના 5 બેટ્સમેન,14 વર્ષના આ ખેલાડીએ વિશ્વ ક્રિકેટમાં મચાવી હડકંપ

રાજસ્થાન રોયલ્સનો 14 વર્ષીય અદ્દભુત ખેલાડી વૈભવ સૂર્યવંશીએ IPL 2025માં ગુજરાત ટાઇટન્સ સામે માત્ર 35 બોલમાં પોતાની પહેલી IPL સદી...
Sports 
IPL ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ટોચના 5 બેટ્સમેન,14 વર્ષના આ ખેલાડીએ વિશ્વ ક્રિકેટમાં મચાવી હડકંપ

ભારતમાં રહીએ તો કાયદો માનવો પડશે, ઇસ્લામ બળવાની મંજૂરી નથી આપતું: મૌલાના સાદ

હરિયાણામા નુંહમાં તાજેતરમાં તબલીગી જમાતની ધર્મસભાં કાંઘલવી તબલીગી જમાતના પ્રમુખ મૌલાના સાદે ઘણી મહત્ત્વની વાત કરી હતી. તેમણે કહ્યું કે...
National 
ભારતમાં રહીએ તો કાયદો માનવો પડશે, ઇસ્લામ બળવાની મંજૂરી નથી આપતું: મૌલાના સાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.