‘અષ્ટભુજા શક્તિથી થશે અસૂરોનો નાશ..’, પહેલગામ ઘટના પર મોહન ભાગવત ગુસ્સે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે મુંબઈમાં આયોજિત પંડિત દીનાનાથ મંગેશકરની 83મી પુણ્યતિથિ સમારોહમાં ભાગ લીધો હતો. આ અવસર પર, તેમણે તાજેતર જ કાશ્મીરમાં થયેલી આતંકવાદી ઘટના પર પ્રતિક્રિયા આપતા, તેને ધર્મ અને અધર્મ વચ્ચેનો સંઘર્ષ ગણાવ્યો. મોહન ભાગવતે કહ્યું કે, ‘આ ધર્મ અને અધર્મની લડાઈ છે. જે લોકોને મારવામાં આવ્યા, તેમને પહેલા તેમના ધર્મ બાબતે પૂછવામાં આવ્યું. હિન્દુ આવું ક્યારેય નહીં કરે, કેમ કે તે ધૈર્યવાન છે. દેશ મજબૂત હોવો જોઈએ.

તેમણે દેશવાસીઓને આહ્વાન કર્યું કે ભારતને સશક્ત બનાવવો જોઈએ, જેથી તે આવા રાક્ષસોનો નાશ કરી શકે. તેમણે કહ્યું કે, દેશને મજબૂત બનાવવો પડશે. આપણી અષ્ટભુજા શક્તિથી રાક્ષસોનો નાશ થવો જોઈએ. ભાગવતનું આ નિવેદન એ ઘટના બાદ આવ્યું છે, જેમાં કાશ્મીરના પહેલગામમાં 26 લોકોને માત્ર તેમના ધર્મના આધારે નિશાનો બનાવીને મારી નાખવામાં આવ્યા. આ ઘટનાએ આખા દેશમાં ગુસ્સો અને ચિંતા પેદા કરી દીધી છે. RSSના સરસંઘચાલકે કહ્યું કે, ‘લોકોને તેમના ધર્મ પૂછીને તેમની હત્યા કરવામાં આવી. હિન્દુઓ આવું ક્યારેય નહીં કરે. આ યુદ્ધ ધર્મ અને અધર્મ વચ્ચે છે. આપણા દિલોમાં દર્દ છે. આપણે ગુસ્સેમાં છીએ. પરંતુ દુષ્ટતાનો નાશ કરવા માટે તાકત બતાવવી પડશે. રાવણે પોતાના વિચાર બદલવાનો ઇનકાર કરી દીધો અને બીજો કોઈ વિકલ્પ નહોતો. રામે તેને સુધરવાની તક આપ્યા બાદ જ તેને માર્યો.

Makhana1
cookwithkushi.com

 

ભાગવતે એમ પણ કહ્યું કે, આવી દુર્ઘટનાઓ રોકવા અને દુર્ભાવનાપૂર્ણ ઇરાદાને રોકવા માટે સમાજમાં એકતાની જરૂરિયાત છે. જો આપણે એકજૂથ છીએ, તો કોઈ આપણી તરફ ખરાબ નિયતથી જોવાની હિંમત નહીં કરે  અને જો કોઈ આવું કરે છે તો, તો તેની આંખો ફોડી નાખવામાં આવશે. આપણને સખત પ્રતિક્રિયાની અપેક્ષા છે. ધૃણા અને શત્રુતા આપણા સ્વભાવમાં નથી, પરંતુ ચૂપચાપ નુકસાન સહન કરવું પણ આપણા સ્વભાવમાં નથી. એક સાચા અહિંસક વ્યક્તિએ પણ મજબૂત હોવું જોઈએ. જો તાકત નથી, તો કોઈ વિકલ્પ નથી. પરંતુ જ્યારે તાકત હોય છે, ત્યારે જરૂરિયાત પડવા પર એ નજરે પડે છે.

sunil-ambekar
rss.org

આ અગાઉ RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેડકરે પણ દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન પહેલગામ હુમલા પર પ્રતિક્રિયા આપતા તેને દુર્ભાગ્યપૂર્ણ હુમલો ગણાવ્યો હતો અને કડક કાર્યવાહીની આશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘આ એક દુર્ભાગ્યપૂર્ણ હુમલો હતો. મને વિશ્વાસ છે કે તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. તેની સાથે જ, આંબેડકરે રાજનીતિ અને જનમાનસના નામ પર થોપવામાં આવતા એજન્ડાની ટીકા કરતા કહ્યું કે, ‘જો લોકો ઈમાનદારીથી રાજનીતિ કરવા માગે છે તો તેમણે સાચું બોલવું પડશે અને જનમત બનાવવો પડશે. જો અનુયાયીઓ ચૂપ રહે અને કહે કે આપણા નેતાઓ બોલશે, તો તે મૌન સહમતિ બની જાય છે, જે અત્યંત ખતરનાક છે.

Related Posts

Top News

22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં એક નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પનો પર્દાફાશ થયો છે. જિલ્લાના કિશની વિસ્તારમાં જટપુરા ચાર રસ્તા પાસે 22 વીઘા...
National 
22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી

અયોધ્યા રામ મંદિરમાં 22 જાન્યુઆરી 2024ના દિવસે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો હતો હવે 498 દિવસ પછી 5 જૂન...
Gujarat 
રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી

કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

કડી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર નીતિન પટેલને મોટો ઝટકો આપ્યો છે. નીતિન પટેલ જે ઉમદવારો માટે લોબીંગ કરી રહ્યા...
Gujarat 
કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી

હજીરા - સુરત, જૂન 4, 2025: વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) – વિશ્વના...
Gujarat 
AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી
Copyright (c) Khabarchhe All Rights Reserved.