ભાભી સાથે લગ્ન કર્યા, ગર્લફ્રેન્ડ સાથે પણ સાત ફેરા, ખબર પડતાં એકને મારી નાખી

બિહારની રાજધાની પટનામાંથી એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. જક્કનપુર વિસ્તારમાં બે મહિલાઓ સાથે લગ્ન કરનાર ઓટો ડ્રાઈવર ખૂની બની ગયો. આરોપીએ પહેલા તેની ભાભી સાથે લગ્ન કર્યા, પછી તેની ગર્લફ્રેન્ડ સાથે પણ સાત ફેરા લીધા. ગર્લફ્રેન્ડને જ્યારે તેના પહેલા લગ્નની ખબર પડી ત્યારે ઓટો ડ્રાઈવરે તેની હત્યા કરી નાખી. પછી લાશને બોરીમાં બાંધીને ગંગા નદીમાં ફેંકી દીધી. આ ઘટના 23 જૂનની રાત્રે બની હતી. આ કેસમાં જક્કનપુર પોલીસ સ્ટેશનની પોલીસે આરોપી ઉમેશ પાસવાન (25)ની ધરપકડ કરી છે. તે મૂળ પુનપુનનો છે.

આરોપી પટનાના જક્કનપુર પોલીસ સ્ટેશન વિસ્તારની જનાર્દન ગલીમાં ભાડાના મકાનમાં રહેતો હતો. તેની પાસેથી ઓટો પણ મળી આવી હતી, જેમાં તે સુનીતાના મૃતદેહને JP પુલ સુધી લઈ ગયો હતો અને ત્યાંથી તેને ગંગા નદીમાં ફેંકી દીધો હતો. સુનિતાના માતા-પિતાનો આરોપ છે કે, ઉમેશે તેની હત્યા કરીને તેનો મૃતદેહ ગાયબ કરી દીધો હતો. જક્કનપુરના SHO સુદામા સિંહના જણાવ્યા અનુસાર, સુનીતાની માતા અને દાનાપુરની રહેવાસી આશા દેવીએ સુનીતાના મૃત્યુ અંગે દહેજ હત્યાનો કેસ દાખલ કર્યો છે.

આરોપીએ ત્રણ મહિના પહેલા જ સુનીતા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારથી તે તેની સાથે જક્કનપુરમાં ભાડાનું મકાન લઈને રહેવા લાગ્યો હતો. લગ્ન પછી સુનીતાને ખબર પડી કે, ઉમેશે તેની ભાભી સાથે પણ લગ્ન કર્યા છે. તેના ભાઈનું છ વર્ષ પહેલા અવસાન થયું હતું. આ અંગેની માહિતી મળતાં જ સુનીતા અને ઉમેશ વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. તે ઉમેશને ભાભીથી દૂર રહેવા કહેતી હતી. ઉમેશની ભાભી ત્રણ બાળકોની માતા છે. હત્યા બાદ તે જક્કનપુરમાં જ રહેતી તેની ભાભી પાસે જઈને છુપાઈ ગયો હતો.

જ્યારે પિયરિયાઓએ સુનીતા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેનો મોબાઈલ બંધ જોવા મળ્યો હતો. શંકાના આધારે જ્યારે માતા-પિતા જક્કનપુરમાં તેના ભાડાના રૂમમાં પહોંચ્યા તો દરવાજો બંધ હતો. દરમિયાન રેલવે ટ્રેક પાસે ઉમેશની ભાભી મળી આવી હતી. તેણે કહ્યું કે સુનીતા ક્યાંક ચાલી ગઈ છે. શંકાના આધારે તેના સંબંધીઓ જક્કનપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ત્યાં પોલીસને ફરિયાદ કરી. ત્યારબાદ તપાસ કર્યા પછી સત્ય બહાર આવ્યું.

જેમાં પોલીસે જ્યારે આરોપી ઉમેશની પૂછપરછ કરી તો તેણે જણાવ્યું કે સુનીતાએ ઝઘડો કર્યા પછી ગળેફાંસો ખાઈ લીધો હતો. જ્યારે તેણે તેની પત્નીને ફાંસીથી લટકતી જોઈ તો તે ડરી ગયો. ડરના માર્યા તેણે લાશને બોરીમાં નાખી દીધી. પછી તેને ઓટોમાં JP પુલ લઈ ગયો અને ત્યાંથી લાશને ગંગામાં ફેંકી દીધી.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.