બાગેશ્વર ધામમાં અરજી લગાવવા આવેલા વ્યક્તિની મળી લાશ, 1 મહિનામાં ચોથું શવ મળ્યું

મધ્ય પ્રદેશના છત્તરપુર સ્થિત બાગેશ્વર ધામથી વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બાગેશ્વર ધામમાં અરજી લગાવવા આવેલા એક વ્યક્તિનું શવ બાયપાસ માર્ગ પરથી મળી આવ્યું છે. ગત એક મહિનામાં બાગેશ્વર ધામથી કુલ મળીને 4 શવ જપ્ત કરવામા આવી ચુક્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, મંગળવારે મોડી રાત્રે જે આડેધ વ્યક્તિનું શવ જપ્ત કરવામાં આવ્યુ છે, તે બાગેશ્વર ધામમાં દર્શન-પૂજા કરવાની સાથે જ બાગેશ્વર ધામ સરકારના દરબારમાં અરજી લગાવવા માટે આવ્યો હતો. એક મહિનામાં 4 શવ મળવાથી પોલીસ પણ અચંબામાં છે. તેમજ, બાગેશ્વર ધામ આવનારા શ્રદ્ધાળુઓની ચિંતાઓમાં વધારો થવો સ્વાભાવિક છે.

રિપોર્ટ અનુસાર, બાગેશ્વર ધામમાં જે આડેધ વ્યક્તિની લાશ મળી છે, તે ત્યાં દર્શન કરવા માટે આવ્યો હતો. બાગેશ્વર ધામના બાયપાસ રોડ પર આડેધ વ્યક્તિનું શવ મળ્યું છે. તેની સૂચના પોલીસને આપવામાં આવી. મોડી રાત્રે શવ મળવાથી સ્થાનિક પોલીસમાં પણ ખળભળાટ મચી ગયો છે. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે શવને કબ્જામાં લઇને તપાસ શરૂ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, જે વ્યક્તિનું શવ મળ્યું છે તે મૂળ મધ્ય પ્રદેશના સાગર જિલ્લાનો રહેવાસી છે. ચોંકાવનારી વાત એ છે કે, ગત એક મહિનામાં બાગેશ્વર ધામમાં ચોથુ શવ જપ્ત કરવામાં આવ્યું છે.

આ પહેલા 17 જૂને ગઢા ગામમાં સ્થિત બાગેશ્વર ધામમાં એક યુવકનું શવ મળ્યું હતું. લાશ પર કોઈ વસ્ત્ર ન હતું. તેની ઓળખ પણ તે સમયે નક્કી થઈ શકી ન હતી. આ પહેલા બાગેશ્વર ધામમાં 11 જૂન, 2023ના રોજ પણ એક શવ મળી આવ્યું હતું. બાગેશ્વર ધામની પાસે એક ગામમાં દિલ્હીથી આવેલા એક વ્યક્તિનું શવ મળી આવ્યું હતું. બાગેશ્વર ધામમાં સતત શવ મળવાથી પોલીસમાં ચિંતા જોવા મળી રહી છે. એ વાતની જાણકારી મેળવવામાં આવી રહી છે કે આખરે સતત લોકોના શવ શા માટે મળી રહ્યા છે.

બાગેશ્વર ધામની સુરક્ષાને લઇને ચિંતા વધારનારા સમાચાર સતત સામે આવી રહી છે. શવ મળ્યું તે પહેલા મંગળવારે એક મુસ્લિમ યુવક કટ્ટા સાથે બાગેશ્વર ધામ પરિસરમાં ઘૂસી આવ્યો હતો. તે પરિક્રમા પથ પર ફરી રહ્યો હતો. હથિયારબંધ યુવકને જોઇને ત્યાં હાજર શ્રદ્ધાળુઓ ગભરાઈ ગયા હતા. તેની સૂચના તાત્કાલિક સ્થાનિક પોલીસને આપવામાં આવી હતી. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે યુવકને કસ્ટડીમાં લઇ લીધો હતો. સૌથી મોટો સવાલ એ જ ઊભો થાય છે તે, બાગેશ્વર ધામમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે, એવામાં સુરક્ષામાં આટલી મોટી ચૂક કઈ રીતે થઈ રહી છે.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.