અમિત શાહના દાવા પર સવાલ, કલાવતીએ કહ્યું- PM મોદીએ નહીં પણ રાહુલ ગાંધીએ કરી મદદ

અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન લોકસભામાં હોમ મિનિસ્ટર અમિત શાહે મહારાષ્ટ્રના વિદર્ભની કલાવતી બંદુરકરનો ઉલ્લેખ કર્યો. અમિત શાહે કલાવતીને લઇ ઘણાં મોટા મોટા દાવા કર્યા. હવે કલાવતીએ શાહે કરેલા આ દાવાઓની હકીકત જણાવી છે. કલાવતીએ ચોખ્ખુ કહી દીધું કે, તેને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુલાકાત પછી મદદ મળી અને ભાજપાનો તેનાથી કોઈ લેવાદેવા નથી.

શાહે શું દાવો કરેલો

લોકસભામાં મણિપુર હિંસાને લઇ કેન્દ્ર સામે લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર 9 ઓગસ્ટના રોજ બીજા દિવસે પણ ચર્ચા થઇ. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નામ લીધા વિના રાહુલ ગાંધી પર ઘણા નિશાના સાધ્યા. આ દરમિયાન તેમણે મહારાષ્ટ્રના વિદર્ભની એક મહિલા કલાવતીનો ઉલ્લેખ કર્યો. કલાવતી જોડે રાહુલ ગાંધીએ 2008માં મુકાલાત કરી હતી. શાહે આરોપ લગાવ્યો કે, રાહુલ ગાંધી કલાવતીના ઘરે ભોજન કરવા ગયા હતા અને ત્યાર પછી તેમની કોઈ સંભાળ લીધી નહીં. શાહે દાવો કર્યો કે પ્રધાનમંત્રી મોદીની સરકારે કલાવતીને બધુ પૂરુ પાડ્યું.

શાહે આગળ કહ્યું કે, તે ગરીબ કલાવતીને ઘર, વીજળી, ગેસ, અનાજ વગેરે આપવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું. રાહુલ ગાંધી જે કલાવતીના ઘરે જમવા ગયા હતા, તેમને પણ નરેન્દ્ર મોદી પર ભરોસો છે. તે પ્રધાનમંત્રી સાખે ઊભી છે.

કલાવતીએ શું કહ્યું

અમિત શાહના દાવા મીડિયા કલાવતીના ઘરે પહોંચી. મીડિયાએ કલાવતીને અમિત શાહે કરેલા દાવાને લઇ સવાલ કર્યા તો કલાવતીએ જણાવ્યું કે, તેને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની મુલાકત પછીથી જ મદદ મળી હતી. કોંગ્રેસની આ મદદથી ભાજપાનું કશું લેવાદેવા નથી.

આ દરમિયાન કલાવતીના દીકરા પ્રીતમે કહ્યું કે, તે સમયે અમારી સ્થિતિ ઘણી ખરાબ હતી. અમે 7 બહેનો અને બે ભાઈ હતા. પિતા હયાત નહોતા. અમારી આર્થિક સ્થિતિ સારી નહોતી. અમે કામ કરવા ખેતરે જઇએ છીએ. જેમ તેમ ગુજરાન ચાલતું હતું. પણ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના અમારા ત્યાં આવ્યા પછી સ્થિતિ બદલાઈ ગઇ. ત્યારે તેઓ ખેડૂતોને મળવા અમારા વિસ્તારમાં આવ્યા હતા અને અચાનક અમારા ઘરે આવી ગયા. અમારા ત્યાં આવ્યા પછી તેમણે આર્થિક રીતે અમારી મદદ કરી. તેમણે અમને 30 લાખની FD કરાવી આપી. પ્રીતમે ચોખવટ કરતા કહ્યું કે, તેમને તે સમયે જે પણ કશુ મળ્યું તે માત્ર અને માત્ર રાહુલ ગાંધીના કારણે મળ્યું હતું.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.