વ્યક્તિએ પૈસા માટે બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં પોતાની મૃત માને ફરી મારી નાંખી

બિહારના એક વ્યક્તિએ વળતર માટે બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં પોતાની મૃત માતાને ફરીવાર મારી નાંખી હતી પરંતુ, તેનું જુઠાણુ પકડાઈ ગયુ અને હવે તેના માટે મુસીબત ઊભી થઈ ગઈ છે. રેલવે અધિકારીઓએ ઓડિશાના બાલાસોરમાં થયેલી ટ્રિપલ ટ્રેન દુર્ઘટનામાં પોતાની માતાના મોતનું નાટક કરનારા આરોપીની પોલ ખોલી નાંખી છે. રિપોર્ટ અનુસાર, પટનાના મૂળ નિવાસી સંજય કુમારે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને મળવાનો પ્રયત્ન કર્યો અને વળતરના રૂપમાં નોકરી માંગવા માટે રેલ ભવન પણ ગયો હતો. તેનો દાવો હતો કે, તેની માતાનું ગત અઠવાડિયે બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં મોત થઈ ગયુ હતું.

આરોપીએ દાવો કર્યો હતો કે, તેની માતા કોરોમંડલ એક્સપ્રેસમાં એક યાત્રી હતી પરંતુ, અધિકારીઓ દ્વારા ટિકિટ વિવિરણ માંગવા પર વ્યક્તિ દસ્તાવેજ રજૂ કરવામાં નિષ્ફળ રહ્યો. જ્યારે તેણે અધિકારીઓને પોતાની મમ્મીની તસવીર આપી, તો તેઓ યાત્રિઓની વચ્ચે તેનો ચેહરો ઓળખવામાં નિષ્ફળ રહ્યા, ત્યારબાદ તેમને તેના પર શંકા થઈ. આગળ વિસ્તૃત પૂછપરછ પર, કુમારે સ્વીકાર કર્યો કે તેની મમ્મીનું 2018માં નિધન થઈ ગયુ હતું પરંતુ, રેલ મંત્રી દ્વારા બાલાસોર પીડિતોના પરિવારજનો માટે વળતરની જાહેરાત બાદ, તેણે તેનો ફાયદો ઉઠાવવા અને સરકારી નોકરી મેળવવાનો પ્રયત્ન કર્યો.

આ બીજો નકલી મોતનો દાવો છે જે ગત અઠવાડિયાની દુઃખદ દુર્ઘટના બાદથી સામે આવ્યો છે. આ પહેલા, ઓડિશાના કટક જિલ્લાના બારંબા ક્ષેત્રની મહિલા ગીતાંજલિ દત્તાએ એવુ કહેતા પીડિત વળતરનો દાવો કરવાનો પ્રયત્ન કર્યો હતો કે, તેના પતિ બિજય દત્તાનું દુર્ઘટનામાં મૃત્યુ થઈ ગયુ હતું.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, મહિલા બાલાસોરમાં નોર્થ ઓડિશા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી બિઝનેસ પાર્કમાં એક અસ્થાયી મુર્દાઘરમાં આવી અને ત્યાં એક શવની ઓળખ પોતાના પતિના શવના રૂપમાં કરી. તેણે પોતાનો દાવો કરવા માટે બિજય દત્તાના નામથી એક આધાર કાર્ડ પણ રજૂ કર્યો પરંતુ, જ્યારે અધિકારીઓએ બારંબા પોલીસ સાથે સંપર્ક કર્યો તો તેમણે જણાવ્યું કે, તેનો પતિ જીવિત છે.

પોલીસના જણાવ્યા અનુસાર, દંપત્તિ 13 વર્ષથી અલગ રહેતું હતું અને મહિલા વળતરની રકમ મેળવવા ખોટો પ્રયત્ન કરી રહી હતી. જ્યાં તેને ફટકાર લગાવીને જવા દેવામાં આવી, તેમજ ઘટના બાદ અલગ રહેતા પતિએ તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી દીધી. જણાવી દઈએ કે, આ દર્દનાક દુર્ઘટનાના એક અઠવાડિયા બાદ પણ એમ્સ ભુવનેશ્વરમાં 80 કરતા વધુ શવ અજ્ઞાત પડ્યા છે. તેમાંથી મોટાભાગના શવ ક્ષત-વિક્ષત થઈ ગયા છે.

હવે ઓળખ માટે અધિકારી DNA પરીક્ષણો પર નિર્ભર છે કારણ કે, ઘણા પરિવાર કેટલાક શવો પર દાવો કરી રહ્યા છે. AIIMS ભુવનેશ્વરના એક અધિકારીએ કહ્યું, અમે આશરે 50 DNA નમૂના એકત્ર કર્યા છે. પહેલા બેચમાં, 29 નમૂના AIIMS દિલ્હી મોકલવામાં આવ્યા હતા અને તેનો પરીક્ષણ રિપોર્ટ બે દિવસમાં આવવાની આશા છે. DNA રિપોર્ટ આવી ગયા બાદ અમે કેટલાક શવોને તેમના પરિવારને આપી શકીએ છીએ.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.