1 વર્ષમાં ભાજપને 2243 કરોડ દાન મળ્યું, જ્યારે કોંગ્રેસને ફક્ત આટલા રૂપિયા મળ્યું

ભારતીય જનતા પાર્ટી (BJP)ને નાણાકીય વર્ષ 2023-24માં સૌથી વધુ 2243 કરોડ રૂપિયાથી વધુનું ફંડ મળ્યું છે. આ દેશની રાષ્ટ્રીય રાજકીય પાર્ટીઓમાં સૌથી વધુ છે. ચૂંટણી સંબંધિત એક સંગઠન 'એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ' (ADR)એ પોતાના રિપોર્ટમાં આ માહિતી આપી છે. આ રિપોર્ટ ચૂંટણી પંચને સોંપવામાં આવેલા આંકડા પર આધારિત છે. આ આંકડાઓમાં 20 હજાર રૂપિયાથી વધુના રાજકીય ફંડની માહિતી આપવામાં આવી છે. રાષ્ટ્રીય પાર્ટીઓને મળેલા કુલ ઘોષિત ફંડની કુલ રકમ 2,544.28 કરોડ રૂપિયા છે, જે 12,547 દાતાઓ પાસેથી પ્રાપ્ત થઇ છે. આ આંકડો ગત વર્ષની તુલનમાં 199 ટકા વધુ છે.

Rahul-Gandhi2
indiatoday.in

જાહેર કરાયેલા ફંડમાં માત્ર ભાજપ જ હિસ્સો 88 ટકા છે. કોંગ્રેસ 1994 દાન સાથે 281.48 કરોડ રૂપિયાના ફંડ સાથે બીજા નંબર પર રહી, જે ભાજપ કરતા ખૂબ નીચે છે. આમ આદમી પાર્ટી (AAP), કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્ક્સવાદી) અને નેશનલ પીપલ્સ પાર્ટી (NPEP)એ ઓછી રકમની જાણકારી આપી છે, જ્યારે બહુજન સમાજ પાર્ટી (BSP)એ ફરી એક વખત 20,000 રૂપિયાની મર્યાદાથી વધુના શૂન્ય દાનની જાહેરાત કરી છે, જે છેલ્લા 18 વર્ષથી દાખલ કરવામાં આવેલા આંકડાઓને અનુરૂપ છે.

ભાજપને મળનારું ફંડ નાણાકીય વર્ષ 2022-23માં 719.858 કરોડ રૂપિયાથી વધીને નાણાકીય વર્ષ 2023-24માં 2243 કરોડ રૂપિયા થઈ ગયું છે. જે 211.72 ટકાનો વધારો દર્શાવે છે. ADRના રિપોર્ટમાં કહેવામા આવ્યું છે કે, એ જ રીતે, કોંગ્રેસને મળતું ફંડ નાણાકીય વર્ષ 2022-23માં 79.924 કરોડથી વધીને નાણાકીય વર્ષ 2023-24માં 281.48 કરોડ રૂપિયા થઈ ગયું છે, જે 251.18 ટકાનો વધારો દર્શાવે છે.

congress
theprint.in

ચૂંટણી પંચે 30 સપ્ટેમ્બર, 2024ની સમયમર્યાદા આપી હોવા છતા, માત્ર  BSP અને આમ આદમી પાર્ટીએ જ સમય પર ફંડ અંગેના અહેવાલો રજૂ કર્યા હતા. ભાજપે પોતાનો રિપોર્ટને રજૂ કરવામાં 42 દિવસનો વિલંબ કર્યો, જ્યારે CPI (M), કોંગ્રેસ અને NPPએ ક્રમશઃ 43, 27 અને 23 દિવસનો વિલંબ કર્યો.

About The Author

Related Posts

Top News

કુંવરજી બાવળિયા કોળી સમાજના સંગઠનને તોડનારાઓ સામે લાલઘૂમ, બોલ્યા- રમત કરનારાઓને...

રવિવારે સુરત ખાતે અખિલ ભારતીય કોળી સમાજની એક અત્યંત મહત્ત્વપૂર્ણપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સમાજના અગ્રણી નેતા...
Gujarat 
કુંવરજી બાવળિયા કોળી સમાજના સંગઠનને તોડનારાઓ સામે લાલઘૂમ, બોલ્યા- રમત કરનારાઓને...

અનિલ અંબાણીએ ચીનની 3 મોટી બેંકોને પણ નવડાવી દીધી છે

અનિલ અંબાણીની મુશ્કેલીઓ ઓછુ થવાનું નામ નથી લેતી. બેંક ઓફ બરોડાએ અનિલ અંબાણી અને તેની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન સામે નવો...
Business 
અનિલ અંબાણીએ ચીનની 3 મોટી બેંકોને પણ નવડાવી દીધી છે

રાજકોટ મહાનગર પાલિકા આર્કિટેક્ટો પર મહેરબાન, 20 સામે ફરિયાદ,પણ..

રાજકોટમાં TRP જેમ ઝોનની ઘટના પછી મહાનગર પાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગે રાજકોટમાં  3 હજારથી વધુ ગેરકાયદે બંધકામો શોધી નાંખ્યા હતા....
Gujarat 
રાજકોટ મહાનગર પાલિકા આર્કિટેક્ટો પર મહેરબાન, 20 સામે ફરિયાદ,પણ..

T20 વર્લ્ડ કપ સેમીફાઇનલ કોણ જીતશે? ભારત કે ઇંગ્લેન્ડ...; શું કહે છે બંને ટીમના રેકોર્ડ

ટીમ ઇન્ડિયાએ 2026 T20 વર્લ્ડ કપના સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. રવિવારે વેસ્ટ ઇન્ડીઝને 5 વિકેટથી હરાવીને સેમીફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત...
Sports 
T20 વર્લ્ડ કપ સેમીફાઇનલ કોણ જીતશે? ભારત કે ઇંગ્લેન્ડ...; શું કહે છે બંને ટીમના રેકોર્ડ

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.