- National
- કુલદીપ સેંગરની પુત્રીએ ઉન્નાઉની પીડિતા પર કર્યો મોટો દાવો
કુલદીપ સેંગરની પુત્રીએ ઉન્નાઉની પીડિતા પર કર્યો મોટો દાવો
ઉન્નાવ કેસના આરોપી કુલદીપ સેંગરની પુત્રી ઐશ્વર્યા સેંગરે મીડિયા સમક્ષ આવીને ઉન્નાઉ કેસની પીડિતા પર ગંભીર આરોપો લગાવ્યા. ઐશ્વર્ય સેંગરે સ્પષ્ટ કહ્યું કે જો તેના પિતાએ છોકરી તરફ આંખ ઉઠાવીને પણ જોઈ હોય તો તેને ફાંસી આપી દેવામાં આવે, પરંતુ અહીં પીડિતા ખોટી છે. રે*પ પીડિતાનો કાકો હિસ્ટ્રીશીટર છે, જે હાલમાં તિહાડ જેલમાં છે અને તેના પર 17 કેસ છે. મારા કાકા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.
તેણે કહ્યું કે, પીડિતાના પરિવાર સાથે અમારી લાંબા સમયથી દુશ્મની છે. આ આ કેસ પહેલાની દુશ્મની છે. મીડિયાએ પીડિતા પાસેથી પુરાવા માંગવા જોઈએ કે તેની સાથે ખોટું થયું છે. પીડિતાએ શરૂઆતમાં અન્ય લોકો સામે કેસ દાખલ કર્યો હતો, પરંતુ અઢી મહિના બાદ, સમજી વિચારીને તેના પિતાનું નામ પણ સામેલ કર્યું.

આ અગાઉ, સુપ્રીમ કોર્ટનો ચૂકાદો જાહેર થતા જ, કુલદીપ સિંહ સેંગરે પોતાની પુત્રીના માધ્યમથી જાહેર કરાયેલા નિવેદનમાં જણાવ્યું હતું કે પીડિતાએ ઘણી વખત પોતાનું નિવેદન બદલ્યું છે. તેણે પહેલા ઘટનાનો સમય સવારે 2:00 વાગ્યા, પછી સવારે 6:00 વાગ્યા અને અંતે સવારે 8:00 વાગ્યાનો જણાવ્યો. AIIMSના મેડિકલ બોર્ડના રિપોર્ટમાં તેની ઉંમર 18 વર્ષથી વધુ હોવાનું જાણવા મળ્યું છે.'
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે 2017ના ઉન્નાવ કેસમાં દિલ્હી હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે લગાવ્યો છે, જેમાં ટ્રાયલ કોર્ટ દ્વારા દોષિત કુલદીપ સિંહ સેંગરની આજીવન કેદની સજાને સ્થગિત કરવામાં આવી હતી. દિલ્હી હાઈકોર્ટ દ્વારા કુલદીપ સિંહ સેંગરની આજીવન કેદની સજાને સ્થગિત કરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આ મામલાની સુનાવણી ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચ દ્વારા કરવામાં આવી હતી.

બેન્ચે કુલદીપ સિંહ સેંગરના વકીલને નોટિસ ફટકારતા કેસમાં ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબ દાખલ કરવા માટે 2 અઠવાડિયાનો સમય આપ્યો હતો. દિલ્હી હાઈકોર્ટના આદેશ પર સ્ટે લગાવતા સ્પષ્ટ કર્યું કે કુલદીપ સિંહ સેંગર જેલમાં જ રહેશે. ઉલ્લેખનીય છે કે કુલદીપ સિંહ સેંગર પીડિતાના કાકા પર હુમલો કરવા બદલ પહેલાથી જ જેલની સજા ભોગવી રહ્યો છે.

