સુપ્રીમ કોર્ટેની દખલઅંદાજીથી એક વ્યક્તિને 28 વર્ષે મળી પોસ્ટની નોકરી

તમે મોટા ભાગે સાંભળ્યું હશે કે જો કોઈ કેસ કોર્ટમાં પહોંચી જાય છે તો તેના પર તારીખ પર તારીખ મળે છે. એ કેસમાં નિર્ણય માટે લોકોને ઘણા દશકો સુધી રાહ જોવી પડે છે. એવો જ એક કેસ સામે આવ્યો છે. 28 વર્ષ અગાઉ એક વ્યક્તિએ પોતાની નોકરીને લઈને કોર્ટમાં એક કેસ દાખલ કરાવ્યો હતો, જેના પર હવે સુપ્રીમ કોર્ટે નિર્ણય સંભળાવ્યો છે. એક વ્યક્તિ છેલ્લા 28 વર્ષથી પોતાની નોકરી માટે કાયદાકીય લડાઈ લડી રહ્યો હતો, પરંતુ અંતે સુપ્રીમ કોર્ટની દખલઅંદાજી બાદ તેને ન્યાય મળી જ ગયો.

સુપ્રીમ કોર્ટે એક વ્યક્તિ દ્વારા પોસ્ટ વિભાગમાં નોકરી માટે અરજી કરવાના 28 વર્ષ બાદ તેની નિમણૂક કરવાનો આદેશ આપતા કહ્યું કે તેને પદ માટે અયોગ્ય ઠેરવવામાં ભૂલ થઈ હતી. અરજીકર્તાનું નામ અંકુર ગુપ્તા છે, જેણે વર્ષ 1995મા પોસ્ટ સહાયક પદ માટે અરજી કરી હતી. નિમણૂક અગાઉ તાલીમ માટે પસંદ કરાયા બાદ લિસ્ટથી એ આધાર પર હટાવી દેવામાં આવ્યો કે તેણે 12મા ધોરણનો અભ્યાસ ‘વાણિજ્ય પ્રવાહ’થી કર્યો છે.

અંકુર ગુપ્તાએ અન્ય નિષ્ફળ ઉમેદવારો સાથે પ્રશાસનિક ન્યાયાધિકરણ (કૈટ) તરફ જવાનું મન બનાવી લીધું, જેણે વર્ષ 1999માં તેમના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો. જો કે, પોસ્ટ વિભાગે ન્યાયાધિકરણના આદેશને પડકાર આપ્યો અને વર્ષ 2000માં અલ્લાહાબાદ હાઇ કોર્ટનો દરવાજો ખખડાવ્યો. હાઇ કોર્ટે વર્ષ 2017માં અરજી ફગાવી દીધી અને કૈટનો આદેશ યથાવત રાખ્યો. અલ્લાહાબાદ હાઇ કોર્ટમાં એક પુનર્વિચાર અરજી દાખલ કરવામાં આવી, જેને પણ વર્ષ 2021માં ફગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવવામાં આવ્યો.

સુપ્રીમ કોર્ટમાં ન્યાયમૂર્તિ બેલા એમ. ત્રિવેદી અને ન્યાયમૂર્તિ દીપાંકર દત્તાની પીઠે કહ્યું કે, શરૂઆતમાં જ અભ્યાર્થીઓની ઉમેદવારીને ફગાવવામાં આવી નથી અને સિલેક્શન પ્રક્રિયામાં સામેલ થવા દેવામાં આવ્યા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અંતે તેમનું નામ વરિષ્ઠતાની લિસ્ટમાં પણ આવ્યું. આ પ્રકારે કોઈ ઉમેદવારની નિમણૂકનો દાવો કરવાનો અનિવાર્ય અધિકાર નથી, પરંતુ તેમની પાસે નિષ્પક્ષ અને ભેદભાવ રહિત વ્યવહારનો સીમિત અધિકાર છે. પીઠે કહ્યું કે, અંકિત ગુપ્તા સાથે ભેદભાવ કરવામાં આવ્યો અને તેણે મનમાનીપૂર્ણ રીતે તેને પરિણામના લાભથી વંચિત રાખવામાં આવ્યો.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.