અરશદ મદની કહે- મર્દ 80 સુધી રહે છે જુવાન, તેને 4 લગ્નનો હક, મહિલા તો...

જમીયત ઉલેમા-એ-હિંદના અધ્યક્ષ મૌલાના અરશદ મદનીએ બહુ વિવાહને યોગ્ય ઠેરવ્યા છે. તેમણે દાવો કર્યો કે, ઇસ્લામ મુજબ, પુરુષ 3-4 લગ્ન કરી શકે છે. સ્ત્રીઓ 45-50 વર્ષની ઉંમરમાં જ વૃદ્ધ થઈ જાય છે, જ્યારે પુરુષ 80 વર્ષની ઉંમર સુધી યુવાન રહી શકે છે. મૌલાના મદનીનું નિવેદન એવા સમય પર આવ્યું છે, જ્યારે દેશમાં સમાન નાગરિક સંહિતા પર બહેસ છેડાઈ છે અને ત્રિપલ તલાક, બહુ વિવાહ જેવી સામાજિક કુપ્રથાઓ પર રોક લગાવવની માગ તેજ છે.

મદનીના નિવેદનની નિંદા કરતા વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના મહામંત્રી મિલિન્દ પરાંડેએ કહ્યું કે, આ એ વિચારની અસર છે, જેમાં મહિલાઓને ભોગની વસ્તુ સમજવામાં આવે છે. તેમની સાથે ભેદભાવ કરવામાં આવે છે એટલે મદનીની વાતો પર કોઈ આશ્ચર્ય નથી. આ અગાઉ પણ ઘણી વખત મૌલાના અરશદ મદની કહી ચૂક્યા છે કે ઇસ્લામ મુજબ, પોતાની જરૂરિયતો પૂરી કરો. એવામાં પુરુષ પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે ઘણા લગ્ન કરી શકે છે. એક કરે, બે કરે ત્રણ કરે કે ચાર કરે. અથવા તો તે છૂટાછેડા આપીને ચોથા લગ્ન કરે કે બધાને સાથે લઈને ચાલે.

વિધિ આયોગ દ્વારા સમાન નાગરિક સંહિતા પર માગવામાં આવેલા સૂચનોને લઈને ટી.વી. ચેનલોને આપેલા ઇન્ટરવ્યૂમાં જમિયત ઉલેમા-એ-હિંદના અધ્યક્ષે કહ્યું કે, અમે તેને કબૂલ કરતા નથી. 1300 વર્ષોથી મુસ્લિમ આ દેશમાં રહેતા આવ્યા છે. પહેલા આ મામલો ક્યારેય આવ્યો નથી. હવે એવી કઈ આફત આવી ગઈ છે? તેમાં કોઈ શંકા નથી કે UCC કબૂલ નથી, પરંતુ અમે તેની વિરુદ્ધ રસ્તા પર નહીં ઊતરીએ. અમે વિધિ આયોગ સામે પોતાના વિચાર રજૂ કરીશું. અમે એમ કરવાની શરૂઆત પણ કરી છે.

યુનિફોર્મ સિવિલ કોડને લઈને હલચલ વધી ગઈ છે. જમિયત ઉલેમા-એ-હિન્દે તેનો ખૂલીને વિરોધ કર્યો છે. જમીયતે સોમવારે દાવો કર્યો કે, સમાન નાગરિક સંહિતા સંવિધાન હેઠળ મળેલી ધાર્મિક સ્વતંત્રતા વિરુદ્ધ છે. તે સંવિધાનમાં આપવામાં આવેલા મૌલિક અધિકારો વિરુદ્ધ છે. આ મુસ્લિમો માટે અસ્વીકાર્ય છે અને દેશની એકતા અને અખંડતા માટે હાનિકારક છે. જમિયતના અધ્યક્ષ મૌલાના અરશદ મદનીએ કહ્યું કે, આ મામલો માત્ર મુસ્લિમ સંબંધિત નથી, પરંતુ બધા ભારતીય સાથે જોડાયેલો છે. જમિયત કોઈ પ્રકારના ધાર્મિક મામલાઓ અને કોઇની અસ્થા સાથે સમજૂતી નહીં કરી શકે.

About The Author

Related Posts

Top News

પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

તેલંગાણાના નિર્મલ જિલ્લાના આ ચૂંટણીના સમાચાર સાબિત કરે છે કે, દરેક લોકોએ મત આપવો કેટલો મહત્વપૂર્ણ હોય છે. અહીં...
National 
પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.