ભારત જોડો યાત્રાનો ફાયદો રાહુલ ગાંધી કરતા વધારે કન્હૈયા કુમારને થઇ રહ્યો છે

ભારત જોડો યાત્રાએ હાલ વિરામ લીધો છે. કોંગ્રેસનો દાવો છે કે, ભારત જોડો યાત્રામાં તેને વિભિન્ન રાજ્યોમાં સારો પ્રતિસાદ મળ્યો છે. રાહુલ ગાંધી પોતાની તસવીરો અને ઠંડીમાં ફક્ત ટી શર્ટ પહેરવાને લઇને ચર્ચાનો વિષય પણ બન્યા છે.

પણ જોવા જઇએ તો ભારત જોડો યાત્રામાં ખરો ફાયદો જો કોઇને થયો છે તો તે છે કન્હૈયા કુમાર. ક્યારેક JNUમાં પોતાના ભારત વિરોધી નારા માટે ચર્ચામાં આવેલા કન્હૈયા કુમારના કોંગ્રેસમાં જોડાયા બાદ આ સૌથી મોટી ઇવેન્ટ સાબિત થઇ રહી છે.

રાહુલ ગાંધીની સાથે ફરી રહેલા કન્હૈયા કુમારે પણ રાહુલ ગાંધી જેવી જ વૈશભૂષા બનાવી છે. કન્હૈયા દાઢી પણ રાહુલના અંદાજમાં વધેલી નજરે પડી રહી છે. જ્યારે, યાત્રા દરમિયાન વિભિન્ન પ્રેસ કોન્ફરન્સમાં કન્હૈયા કોંગ્રેસના તમામ મોટા નેતાઓ સાથે મંચ પર જોવા મળ્યા હતા.

ક્યારેક તેઓ અશોક ગેહલોતની સાથે નજરે પડે છે તો ક્યારેક જયરામ રમેશ ની સાથે મંચ શેર કરે છે. ફરીદાબાદમાં થયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કન્હૈયા કુમાર જયરામ રમેશ અને હરિયાણાના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા સાથે નજરે પડ્યા હતા. ફક્ત આટલું જ નહીં, તેઓ કેન્દ્ર સરકાર અને ભાજપ પર ટિપ્પણી પણ કરે છે.

એ પણ રસપ્રદ વાત છે કે, એક અરસાથી કોંગ્રેસ પાસે કોઇ ઉભરતો ચહેરો નથી. કોંગ્રેસનું નામ સામે આવે તો જયરામ રમેશ, દિગ્વિજય સિંહ, અશોક ગેહલોત, ભૂપેશ બઘેલ, સલમાન ખુર્શીદ જેવા અમુક નામો છે, જે હવે ઉંમરનો એક પડાવ પાર કરી ચૂક્યા છે.

યુવા નેતાઓની વાત કરીએ તો મધ્યપ્રદેશમાં કોંગ્રેસ પાસે જ્યોતિરાદિત્ય સિંધિયા હતા જે હવે ભાજપમાં જોડાઇ ચૂક્યા છે. જ્યારે, સચિન પાયલટની ભૂમિકા રાજસ્થાન અને તેની આસપાસના પ્રદેશો સુધી સીમિત રહી ગઇ છે. હિંદી ભાષી ક્ષેત્રમાં કોંગ્રેસ પાસે કોઇ એવો યુવા નેતા નથી, જે મજબૂતી સાથે પોતાની વાત મૂકી શકે. કન્હૈયા કુમાર એ ભૂમિકામાં પોતાને સાબિત કરવાની કોશિશ કરી રહ્યા છે.

કન્હૈયા કુમારની છબિ આક્રામક અંદાજ વાળા યુવા નેતાની રહી છે. કન્હૈયા કુમારે કોંગ્રેસમાં આવ્યા બાદ પણ પોતાનો આ અંદાજ બદલવાની કોશિશ નથી કરી. વિભિન્ન મંચો પર તેમણે ભાજપના પ્રવક્તાને આક્રામક અંદાજમાં જવાબ આપવાની કોશિશ કરી છે.

ભાજપ પ્રવક્તા સંબિત પાત્રા સાથેની ડિબેટ પણ ચર્ચિત છે. માનવામાં આવી રહ્યું છે કે, હવે કોંગ્રેસ તેમની આ છબિને આગળ કરી રહી છે. જાણકારો અનુસાર, ભાજપના દમદાર પ્રવક્તાની સામે કોંગ્રેસ પણ એ અદાજ વાળા પ્રવક્તા ઉભા કરવા માગે છે. સંભવતઃ કન્હૈયા કુમારને પ્રમોટ કરવા પાછળનું આ કારણ હોઇ શકે.

About The Author

Related Posts

Top News

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.