મુકેશ અંબાણીના પુત્ર અનંત શ્રીકાશી વિશ્વનાથ ધામ પહોંચ્યા, બાબાના દર્શન કર્યા

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત મુકેશ અંબાણી મંગળવારે રાત્રે શ્રીકાશી વિશ્વનાથ ધામ પહોંચ્યા અને વિધિવત દર્શન અને પૂજા-અર્ચના કરી. બાબાના શિખર પર માથું ટેકવીને બાબાના ગર્ભગૃહમાં વિધિ-વિધાન સાથે પૂજા કરવામાં આવી. સીલબંધ પરબીડિયામાં પૂજારીઓને ભેંટ અને દક્ષિણા આપવામાં આવી હતી. મંદિર દ્વારા ફળનો પ્રસાદ અને રૂદ્રાક્ષની માળા અર્પણ કરવામાં આવી હતી. ત્યાર પછી તેઓ બાબા વિશ્વનાથ ધામ પરિસરમાંથી બહાર આવ્યા, પ્રણામ કર્યા અને તેમના અંગત અંગરક્ષકો સાથે તેમના ગંતવ્ય સ્થાન માટે રવાના થયા.

મંદિરના દર્શન કર્યા બાદ અનંત અંબાણીએ વિશ્વનાથ ધામના વખાણ કર્યા અને કહ્યું કે 'બાબાનું ધામ અદ્ભુત છે. અનંત અંબાણી મોડી સાંજે લાલ બહાદુર શાસ્ત્રી એરપોર્ટ પહોંચ્યા હતા. એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી તેઓ કાફલા સાથે સીધા કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યા. અહીં તમને જણાવી દઈએ કે, અનંત અંબાણી રિલાયન્સની ન્યુ એનર્જીનો બિઝનેસ સંભાળી રહ્યા છે. અનંત રિલાયન્સ 02C અને રિલાયન્સ ન્યૂ સોલર એનર્જીના ડિરેક્ટર પણ છે.

બાબાધામ પહોંચીને અનંતે મંદિરમાં 10 મિનિટ સુધી વિશેષ પૂજા કરી હતી. બાબા વિશ્વનાથનો જલાભિષેક અને દૂધ અભિષેક કર્યો. તેણે બે બ્રાહ્મણોની હાજરીમાં બાબા વિશ્વનાથના ગર્ભગૃહની અંદર વિધિવત પૂજા કરી. તેમને બાબાનો પ્રસાદ અને રૂદ્રાક્ષની માળા, બાબાનું અંગવસ્ત્ર અને ચંદન પણ અર્પણ કરવામાં આવ્યું હતું. બાબા વિશ્વનાથની તસવીર અને પંચ મેવાના લાડુ પણ તેમને પ્રસાદ તરીકે આપવામાં આવ્યા હતા. મંદિર પ્રશાસનને અનંત અંબાણીના આગમનની અગાઉથી કોઈ જાણકારી નહોતી, જેના કારણે કોઈ તૈયારી કરવામાં આવી ન હતી.

અનંત અંબાણીના જે વીડિયો સામે આવ્યા છે, તેમાં તેઓ કાશી વિશ્વનાથ મંદિરના ગર્ભગૃહમાં જોવા મળે છે અને માથું ટેકવતા અને પૂજા કરતા જોવા મળે છે. આ દરમિયાન ત્યાં હાજર પંડિતો તેમને આખી પ્રક્રિયા સમજાવતા જોવા મળે છે. જો અહેવાલોનું માનીએ તો, મંદિર પ્રશાસનને પણ અનંત અંબાણીના આગમનની જાણ નહોતી, તેથી મંદિરમાં કોઈ ખાસ તૈયારીઓ કરવામાં આવી ન હતી. જ્યારે અનંત અંબાણી મંદિર પહોંચ્યા ત્યારે અહીં સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દેવામાં આવી હતી. પૂજા કર્યા પછી અનંત થોડીવાર મંદિરમાં રહ્યા અને મંદિર પરિસર પણ જોયું.

હકીકતમાં, 19 જાન્યુઆરીએ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંતની સગાઈ ઉદ્યોગપતિ વીરેન મર્ચન્ટની પુત્રી રાધિકા સાથે થઈ હતી. અગાઉ એન્ટિલિયામાં ગોળ-ધાણા અને ચૂંદડી ઓઢાડવાની વિધિઓ કરવામાં આવતી હતી. સગાઈ બાદ અનંત કાશી વિશ્વનાથ મંદિરે ગયા છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.