પોપટ બન્યા નશાના બંધાણી! અફીણનો પાક નષ્ટ કરી રહ્યા છે, ખેડૂતો ટેન્શનમાં

જો માણસોની સાથે પશુ-પક્ષીઓ પણ ડ્રગ્સના બંધાણી બની જાય તો વિચારો કે શું થશે, પરંતુ કંઈક આવું જ અફીણ ઉત્પાદક ક્ષેત્રમાં જોવા મળી રહ્યું છે. અહીં માનવીની સાથે પક્ષીઓ પણ અફીણના વ્યસની બની ગયા છે. જેના કારણે આ વિસ્તારના ખેડૂતો ખૂબ જ ચિંતિત છે, કારણ કે આ પક્ષીઓ અફીણના પાકને ઘણું નુકસાન કરી રહ્યા છે. ખેડૂતોને આ પક્ષીઓથી પાકને બચાવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડે છે. આ સમયે જ્યારે ડાળીઓમાંથી અફીણ કાઢવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. અફીણ ઉત્પાદક ખેડૂતો માટે ચોરો, લૂંટારાઓ-તસ્કરોની સાથે-સાથે પોપટ પણ એક મોટો પડકાર બની રહ્યા છે.

મધ્યપ્રદેશના મંદસૌર, નીમચ અને રતલામમાં મોટી સંખ્યામાં ખેડૂતો અફીણની ખેતી કરતા જોવા મળે છે. તેની ખેતી માટે, ખેડૂતોએ કાયદેસર રીતે કેન્દ્રીય નાર્કોટિક્સ વિભાગ પાસેથી લાયસન્સ લેવું પડતું હોય છે. ખેડૂતો આ પાકને નાર્કોટિક્સ વિભાગની દેખરેખ હેઠળ જ ઉગાડી શકે છે. હવે અહીંના ખેડૂતોનો અફીણનો પાક જોખમમાં મુકાઈ ગયો છે. ખરેખર અહીં પોપટ અફીણ ખાવા લાગ્યા છે. જેના કારણે ખેડૂતોને પાકમાં નુકશાન થવાનો ડર સતાવી રહ્યો છે.

પોપટના આતંકને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અફીણની ખેતી કરતા ખેડૂતોએ તેમની ઉપજ સરકારને આપવી પડે છે. જો ખેડૂતો આ કરી શકતા નથી, તો સરકાર દ્વારા અફીણની ખેતી માટેનો તેમનો કરાર સમાપ્ત કરવામાં આવે છે. આવી સ્થિતિમાં હવે કેટલાક ખેડૂતોએ પોપટથી અફીણના પાકને બચાવવા માટે પ્લાસ્ટિકની જાળીઓ લગાવવાનું શરૂ કર્યું છે.

પ્લાસ્ટિક નેટના ઉપયોગને કારણે અફીણના પાકને પહેલા કરતા ઓછું નુકસાન થવા લાગ્યું છે. અગાઉ, પોપટ તેમની ચાંચમાં મોટી માત્રામાં અફીણની ડાળીઓ લઈને ઉડી જતા હતા. હવે પ્લાસ્ટિકની જાળી લગાવવાથી આવા પોપટની સંખ્યામાં ઘટાડો થયો છે. આ બધા ઉપરાંત નીલગાયનો ખતરો પણ અફીણની ખેતી પર તોળાઈ રહ્યો છે.

અફીણની ખેતી જાન્યુઆરીથી માર્ચ વચ્ચે થાય છે. તેમાં અફીણ ઉપરાંત અફીણ ડોડા પણ મળે છે. જ્યારે તેના છોડ નાના હોય છે ત્યારે તે શાકભાજી માર્કેટમાં વેચાય પણ છે. આ ઉપરાંત અફીણના નાના છોડનું શાક પણ બનાવવામાં આવે છે. કેન્દ્ર સરકાર ખેડૂતો પાસેથી અફીણ ખરીદે છે. આમાંથી મોર્ફિન બહાર આવે છે. અફીણમાંથી ઘણા જુદા જુદા પદાર્થો નીકળે છે. જેમાંથી તેનો ઉપયોગ હૃદયની દવા, રક્ત સંબંધિત દવા અને ઘણી માનસિક અને ઊંઘની દવાઓ બનાવવામાં થાય છે. અફીણની દાણચોરીના કેસમાં NDPS કલમ લાગુ કરવામાં આવે છે. તેમાં મહત્તમ 10 વર્ષની સજા અને 1 લાખ રૂપિયા સુધીના દંડનો પણ સમાવેશ થાય છે.

About The Author

Related Posts

Top News

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.