પોલીસ ઓફિસર્સ 30 મિનિટ મોડા પહોંચતા કોર્ટે એવી સજા કરી કે શરમથી પાણી પાણી

મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાં એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક કોર્ટે બે પોલીસકર્મીઓને સજા આપી દીધી. એવું નહોતું કે આ બે પોલીસકર્મી કોઇ મામલામાં આરોપી કે દોષી હતી. પોલીસકર્મીઓનો દોષ એ હતો કે તેઓ કોર્ટમાં મોડેથી પહોંચ્યા હતા. કોર્ટ પોલીસકર્મીઓની રાહ જોઇ રહ્યા હતા. બંને પોલીસકર્મી કોર્ટમાં મોડેથી પહોંચ્યા તો જજે તેમને સજા આપી. જજે પોલીસકર્મીઓને જે સજા આપી તે પણ રસપ્રદ છે. બંને પોલીસકર્મીઓને ઘાંસ કાપવાની સજા આપવામાં આવી. જે પોલીસકર્મીઓને સજા આપવામાં આવી તેઓ માનવત પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ છે. આ કિસ્સો હોલિડે કોર્ટનો છે.

કોર્ટમાં આ બંને પોલીસકર્મીઓ 30 મિનિટ મોડા આવ્યા હતા. આ દરમિયાન જજ તેમની રાહ જોઇ રહ્યા હતા. જજે પોલીસકર્મીઓને મોડેથી પહોંચવા માટે અનુશાસનાત્મક દંડ આપ્યો અને ઘાંસ કાપવાનું કામ સોંપ્યું.

વરિષ્ઠ અધિકારીઓ અનુસાર, બંને પોલીસકર્મી એક રાતે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન પોલીસે માનવતમાં શંકાસ્પદ રીતે ફરવા માટે બે લોકોને કસ્ટડીમાં લીધા હતા. બંને કસ્ટડીમાં રહેનારા લોકોને સવારે 11 વાગ્યે હોલિડે કોર્ટમાં રજૂ કરવાના હતા. જોકે, પોલીસકર્મી તે શંકાસ્પદ લોકો સાથે સવારે 11.30 વાગ્યા સુધીમાં કોર્ટમાં પહોંચી ગયા. જેથી ન્યાયિક મજિસ્ટ્રેટ પ્રથમ શ્રેણીનો ગુસ્સો આવી ગયો.

વરિષ્ઠોને આપી સૂચના

અસામાન્ય સજાથી પરેશાન થઇને બંને પોલીસકર્મીઓએ પોતાના વરિષ્ઠોને આ મામલે સૂચના આપી. ત્યાર પછી તેને આધિકારિક રીતે 22 ઓક્ટોબરના રોજ પોલીસ સ્ટેશનની ડાયરીમાં નોંધવામાં આવ્યું અને વિભાગના ઉચ્ચ અધિકારીઓને એક વિસ્તૃત રિપોર્ટ મોકલવામાં આવી.

પરભણીના SP પ્રભારી યશવંત કાલેએ આ ઘટનાને લઇ પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, અમારા સંજ્ઞાનમાં લાવ્યા પછી કોન્સ્ટેબલોના નિવેદનોની સાથે એક વિસ્તૃત રિપોર્ટ યોગ્ય કાર્યવાહી માટે ન્યાયપાલિકામાં મોકલવામાં આવી હતી. ઘટનાના સાક્ષી 3 અન્ય કોન્સ્ટેબલોના પણ નિવેદનો લેવામાં આવ્યા છે. માનવત પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ દીપક દંતુલવારે ડાયરીની પુષ્ટિ કરી, પણ વિસ્તારથી કહેવાની ના પાડી દીધી.

Related Posts

Top News

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.