કુલદીપ સેંગરની પુત્રીએ ઉન્નાઉની પીડિતા પર કર્યો મોટો દાવો

ઉન્નાવ  કેસના આરોપી કુલદીપ સેંગરની પુત્રી ઐશ્વર્યા સેંગરે મીડિયા સમક્ષ આવીને ઉન્નાઉ કેસની પીડિતા પર ગંભીર આરોપો લગાવ્યા. ઐશ્વર્ય સેંગરે સ્પષ્ટ કહ્યું કે જો તેના પિતાએ છોકરી તરફ આંખ ઉઠાવીને પણ જોઈ હોય તો તેને ફાંસી આપી દેવામાં આવે, પરંતુ અહીં પીડિતા ખોટી છે. રે*પ પીડિતાનો કાકો હિસ્ટ્રીશીટર છે, જે હાલમાં તિહાડ જેલમાં છે અને તેના પર 17 કેસ છે. મારા કાકા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.

તેણે કહ્યું કે, પીડિતાના પરિવાર સાથે અમારી લાંબા સમયથી દુશ્મની છે. આ આ કેસ પહેલાની દુશ્મની છે. મીડિયાએ પીડિતા પાસેથી પુરાવા માંગવા જોઈએ કે તેની સાથે ખોટું થયું છે. પીડિતાએ શરૂઆતમાં અન્ય લોકો સામે કેસ દાખલ કર્યો હતો, પરંતુ અઢી મહિના બાદ, સમજી વિચારીને તેના પિતાનું નામ પણ સામેલ કર્યું.

Aishwarya-Sengar
aninews.in

આ અગાઉ, સુપ્રીમ કોર્ટનો ચૂકાદો જાહેર થતા જ, કુલદીપ સિંહ સેંગરે પોતાની પુત્રીના માધ્યમથી જાહેર કરાયેલા નિવેદનમાં જણાવ્યું હતું કે પીડિતાએ ઘણી વખત પોતાનું નિવેદન બદલ્યું છે. તેણે પહેલા ઘટનાનો સમય સવારે 2:00 વાગ્યા, પછી સવારે 6:00 વાગ્યા અને અંતે સવારે 8:00 વાગ્યાનો જણાવ્યો. AIIMSના મેડિકલ બોર્ડના રિપોર્ટમાં તેની ઉંમર 18 વર્ષથી વધુ હોવાનું જાણવા મળ્યું છે.'

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે 2017ના ઉન્નાવ કેસમાં દિલ્હી હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે લગાવ્યો છે, જેમાં ટ્રાયલ કોર્ટ દ્વારા દોષિત કુલદીપ સિંહ સેંગરની આજીવન કેદની સજાને સ્થગિત કરવામાં આવી હતી. દિલ્હી હાઈકોર્ટ દ્વારા કુલદીપ સિંહ સેંગરની આજીવન કેદની સજાને સ્થગિત કરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આ મામલાની સુનાવણી ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચ દ્વારા કરવામાં આવી હતી.

SC
newsonair.gov.in

બેન્ચે કુલદીપ સિંહ સેંગરના વકીલને નોટિસ ફટકારતા કેસમાં ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબ દાખલ કરવા માટે 2 અઠવાડિયાનો સમય આપ્યો હતો. દિલ્હી હાઈકોર્ટના આદેશ પર સ્ટે લગાવતા સ્પષ્ટ કર્યું કે કુલદીપ સિંહ સેંગર જેલમાં જ રહેશે. ઉલ્લેખનીય છે કે કુલદીપ સિંહ સેંગર પીડિતાના કાકા પર હુમલો કરવા બદલ પહેલાથી જ જેલની સજા ભોગવી રહ્યો છે.

About The Author

Related Posts

Top News

ભંગારમાં પડેલું 105 વર્ષ જૂનું જર્મન ટ્રેક્ટર સવા કરોડમાં વેચાયું; ઇન્ટરનેટ પર થયું વાયરલ

ક્યારેક, ભંગારમાં પણ એવી કિંમતી વસ્તુઓ મળી જાય છે કે જેની કિંમત લાખો કરોડોની હોય છે. જાલંધરમાં એક દાયકાઓથી...
National 
ભંગારમાં પડેલું 105 વર્ષ જૂનું જર્મન ટ્રેક્ટર સવા કરોડમાં વેચાયું; ઇન્ટરનેટ પર થયું વાયરલ

ITR ફાઇલિંગમાં હોશિયારી બતાવવી મોંઘી પડી, IT વિભાગે લાખો રૂપિયાનો દંડ ફટકારી દીધો

પુણેના એક વ્યક્તિ નેવાસેને ખોટા ઇનવોઇસ સબમિટ કરવાનું મોંઘું પડી ગયું. થોડા હજાર રૂપિયા ટેક્સ બચાવવાના પ્રયાસમાં તેને હવે લાખો...
Business 
ITR ફાઇલિંગમાં હોશિયારી બતાવવી મોંઘી પડી, IT વિભાગે લાખો રૂપિયાનો દંડ ફટકારી દીધો

હાર્વર્ડ યુનિવર્સિટીથી સંસ્કૃતમાં એવો શું લોચો લાગી ગયો કે હિન્દુ સમુદાયની માફી માંગવી પડી?

યુનાઇટેડ સ્ટેટ્સના મેસેચ્યુસેટ્સ સ્થિત કેમ્બ્રિજ સ્થિત હાર્વર્ડ યુનિવર્સિટીને એક સંસ્કૃત પોસ્ટના કારણે હિન્દૂ સમાજ સામે શરમજનક સ્થિતિમાં મૂકવું પડ્યું હતું...
Education 
હાર્વર્ડ યુનિવર્સિટીથી સંસ્કૃતમાં એવો શું લોચો લાગી ગયો કે હિન્દુ સમુદાયની માફી માંગવી પડી?

T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન એક મોટી જાહેરાત કરી છે. IPL 2026 બાદ, ભારતીય ટીમ...
Sports 
T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.